SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ ૬૫ વિશિષ્ટ વિયોગ અને વિશિષ્ટ યોગ એ સંસાર છે એમ ન કહેવું; કેમ કે મનનું અકર્તૃપણું હોવાના કારણે શરીરના સંબંધની અનુપપત્તિ છે. ‘દ્દિ’=જે કારણથી, જે આત્મા અદૃષ્ટનો વિધાતા છે તે તદ્ નિર્વર્તિત શરીરની સાથે=અદૃષ્ટથી નિર્વર્તિત એવા શરીરની સાથે, સંબંધિત થાય છે એ રીતે=અદૃષ્ટનો વિધાતા આત્મા છે એ રીતે, મન નથી અને મનનો શરીર સાથે સંબંધ હોવા છતાં પણ તત્કૃત સુખદુ:ખભોક્તપણું નથી=મનનું સુખ-દુઃખભોક્તપણું નથી; કેમ કે આત્મામાં જ તેના=સુખ-દુઃખના, ભોક્તાપણાનો સ્વીકાર છે. અને તેના માટે=સુખ-દુઃખના ભોગ માટે, શરીરનો સંબંધ સ્વીકારાય છે એથી, મનના તેના સંબંધનું પરિકલ્પન=મનના દેહની સાથેના સંબંધનું પરિકલ્પન, વ્યર્થ છે અથવા મનમાં સુખ-દુઃખના ઉપભોક્તત્વનો સ્વીકાર કરાયે છતે આત્માની કલ્પના વ્યર્થ છે; કેમ કે મનના આત્મત્વની સિદ્ધિ છે. ।।૧/૧૭। ભાવાર્થ : અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે દેહ અંતર્વર્તી એવો આત્મા પણ દ્રવ્ય અને પર્યાય ઉભય સ્વરૂપ જ છે, પરંતુ માત્ર દ્રવ્યસ્વરૂપ આત્મા નથી કે માત્ર પર્યાયસ્વરૂપ આત્મા નથી. જો આત્માને માત્ર દ્રવ્યસ્વરૂપ સ્વીકા૨વામાં આવે તો આત્મા કોઈ પર્યાયના વિકારવાળો નથી, પરંતુ સદા અવિચલિત એક સ્વરૂપવાળો છે તેમ માનવું પડે. અને જો તેમ સ્વીકારીએ તો આત્મામાં સંસાર ઘટતો નથી. કેમ સંસાર ઘટતો નથી ? સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સંસાર શબ્દનો અર્થ થાય છે કે એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં સંસ્કૃતિ. આ સંસ્કૃતિ બે રીતે પ્રાપ્ત થાય છે : વર્તમાન ભવમાં જીવ બાલ અવસ્થામાંથી યુવાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે આત્માની એક ભાવથી અન્ય ભાવમાં સંસ્કૃતિ થાય છે અને આત્મા એક ભવથી અન્ય ભવમાં જાય છે ત્યારે વર્તમાન ભવના ત્યાગથી અન્ય ભવના સ્વીકારરૂપ સંસ્કૃતિ થાય છે. હવે જો આત્માને માત્ર દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી એકાંતનિત્ય સ્વીકારવામાં આવે તો ત્રિકાળવર્તી આત્મા અવિચલિત એકસ્વરૂપવાળો છે તેમ સ્વીકારવું પડે. અને જો તેમ સ્વીકારીએ તો એક ગતિમાંથી અન્ય ગતિમાં જવારૂપ સંકૃતિ આત્માને ઘટે નહીં અને બાલભાવમાંથી યુવાનભાવની પ્રાપ્તિરૂપ સંસ્કૃતિ પણ આત્મામાં ઘટે નહીં. તેથી આત્મા માત્ર દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ નથી તેમ સ્વીકારી શકાય નહીં. વળી, આત્માને દ્રવ્યરૂપે સ્વીકારવામાં ન આવે અને માત્ર પર્યાયરૂપે સ્વીકારવામાં આવે તોપણ સંસાર ઘટે નહીં તે બતાવવા કહે છે જો એકાંત પર્યાયનયની દૃષ્ટિથી આત્માને એકાંતક્ષણિક સ્વીકારવામાં આવે તો ઉત્પત્તિ પછી અન્વયીદ્રવ્ય વગર ધ્વંસરૂપ આત્માનો ઉચ્છેદ પ્રાપ્ત થાય, તેથી આત્મામાં સંસ્કૃતિરૂપ સંસાર ઘટે નહીં; કેમ કે કથંચિદ્ અન્વયી એવા દ્રવ્ય વગર એકભવમાંથી અન્ય ભવમાં ગમનરૂપ સંસાર સંભવે નહીં અર્થાત્ આ ભવમાં જે છે તે અહીં નાશ પામે છે, અન્ય ભવમાં જે છે તે અન્ય ઉત્પન્ન થાય છે તેમ કહીએ તો આ ભવના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy