SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૨ અવતરણિકા : सामान्यविशेषात्मके च प्रमाणप्रमेयरूपे वस्तुतत्त्वे व्यवस्थिते द्रव्यास्तिकस्यालोचनमात्रं विशेषाकारत्यागि दर्शनं यत् तत् सत्यम् इतरस्य तु विशेषाकारं सामान्याकाररहितं यद् ज्ञानं तदेव पारमार्थिकमभिप्रेतम् 'प्रत्येकमेषोऽर्थपर्यायः' इति वचनात्, प्रमाणं तु द्रव्यपर्यायौ दर्शनज्ञानस्वरूपावन्योन्याविनिर्भागवर्तिनाविति दर्शयत्राह - અવતરણિકાર્ચ - સામાન્ય-વિશેષાત્મક પ્રમાણ અને પ્રમેયરૂપ વસ્તુતત્વ વ્યવસ્થિત હોતે છતે=પ્રમાણરૂપ જ્ઞાન, દર્શન અને પ્રમેયરૂપ વસ્તુ બંને સામાન્ય વિશેષાત્મક હોતે છતે, દ્રવ્યાસ્તિકાયનું પ્રમાણરૂપ વસ્તુના અંગભૂત એવા દ્રવ્યાસ્તિકનયતું, વિશેષ આકારનો પરિત્યાગી એવું આલોચન માત્ર જે દર્શન છે તે સત્ય છે. વળી ઈતરનું પર્યાયાસ્તિકાયનું પ્રમાણરૂપ વસ્તુના અંગભૂત એવા પર્યાયાસ્તિકાયનું, સામાન્ય આકાર રહિત એવું વિશેષ આકારવાળું જે જ્ઞાન તે જ પારમાર્થિક અભિપ્રેત છે; કેમ કે “પ્રત્યેક એવો આ અર્થપર્યાય છે” એ પ્રકારનું વચન છે= પ્રત્યેક આ અર્થપર્યાય છે' એ પ્રમાણે પ્રથમ ગાથાના અંતિમ પાદમાં કહેલ છે. વળી, પ્રમાણ દ્રવ્ય-પર્યાયરૂપ દર્શન-જ્ઞાન સ્વરૂપ અન્યોન્ચ અવિનિર્ભાગવર્તી છે=દર્શન, જ્ઞાન પરસ્પર વિભાગ વગર વર્તતા દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી પ્રમાણ છે એ પ્રમાણે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ : પ્રથમ કાંડમાં બાહ્ય પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે તેમ બતાવ્યું, તેથી પ્રમેય એવો બાહ્ય પદાર્થ સામાન્યવિશેષાત્મક છે એમ સિદ્ધ થાય છે. બીજા કાંડના પ્રથમ ગાથાની ટીકામાં દર્શન, જ્ઞાન અન્યોન્ય અનુવિદ્ધ પ્રમાણ છે તેમ બતાવ્યું. તેથી સામાન્યાત્મક દર્શન અને વિશેષાત્મક જ્ઞાન ગૌણ-મુખ્યભાવરૂપે પરસ્પર અનુવિદ્ધ હોય તો પ્રમાણરૂપ છે તેમ સિદ્ધ થયું. પ્રથમ ગાથામાં અંતિમ પાદમાં કહ્યું કે પ્રત્યેક આ અર્થપર્યાય છે=જ્ઞાનનય અને દર્શનનય પ્રત્યેકનું આવા પ્રકારના અર્થનું ગ્રાહકપણું છે. તેનાથી એ પ્રાપ્ત થયું કે દ્રવ્યાસ્તિકનયના વિષયભૂત વિશેષાકારના પરિત્યાગવાળું જે આલોચનમાત્રરૂપે દર્શન છે તે દર્શનનયનું સત્ય છે. પર્યાયાસ્તિક ના વિષયભૂત સામાન્યાકાર રહિત વિશેષાકારવાળું જે જ્ઞાન છે તે જ્ઞાનનયનું સત્ય છે. આ રીતે તે તે નયનું પૃથક કથન હોવા છતાં દર્શનના અને જ્ઞાનના વિભાગ વગર અન્યોન્ય અનુવિદ્ધ તે બોધ હોય તો પ્રમાણ બને અને તે બોધ દ્રવ્યપર્યાયરૂપ છે અર્થાત્ દ્રવ્યનો અને પર્યાયનો બોધ કરાવે છે. માટે પ્રમાણ છે એ પ્રકારે ગાથામાં બતાવવા માટે કહે છે – ગાથા : दव्वढिओ वि होऊण दंसणे पज्जवडिओ होइ । उवसमियाईभावं पडुच्च णाणे उ विवरीयं ।।२/२।। www.jainelibrary.org Jain Educationa International For Personal and Private Use Only
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy