SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩ ૧૫ શ્રુતજ્ઞાન દર્શનથી પૃથક્ દેખાય છે; કેમ કે ચક્ષુથી પ્રથમ દર્શન થાય છે, ત્યા૨પછી મતિજ્ઞાન થાય છે, તે બંને થયા પછી શ્રુતજ્ઞાન થાય છે માટે દર્શન સાથે વ્યવધાનને કા૨ણે શ્રુતજ્ઞાન સ્પષ્ટ ભિન્ન જણાય છે તેમ ચક્ષુથી થતું જ્ઞાન, દર્શન સાથે વ્યવધાનવાળું નહીં હોવા છતાં અનંતરભાવિ છે, તેથી પૃથક્ છે. અવધિજ્ઞાન પણ અવધિદર્શનથી પૃથક્ છે. તેમાં દૃષ્ટાંત કહે છે મન:પર્યવજ્ઞાનની જેમ. મનઃપર્યવજ્ઞાન અવધિજ્ઞાનની જેમ અવધિદર્શન સાથે અનંતરભાવિ નથી, પરંતુ અવધિદર્શનથી પૃથક્ ભાવવાળું છે તે સ્પષ્ટ પ્રતીત થાય છે, તેમ અવધિદર્શનના ઉત્તરભાવી અવધિજ્ઞાન વચ્ચે વ્યવધાન નહીં હોવા છતાં અવધિદર્શનથી અવધિજ્ઞાન પૃથક્ ભાવવાળું છે; કેમ કે છદ્મસ્થનો ઉપયોગ પદાર્થને જાણવા માટે વ્યાપારવાળો થાય ત્યારે પ્રથમ સામાન્યથી બોધ થાય છે ત્યારપછી ક્રમસર વિશેષ વિશેષ બોધ થાય છે, તેથી મન:પર્યવજ્ઞાન સુધી બધા જ જ્ઞાનો દર્શનથી પૃથક્ ભાવવાળા છે. અહીં વિશેષ એ છે કે ગ્રંથકારશ્રીના મતે ચક્ષુદર્શન એટલે ‘ચક્ષુષા પશ્યામિ' એ પ્રકારનો બોધ છે. અચક્ષુદર્શન એટલે ‘અચક્ષુ એવા મનથી પશ્યામિ' એ પ્રકારનો બોધ છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેશે એ પ્રમાણે ચક્ષુદર્શન ચક્ષુઇન્દ્રિયથી થાય છે અને અચક્ષુદર્શન મનથી થાય છે. અન્ય ઇન્દ્રિયથી દર્શન થતું નથી, આમ છતાં ગ્રંથકારશ્રીને છદ્મસ્થનું સર્વ જ્ઞાન દર્શનપૂર્વક જ અભિમત છે, તેથી ચક્ષુ સિવાયની અન્ય ચાર ઇન્દ્રિયથી થતું જ્ઞાન પણ દર્શનપૂર્વક જ થાય છે અને તે દર્શન અચક્ષુદર્શન છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચક્ષુને છોડીને કોઈ પણ ઇન્દ્રિયનો વિષય સાથે સંપર્ક થાય તેના પૂર્વે મનથી જીવ તે ઇન્દ્રિયને અભિમુખ થાય છે ત્યારે દર્શન થાય છે, ત્યારપછી તે ઇન્દ્રિયના વિષયનો ઇન્દ્રિય સાથે સંયોગ થાય છે ત્યારે વ્યંજનાવગ્રહાદિના ક્રમથી અપાય કે ધારણા સુધી જે બોધ થાય છે તે સર્વ જ્ઞાનરૂપ છે. જેમ ચિત્ત શ્રવણના અભિમુખ પરિણામવાળું હોય ત્યારે પ્રથમ ચક્ષુદર્શન થાય ત્યારપછી વક્તાના શબ્દ પુદ્ગલોનો શ્રોત્રેન્દ્રિય સાથે સંબંધ થાય ત્યારે પ્રથમ વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ, ઈહા અને અપાયાદિ થાય છે. તેમાં મનથી થયેલો આભિમુખ્યભાવ દર્શનરૂપ છે, બાકીનું સર્વ જ્ઞાનરૂપ છે. એ જ રીતે ચક્ષુ સિવાયની અન્ય સર્વ ઇન્દ્રિયોમાં પ્રથમ મનથી દર્શન થાય છે અને ત્યારપછી તે તે ઇન્દ્રિયોના વિષયોના સંપર્કથી મનોવ્યાપાર દ્વારા તે તે ઇન્દ્રિયોના વિષયોનું જ્ઞાન થાય છે. વળી, ચક્ષુથી પદાર્થને જોવાને અભિમુખ જીવ થાય છે ત્યારે પ્રથમ ચક્ષુદર્શન થાય છે ત્યારપછી અર્થાવગ્રહાદિના ક્રમથી અપાયાદિ સુધી જ્ઞાન થાય છે. વળી જે છદ્મસ્થ જીવને અવધિજ્ઞાનના અને અવધિદર્શનના આવરણનો ક્ષયોપશમભાવ થયેલો હોય ત્યારે તે જીવ સાક્ષાત્ આત્મપ્રદેશો દ્વારા પદાર્થને જાણવા માટે ઉપયોગવાળો થાય છે તે વખતે પ્રથમ અધિદર્શનનો ઉપયોગ પ્રવર્તે છે ત્યારપછી અવધિજ્ઞાનનો ઉપયોગ છે. કોઈ જીવને મન:પર્યવજ્ઞાનનો ક્ષયોપશમ થયેલો હોય તો તે જીવને પણ સાક્ષાત્ આત્મપ્રદેશના વ્યાપાર દ્વારા પ્રથમ અવધિદર્શનના ઉપયોગવાળો છે ત્યા૨પછી મનોવર્ગણાના પુદ્ગલ વિષયક ઉપયોગ પ્રવર્તે છે ત્યારે પ્રથમ અવધિજ્ઞાન થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy