SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭, ૧૮. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – મન કર્મનો અકર્તા હોવાના કારણે મન દ્વારા શરીરના સંબંધની અનુપત્તિ છે. આશય એ છે કે દ્રવ્યમન પુદ્ગલાત્મક છે, ભાવમન મતિજ્ઞાનના પરિણામરૂપ છે. મતિજ્ઞાનસ્વરૂપ જ આત્મા છે અને સંસારી જીવોનું મોહથી આકુળ મતિજ્ઞાન જ કર્મબંધનું કારણ છે. માટે ભાવમનસ્વરૂપ આત્મા કર્મબંધનું કારણ હોવા છતાં દ્રવ્યમન જે પગલાત્મક છે તે કર્મનો કર્તા નથી, માટે મન દ્વારા આત્માને શરીરના સંબંધની પ્રાપ્તિ નથી. અહીં પ્રશ્ન થાય કે કોના દ્વારા કર્મ બંધાય છે ? તેથી કહે છે – જે અદૃષ્ટનો વિધાતા છે=જે આત્મા અદષ્ટને કરનારો છે, તે પોતાનાથી કરાયેલા અદૃષ્ટરૂપ કર્મથી નિવર્તિત શરીર સાથે સંબંધિત થાય છે એ રીતે મન નથી=એ રીતે મન અદૃષ્ટનો કર્તા થઈને શરીર સાથે સંયોગ કરનાર નથી. એથી એ પ્રાપ્ત થાય છે કે આત્મા તે તે પ્રકારના પરિણામથી અદૃષ્ટને બાંધે છે અને તેનાથી નિષ્પન્ન થયેલ શરીરની સાથે સંબંધિત થાય છે માટે આત્મા અદૃષ્ટને અનુકૂળ ભિન્ન ભિન્ન પરિણામવાળો છે માટે આત્મા એકાંત દ્રવ્યરૂપ નથી, પરંતુ દ્રવ્ય-પર્યાયરૂપ છે. વળી, મનનો શરીર સાથે સંબંધ હોવા છતાં શરીરકૃત સુખ-દુઃખનું ભોફ્તત્વ મનનું નથી; કેમ કે આત્મામાં જ સુખ-દુઃખનું ભોક્તપણું સ્વીકારાયું છે અને સુખ-દુઃખ માટે જ શરીરનો સંબંધ આત્માને સ્વીકારાયો છે. તેથી શરીરની સાથે મન સંબંધનું પરિકલ્પન કરીને આત્માને એકાંતે નિત્ય સ્વીકારવો વ્યર્થ છે અને મનમાં સુખ-દુઃખનું ભોફ્તત્વ સ્વીકારીને આત્માને એકાંતે નિત્ય સ્વીકારવામાં આવે તો મનથી અતિરિક્ત આત્માની કલ્પના કરવી વ્યર્થ છે; કેમ કે મનની જ આત્મારૂપે સિદ્ધિ છે. માટે જગતમાં દ્રવ્ય-પર્યાયરૂપ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયાકયને અભિમત આત્મારૂપ વસ્તુ સ્વીકારવામાં આવે તો જ સંસારની સંગતિ થાય. ૧/૧ળી અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : અને આત્માને કેવલ દ્રવ્યરૂપ કે કેવલ પર્યાયરૂપ સ્વીકારવામાં આવે તો સંસાર ઘટે નહીં તેમ અન્ય શું ન ઘટે? તેનો સમુચ્ચય તથા'થી કરે છે – ગાથા : सुहदुक्खसम्पओगो ण जुज्जए णिच्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य सुह-दुक्खवियप्पणमजुत्तं ।।१/१८ ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy