SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫-૧૬ કોઈપણ નય પોતાના વિષયથી અન્ય નયના વિષય નિરપેક્ષ પોતાનો વિષય સ્વીકારે તો તે દુર્નય છે તેમ કેમ કહી શકાય ? અર્થાત્ તે સાતેય નયોનો સ્વતંત્ર વિષય છે માટે સાતેય નયો પોતપોતાનો વિષયમાત્ર સ્વીકારે તો તેને મિથ્યાદૃષ્ટિ કહી શકાય નહીં. તેના નિરાકરણ માટે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – તે નૈગમાદિ સર્વ નયો દ્રવાસ્તિક અને પર્યાયાસ્તિક મૂળનયોથી પરિચ્છિન્ન વસ્તુમાં જ વ્યાપારવાળા છે, તેથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી વ્યતિરિક્ત જગતમાં કોઈ અન્ય વિષય નથી માટે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયભૂત જે દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુ છે તેને અવલંબીને સર્વ નયો પ્રવર્તતા હોય; છતાં તે સર્વ નયો પોતપોતાના વિષયથી ઇતર નયના વિષયનો અપલાપ કરે તો તેવો વિષય જગતમાં કોઈ નથી, એમ જ પ્રાપ્ત થાય. માટે તે સર્વ નો મિથ્યાષ્ટિ બને. વસ્તુતઃ દ્રવ્યાસ્તિકનય સામાન્યને ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકનય વિશેષને ગ્રહણ કરે છે અને તે જ વિષયને સાત નવો ગ્રહણ કરે છે, ફક્ત અંતિમ સામાન્યને પ્રથમ નય ગ્રહણ કરે છે તે અપેક્ષાએ ઉત્તરના નયો કાંઈક વિશેષને ગ્રહણ કરે છે તોપણ તે વિશેષ તેના ઉત્તર નયની અપેક્ષાએ સામાન્યરૂપ છે. તેથી તે નય સામાન્યવિશેષ ઉભયને ગ્રહણ કરનાર બને છે આમ છતાં તે નય અન્ય સર્વ નયોના વક્તવ્ય નિરપેક્ષ પોતાનું સ્વીકારેલું એવું સામાન્યવિશેષ સ્વીકારે તો જગતમાં તેવું સામાન્યવિશેષરૂપ કોઈ વસ્તુ નથી, માટે તે નય મિાદષ્ટિ બને છે. જેમ ઘટત્વસામાન્યને કહેનાર દૃષ્ટિ ઘટવને સ્વીકારે તે ઘટત્વ બધા ઘટમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે અને ઘટથી ઇતરમાં નથી માટે વિશેષરૂપ છે અને આવા સામાન્યવિશેષને સ્વીકારનાર નય દૃષ્ટિ ઇતર નયના વિષયનો અસ્વીકાર કરીને માત્ર પોતાના નયનું સ્થાપન કરે તો સત્તાને સ્વીકારનાર જે સામાન્યગ્રાહી નય તેના નિરપેક્ષ ઘટવનો સ્વીકાર થાય અને સર્વ દ્રવ્યમાં અનુગત એવા અસ્તિત્વરૂપ સત્તા નિરપેક્ષ એવું ઘટવ પ્રસ્તુત ઘટમાં નથી, પરંતુ જેમ ઘટત પ્રસ્તુત ઘટમાં છે તેમ અસ્તિત્વ પણ પ્રસ્તુત ઘટમાં છે તેનો અપલોપ થવાથી ઘટત્વને સ્વીકારનાર નયદૃષ્ટિ અન્ય નય નિરપેક્ષ બને છે, માટે મિથ્યાદૃષ્ટિ બને છે તેમ ઘટરૂપ વસ્તુને જોવાની દૃષ્ટિઓ સાતે નયની છે. જે સાતે નયથી ઘટને જોવામાં આવે તો ઘટરૂપ વસ્તુને પરિપૂર્ણ બોધ થાય છે છતાં તેને બદલે કોઈ એક ન માત્રથી કે બે આદિ નયષ્ટિથી ઘટને જોવામાં આવે અને અન્ય નયોથી દેખાતા પણ ઘટના સ્વરૂપનો અપલાપ કરવામાં આવે તો તેવો ઘટ જગતમાં નથી. માટે તે નયોની દૃષ્ટિના વિષયભૂત પદાર્થ જગતમાં નહીં હોવાથી તે નયો મિથ્યાષ્ટિ બને છે. I૧/૧૫ અવતરણિકા - ननु सङ्ग्रहादिनयसद्भावात् कथं तद्व्यतिरिक्तनयान्तराभावः? सत्यम्, सन्ति सङ्ग्रहादयः किन्तु तद्विषयव्यतिरिक्तविषयान्तराभावतस्तद्वितयविषयास्तेऽपि तदूषणेनैव दूषिताः यतो न मूलच्छेदे तच्छाखास्तदवस्थाः संभवन्तीत्याह - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy