SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૦ ટીકા - चक्षुरचक्षुरवधिकेवलानां स्वसमये दर्शनविकल्पा-भेदाः परिपठितास्तेन-दर्शनमध्ये पाठाद, दर्शनमपि केवलम्, ज्ञानमध्ये पाठाद् ज्ञानमपि, अतो भिन्ने एव केवलज्ञानदर्शने, न चात्यन्तं तयोर्भेद एव, केवलान्तर्भूतत्वेन तयोरभेदात्, न चैवमभेदाद्वैतमेव सूत्रयुक्तिविरोधात् तत्परिच्छेदकस्वभावतया कथंचिदेकत्वेऽपि तथा तद्व्यपदेशात् ।।२/२०।। ટીકાર્ય : રક્ષરશુરવધિવેવનાનાં..... તવ્યપદેશાત્ I uસમયમાં=સ્વશાસ્ત્રમાં, ચક્ષના-અચસુના-અવધિનાકેવલના દર્શનના વિકલ્પો=ભેદો, પરિપઠિત છે, તે કારણથી=દર્શનમાં પાઠ હોવાથી=દર્શનમાં કેવલતો પાઠ હોવાથી, દર્શન પણ કેવલ છે કેવલદર્શન છે, જ્ઞાનમાં પાઠ હોવાથી જ્ઞાન પણ કેવલ છે-કેવલજ્ઞાન છે, આથી ભિન્ન જ કેવલજ્ઞાન-કેવલદર્શન છે અને અત્યંત તે બેનો ભેદ જ નથી; કેમ કે કેવલમાં અંતભૂતપણાથી-કેવલ એવા એક ઉપયોગમાં અંતભૂતપણાથી, તે બેનો અભેદ છે અને આ રીતે=પૂર્વમાં કહ્યું કે કેવલમાં અંતભૂતપણાથી તે બેનો અભેદ છે એ રીતે, અભેદનો અદ્વૈત જ નથી; કેમ કે સૂત્રયુક્તિનો વિરોધ હોવાના કારણે=કેવલજ્ઞાન-કેવલદર્શન કહેનાર સૂત્રના તાત્પર્યનો વિરોધ હોવાના કારણે, તત્પરિચ્છેદક-સ્વભાવપણાથી દ્રવ્ય અને પર્યાયના પરિચ્છેદકસ્વભાવપણાથી, કથંચિત્ એકત્વપણામાં પણ તે પ્રકારે તેનો વ્યપદેશ છે=કેવલઉપયોગરૂપે એકત્વપણું હોવા છતાં પણ કેવલજ્ઞાનકેવલદર્શન સ્વરૂપે ભેદનો વ્યપદેશ છે. ll૨/૨૦માં ભાવાર્થ : શાસ્ત્રમાં ચક્ષુ, અચકું, અવધિ અને કેવલના દર્શનવિકલ્પો કહેવાયા છે તેનાથી નક્કી થાય છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્ન છે. અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ઉપયોગને ક્રમથી કે યુગપદથી ભિન્ન સ્વીકારનાર બંને મતોનું નિરાકરણ કરીને કેવલજ્ઞાન અને કેવલદર્શનને એકરૂપે સ્થાપન કરેલ છે; આમ છતાં પ્રસ્તુત ગાથા તે બન્નેનું ભિન્નરૂપે કેમ સ્થાપન કરે છે ? તેથી ટીકાકારશ્રી કહે છે – કેવલજ્ઞાન-કેવલદર્શનનો અત્યંત ભેદ જ નથી; કેમ કે કેવલરૂપ ઉપયોગમાં દ્રવ્ય અને પર્યાય બન્નેનું અંતર્ભતપણું હોવાના કારણે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો અભેદ છે. આ રીતે કેવલજ્ઞાન-કેવલદર્શનનો અદ્વૈત કહેવાયેલ છે. અહીં પ્રશ્ન થાય કે આગમમાં તે બેનો ભેદ કેમ કહેલ છે ? તેથી કહે છે – આ રીતે કેવલજ્ઞાનના અને કેવલદર્શનના અભેદનો અદ્વૈત જ નથી. કેમ અભેદનો અદ્વૈત નથી ? તેમાં હેતુ કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy