SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ / ગાથા-૧ તેવા પ્રકારના નિરાકારઉપયોગના કે સાકારઉપયોગના વિષયભૂત પદાર્થ નહીં હોવાથી તેમાં પ્રમાણપણાની પ્રાપ્તિ નથી. વળી, ઇતર અંશથી વિકલસાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોગમાંથી જો સાકાર ઉપયોગ હોય તો નિરાકારરૂપ ઇતર અંશથી વિકલ અને જો નિરાકાર ઉપયોગ હોય તો સાકારરૂપ ઇતર અંશથી વિકલ, એવો સાકાર ઉપયોગ કે નિરાકાર ઉપયોગ સ્વીકારીને એક અંશરૂપ ઉપયોગના વિષયભૂતસાકાર અને નિરાકાર – એ બેમાંથી કોઈ એક ઉપયોગના વિષયભૂત, પદાર્થની સત્તાની પ્રાપ્તિ થતી નથી. માટે ઇતર અંશથી નિરપેક્ષ એવા એક અંશનો બોધ પદાર્થને સ્પર્શનાર નહીં હોવાથી પ્રમાણભૂત નથી. આ રીતે નિરાકાર અને સાકાર ઉપયોગને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકારીને પ્રમાણભૂત કહેવાથી જે એકાંતવાદનો સ્વીકાર છે તેનું નિરાકરણ થાય છે. એકાંતવાદીઓ કહે છે કે બોધપાત્ર પ્રમાણ છે અને તે બોધ સાકાર છે. આ પ્રકારે વૈભાષિક બોધમાત્રને પ્રમાણ સ્વીકારીને સાકાર ઉપયોગવાળા બોધને પ્રમાણ કહે છે. વળી જૈમિની કહે છે કે અનધિગત અર્થ અધિગનૃત્વવિશિષ્ટ તે જ=બોધ જ, જ્ઞાતૃનો વ્યાપાર પ્રમાણ છે, અને તે જ જ્ઞાતુનો વ્યાપાર અર્થની દૃષ્ટતાગ ફળથી અનુમેય છે અથવા સંવેદનાખ્ય ફલથી અનુમેય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં જેનો બોધ ન થયો હોય તેવા અર્થનો બોધ જ્યારે જ્ઞાતા કરે છે તે બોધ પ્રમાણ છે. આથી જ કોઈ વસ્તુનું પૂર્વમાં જ્ઞાન કર્યું હોય અને ફરી તેનું જ્ઞાન કરવામાં આવે ત્યારે પૂર્વ કરતાં તેનો વિશિષ્ટ બોધ થાય તો તે વિશિષ્ટ બોધ પૂર્વમાં નહીં થયેલ હોવાથી તે બોધ પ્રમાણ બને છે. વળી આ બોધ યથાર્થ છે તેનો નિર્ણય શેનાથી થાય ? તે બતાવતાં જૈમિની કહે છે – પોતાને જેવો બોધ થયો છે તેવા અર્થની સંગતિ બાહ્ય દેખાતી હોય તો તેનાથી અનુમાન થાય છે કે પોતાનો બોધ પ્રમાણ છે. જેમ કોઈને શક્તિને જોઈને રજતનું જ્ઞાન થયું અને ત્યારપછી ત્યાં જઈને જોવાથી અર્થની સંગતિ જ્ઞાનને અનુરૂપ નથી એમ જણાય તો તેનાથી નક્કી થાય છે કે પોતાનું જ્ઞાન પ્રમાણરૂપ નથી. રજતમાં રજતનું જ્ઞાન થયું હોય અને તે પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય તો તેનાથી નક્કી થાય કે પોતાનું જ્ઞાન પ્રમાણભૂત છે. વળી જેમ બાહ્ય પદાર્થને આશ્રયીને બોધ થાય છે તેમ પોતાના અંતરંગ ભાવોને આશ્રયીને બોધ થાય છે, તેથી જે પ્રમાણે પોતે બોધ કરેલો હોય તે બોધ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી તે બોધને અનુરૂપ સંવેદના થતી હોય તો તે સંવેદનારૂપ ફલથી નક્કી થાય છે કે પોતાનું જ્ઞાન પ્રમાણરૂપ છે. જેમ કોઈ પદાર્થ વિષયક ઊહ કરવાથી જે પ્રકારથી તેનું સંવેદન થવું જોઈએ તે પ્રકારે પોતાને સંવેદન થતું દેખાય તો તેનાથી અનુમેય છે કે પોતાનું પૂર્વનું જ્ઞાન પ્રમાણભૂત હતું. વળી તૈયાયિકો અવ્યભિચારાદિ વિશેષણથી વિશિષ્ટ અર્થ ઉપલબ્ધિજનિકા સામગ્રીનું પ્રમાણ માને છે તે સર્વ કથનનું નિરાકરણ થાય છે; કેમ કે ગૌણ-મુખ્યભાવરૂપે પ્રવર્તતો સાકાર-નિરાકાર ઉપયોગ જ પ્રમાણ છે. ll૨/૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy