SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૬, ૧૭ દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના કથનનો પ્રરૂપક કોઈ નય હોય તો સિદ્ધ થાય કે તે નયના વિષય દ્રવ્ય અને પર્યાય છે અને સંગ્રહાદિમાંથી બાકીના નયો તેનાથી અન્ય વિષયને કહે છે, પરંતુ વસ્તુસ્થિતિરૂપે દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનય જે કહે છે તે જ વસ્તુને સંગ્રહાદિ સર્વ નયો કહે છે. ફક્ત દ્રવ્યાસ્તિકનયના વિષયમાત્રને ગ્રહણ કરીને સંગ્રહનય પ્રવૃત્ત થયો છે અને કાંઈક પર્યાયાસ્તિકનયના વિષયથી અધિક દ્રવ્યને ગ્રહણ કરીને ઉત્તરનો નય પ્રવર્તે છે. તેનાથી અધિક પર્યાયાસ્તિકનયના વિષયથી વિશિષ્ટ દ્રવ્યને ગ્રહણ કરીને ઉત્તરનો નય પ્રવર્તે છે. આ રીતે થાવ એવંભૂતનય સુધીના નયો પ્રવર્તે છે. તેથી સંગ્રહાય શુદ્ધદ્રવ્યનો વિષય બન્યો, એવંભૂતનય શુદ્ધ પર્યાયનો વિષય બન્યો અને અવાંતર સર્વ નયો કાંઈક દ્રવ્ય અને કાંઈક પર્યાય યુક્ત બન્યા. તેથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયનો વિસ્તારથી બોધ સાત નયો કરાવે છે. આથી સંગ્રહાદિ સાતેય નયો પરસ્પરના અત્યાગથી પ્રવૃત્ત સામાન્યવિશેષના વિષયને ગ્રહણ કરનારા છે અને તેવા સંગ્રહાદિ સ્વરૂપ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નયદ્વય છે અને તે નયદ્રયથી દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુનો બોધ થાય છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. માટે વાસ્તુ દ્રવ્ય અને પર્યાયરૂપ ઉભયસ્વરૂપ છે. I/૧/૧ અવતરણિકા : न केवलं बाह्यघटादिवस्तु उभयात्मकं तथाविधप्रमाणग्राह्यत्वात् किन्त्वान्तरमपि हर्षशोकभयकरुणौदासीन्याद्यनेकाकारविवर्तात्मकैकचेतनास्वरूपम् तदात्मकहर्षाद्यनेकविकारानेकात्मकं च स्वसंवेदनाध्यक्षप्रतीतम्, तस्य भेदाभेदैकान्तैकरूपताभ्युपगमे दृष्टाऽदृष्टविषयसुखदुःखसाधनस्वीकारत्यागार्थप्रवृत्तिनिवृत्तिस्वरूपसकलव्यवहारोच्छेदप्रसक्तिरिति प्रतिपादयितुमाह - અવતરણિકાર્ય : તેવા પ્રકારના પ્રમાણથી ગ્રાહ્યપણું હોવાના કારણે=પદાર્થના દ્રવ્ય-પર્યાયાત્મક પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરે તેવા પ્રમાણથી ગ્રાહ્યપણું હોવાના કારણે, કેવલ બાહ્ય ઘટાદિ વસ્તુ ઉભયાત્મક નથી દ્રવ્યપર્યાય સ્વરૂપાત્મક નથી, પરંતુ અંતરંગ પણ હર્ષ-શોક-ભય-કરુણા-દાસીત્યાદિ અનેક આકારના વિવર્તાત્મક એક ચેતના સ્વરૂપ અને તાદાત્મક-એક ચેતનાત્મક, હર્ષાદિ અનેક વિકારને કારણે અનેકાત્મક સ્વસંવેદના અધ્યક્ષથી પ્રતીત છે=અંતરંગ પણ વસ્તુ એક-અનેક આત્મક સ્વસંવેદનથી પ્રત્યક્ષ પ્રતીત છે. તેની=અંતરંગ વસ્તુની, ભેદભેદ એકાત એકરૂપતા સ્વીકાર કરાયે છતે “એક ચેતનાનો વિકારોથી એકાંત ભેદ છે કે એક ચેતનાનો હર્ષાદિ વિકારોથી અભેદ છે” એ રૂપ એકાંતભેદ અથવા એકાંતઅભેદ સ્વીકાર કરાયે છતે, દષ્ટ-અદૃષ્ટ વિષયક સુખ-દુ:ખના સાધનના સ્વીકાર માટે અને ત્યાગ માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિસ્વરૂપ જે સકલ વ્યવહાર છે તેના ઉચ્છેદની પ્રસક્તિ છે અર્થાત્ આલોકના અને પરલોકના સુખના સાધનોના સ્વીકાર માટેની પ્રવૃત્તિસ્વરૂપ વ્યવહાર છે અને દુઃખના સાધનોના ત્યાગ માટેની નિવૃત્તિસ્વરૂપ વ્યવહાર છે તેના ઉચ્છેદની આપત્તિ છે. એ પ્રકારે પ્રતિપાદન કરવા માટે કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy