SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ આત્માનું અન્ય ભવરૂપે સંસરણ થયું તેમ કહી શકાય નહીં. માટે અન્વયી આત્મા સ્વીકારવાથી આ ભવથી અન્યભવમાં આત્માનું સંસરણ થયું તેમ સ્વીકારી શકાય. વળી, બાલ અવસ્થાથી યુવાવસ્થાની પ્રાપ્તિ થાય છે તે રૂપ સંસરણ પણ એકાંત પર્યાય સ્વીકારવાથી સંગત થાય નહીં, કેમ કે બાલ્યાવસ્થા નાશ પામી તે અન્ય છે અને યુવાવસ્થા પ્રાપ્ત થઈ તે અન્ય છે તેમ સ્વીકારીએ તો બાલ્યાવસ્થાવાળા આત્માનું યુવાવસ્થારૂપે સંસરણ થયું તેમ કહી શકાય નહીં. માટે એકાંત પર્યાયનયની દૃષ્ટિથી આત્મામાં સંસાર ઘટે નહીં. એકાંત દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિવાળા કહે કે અમૂર્ત એવો આત્મા છે અને તે સર્વથા વિકાર વગરનો છે. આમ છતાં પૂર્વ શરીરનો વિયોગ અને અપરશરીરનો યોગ છે, તેથી સંસાર ઘટી શકે છે. આશય એ છે કે આત્મા એકાન્ત કુટસ્થનિત્ય છે. ફકત નિત્ય પણ એવા આત્માની સાથે પૂર્વના શરીરનો યોગ હતો તેનો વિયોગ થઈને અપરશરીરનો યોગ થયો. માટે દ્રવ્યાસ્તિકનયથી આત્માને એકાંતનિત્ય સ્વીકારવા છતાં સંસાર સંગત થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – જો આત્મા સદા અવિકારી હોય તો આત્માને પૂર્વશરીરથી વિયોગ અને અન્ય શરીરનો યોગ પણ સંભવી શકે નહીં, કેમ કે પૂર્વશરીરના વિયોગ અને અપરશરીરના યોગરૂપ અવસ્થાન્તર આત્માને પ્રાપ્ત થતી હોય તો આત્મા સર્વથા પર્યાયાન્તરની પ્રાપ્તિરૂપ વિકારથી રહિત છે તેમ કહી શકાય નહીં, પરંતુ તે તે શરીરના યોગ અને વિયોગરૂપ પર્યાયને પ્રાપ્ત કરે છે તેમજ માનવું પડે. વળી માત્ર પર્યાયને સ્વીકારનાર દૃષ્ટિથી પદાર્થ ક્ષણિક છે તેમ સિદ્ધ થાય અને તેમ સ્વીકારીએ તો આત્માને પૂર્વેક્ષણના શરીર સાથે વિયોગ અને અપરક્ષણના શરીર સાથે યોગ સંગત થાય નહીં. માટે એકાંત પર્યાયરૂપ વસ્તુ હોય તોપણ સંસાર ઘટે નહીં. વસ્તુતઃ આત્મા નામનો સ્થિર પદાર્થ હોય તો પૂર્વશરીર સાથે વિયોગ અને અપરશરીર સાથે સંયોગરૂપ પર્યાયાન્તર છે તેમ સિદ્ધ થાય. આત્માને એકાંત દ્રવ્યરૂપ સ્વીકારનાર પૂર્વપક્ષી કહે કે આત્મા અમૂર્ત છે અને તે કોઈ વિવિધ પર્યાયને પામતો નથી માટે કેવલ દ્રવ્યરૂપ છે છતાં અસર્વગત એવા એક મનથી અભિષ્યક્ત શરીર છે અર્થાતું એક મનથી યુક્ત શરીરની આત્માને પ્રાપ્તિ છે અને તેના શરીરની સાથે આત્માનો વિશિષ્ટ વિયોગ અને યોગરૂપ સંસાર છે. જેમ સિદ્ધના આત્મા અમૂર્તિ છે અને પુદ્ગલોના તેવા પ્રકારના ભ્રમણ-પરિણામને કારણે પુદ્ગલો સિદ્ધના ક્ષેત્રમાં આવે છે ત્યારે સિદ્ધના જીવોને તે પુદ્ગલો સાથે યોગ થાય છે અને જ્યારે તે પુદ્ગલો અન્ય ક્ષેત્રમાં જાય છે ત્યારે વિયોગ થાય છે તોપણ સિદ્ધના જીવો તે રૂપીદ્રવ્યના સંયોગથી અને વિયોગથી અન્ય અન્ય પરિણામને પામતા નથી, પરંતુ સદા એકસ્વરૂપ રહે છે તેમ મનથી નિષ્પાદિત એવા કર્મને કારણે શરીરનો સંયોગ અમૂર્ત આત્માને થાય છે અને પૂર્વના શરીરનો વિયોગ થાય છે તોપણ આત્મા તો અપરિવર્તનશીલ એક સ્વભાવવાળો છે. માટે પર્યાય રહિત એવા દ્રવ્યની સંગતિ થશે અને આત્માને સંસારની પણ સંગતિ થશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy