SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ અવતરણિકા : एकान्तपक्षे आत्मसुखदुःखोपभोगनिवर्तकशरीरसम्बन्धहेत्वदृष्टोत्पादकनिमित्तानामप्यसम्भवं રન્નાદ – અવતરણિકાર્ય : એકાત્તાપક્ષમાં–આત્મા માત્ર દ્રવ્યરૂપ છે અથવા આત્મા માત્ર પર્યાયરૂપ છે એ રૂપ એકાંતપક્ષમાં, આત્માના સુખ-દુઃખના ઉપભોગના નિર્વર્તક એવા શરીર સાથે સંબંધનો હેતુ એવા અદષ્ટના ઉત્પાદક નિમિતોનો પણ અસંભવ બતાવતાં કહે છે – ભાવાર્થ : આત્મા માત્ર દ્રવ્યરૂપ છે કે માત્ર પર્યાયરૂપ છે તેમ સ્વીકારીએ તો સંસારમાં પ્રત્યક્ષથી દેખાય છે કે સંસારી જીવો સુખ-દુ:ખનો ઉપભોગ કરે છે તે શરીર દ્વારા કરે છે અને તે શરીરના સંબંધનો હેતુ તે જીવોએ તે પ્રકારનું કર્મ બાંધેલું છે અને તે કર્મના ઉત્પાદક એવા મન, વચન અને કાયાના યોગો નિમિત્ત છે. આમ છતાં એકાંતપક્ષમાં તે અનુભવ પ્રમાણે કર્મના ઉત્પાદક નિમિત્તોની સંગતિ થાય નહીં તે બતાવવા અર્થે કહે છે – ગાથા : कम्मं जोगनिमित्तं बज्झइ बन्धट्टिई कसायवसा । अपरिणउच्छिण्णेसु य बंधट्ठिइकारणं णत्थि ।।१/१९।। છાયા : कर्म योगनिमित्तं बध्यते बन्धस्थितिः कषायवशात् । अपरिणतोत्सित्रेषु च बंधस्थितिकारणं नास्ति ।।१/१९।। અન્વયાર્થ : વનંકર્મ, નોકનિમિત્ત યોગનિમિત્ત, વરૂ=બંધાય છે. વસાયવસી વન્યકિષાયતા વશથી બંધની સ્થિતિ છે, એ અપરિચ્છિovસુ=અને અપરિણત અને ઉત્સઝ હોતે છતે=એકાંત દ્રવ્યાધિકાયથી આત્મા અપરિણત હોતે છતે અને એકાંત પર્યાયાર્થિકનયથી આત્મા ક્ષણસ્થિતિવાળો હોવાના કારણે ઉત્સન્ન હોતે છતે, વંદિર સ્થિ=બંધની સ્થિતિનું કારણ નથી=બંધની સ્થિતિનું કારણ કષાય નથી. II૧/૧૯ ગાથાર્થ :કર્મ યોગનિમિત બંધાય છે. કષાયના વશથી બંધની સ્થિતિ છે અને અપરિણત અને ઉત્સન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy