SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૭ ભાવાર્થ : અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ બાહ્ય દેખાતા ઘટાદિ વસ્તુને ગ્રહણ કરીને સ્થાપન કર્યું કે પદાર્થ દ્રવ્યપર્યાય ઉભયસ્વરૂપ છે, પરંતુ કોઈ બાહ્ય ઘટાદિ પદાર્થ માત્ર દ્રવ્યરૂપ કે માત્ર પર્યાયરૂપ નથી. માટે તે પદાર્થને જોનારી નયની દૃષ્ટિ બે પ્રકારની છે : દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય. તેથી દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ પદાર્થને પૂર્ણરૂપે જોનારી જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયરૂપ પ્રમાણની દૃષ્ટિ તેનાથી ઘટાદિ પદાર્થોનું ગ્રાહ્યપણું હોવાના કારણે બાહ્ય ઘટાદિ પદાર્થો દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. જેમ બાહ્ય પદાર્થો દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે તેમ દેહ અંતર્વર્તી એવો સંસારી જીવનો આત્મા પણ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે; કેમ કે સંસારી જીવોને હર્ષ, શોક, ભય આદિના અનુભવો છે. વળી, યોગમાર્ગમાં પ્રવૃત્ત એવા યોગીઓને દુઃખી પ્રત્યે કરુણા અને સંસારના ભાવો પ્રત્યે ઔદાસીજનો અનુભવ થાય છે. આ સર્વ અનેક આકારના વિવર્તસ્વરૂપ એકચેતનાનો અનુભવ છે જે દ્રવ્યના સ્વરૂપનો અનુભવ છે; કેમ કે હર્ષ-શોકાદિ સર્વ વિવર્તામાં એક ચેતનાનું સ્વસંવેદનસિદ્ધપણું છે. વળી, એકચેતનાત્મક હર્ષાદિ અનેક વિકારો અનેકાત્મક પણ છે તેમ પણ સર્વને પ્રતીત છે. તેથી દેહ અંતર્વર્તી પોતાનો આત્મા ચેતનાસ્વરૂપે એક છે અને હર્ષ-શોકાદિ પર્યાયરૂપે અનેક છે. માટે શરીરવર્તી આત્મા પણ દ્રવ્યસ્વરૂપે એક અને પર્યાયસ્વરૂપે અનેક એમ ઉભયાત્મક છે તેમ સ્વીકારવું જોઈએ. વળી આત્માને એક-અનેકાત્મક ન સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે હર્ષ શોકાદિથી આત્મા અભિન્ન છે માટે આત્માથી અતિરિક્ત હર્ષ-શોકાદિ નથી તેમ એકાન્ત સ્થાપન કરવામાં આવે તો માત્ર દ્રવ્યરૂપ પદાર્થની સિદ્ધિ થાય. અથવા આત્માથી હર્ષ-શોકાદિ પર્યાયો એકાન્ત ભિન્ન છે તેમ સ્વીકારીને અનુભવાતા હર્ષાદિ પર્યાયોનો ભેદ સ્વીકારવામાં આવે તો દ્રવ્ય અને પર્યાય ઉભય ભિન્ન સિદ્ધ થાય, પરંતુ દ્રવ્ય-પર્યાયરૂપ એક પદાર્થ સિદ્ધ થાય નહીં અને તેમ સિદ્ધ થાય તો લોકોમાં દૃષ્ટ-અદૃષ્ટ વિષયવાળા સુખના સાધનોના સ્વીકારનો અને દુઃખના સાધનોના પરિવારનો જે વ્યવહાર દેખાય છે તે સંગત થાય નહીં; કેમ કે “દરેકનો આત્મા પોતાને જે ઇષ્ટ દેખાય છે તેના સાધનમાં પ્રવૃત્તિ કરે છે અને જે અનિષ્ટ દેખાય છે તેના સાધનની નિવૃત્તિમાં પ્રયત્ન કરે છે” તેનું કારણ પોતાને પોતાનો આત્મા પોતાના ભાવોમાં અનુગત છે માટે ભાવિમાં પણ હું છું તેવી પ્રતીતિ છે અને વર્તમાનના પ્રયત્નથી મને ભાવિમાં સુખ થશે કે ભાવિમાં દુઃખની નિવૃત્તિ થશે તેવી પણ પ્રતીતિ છે. તેથી તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને તે પ્રતીતિથી જણાય છે કે અનુગત એવો પોતાનો આત્મા તે તે સુખના પર્યાયની પ્રાપ્તિ અર્થે અને તે તે દુઃખના પર્યાયની નિવૃત્તિ અર્થે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે. માટે અનુભવ અનુસાર દેહ અંતર્વર્તી પોતાનો આત્મા પણ દ્રવ્યસ્વરૂપે એક અને પર્યાયસ્વરૂપે અનેક છે એમ ઉભયાત્મક છે તે પ્રતિપાદન કરવા માટે કહે છે – ગાથા : ण य दवट्ठियपक्खे संसारो णेव पज्जवणयस्स । सासयवियत्तिवायी जम्हा उच्छेअवाई आ ।।१/१७।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy