SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫ પ૭ ત્યાં પ્રશ્ન થાય કે નૈગમાદિ સાત નયો દ્રવ્યાસ્તિકનયથી અને પર્યાયાસ્તિકનયથી અન્ય અન્ય વિષયને દેખાડનારા સ્પષ્ટ દેખાય છે, તેથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી વ્યતિરિક્ત વિષયાંતર જગતમાં નથી, તેમ કેમ કહી શકાય ? તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે – અને સર્વ નયવાદોનું તેગમાદિ સર્વ નયવાદોનું, સામાન્ય વિશેષ ઉભય એકાત્તવિષયપણું છે=પૂર્વનય જે ગ્રહણ કરે છે તેનાથી ઉત્તરનો તય વિશેષ ગ્રહણ કરે છે તો પણ તેના ઉત્તરના નયથી તે વિશેષ સામાન્યરૂપ છે, તેથી પ્રથમ અને અંતિમ નયને છોડીને વચલા સર્વ તયો સામાન્ય વિશેષ ઉભયનો એકાંત વિષય કરનાર છે, તેથી સર્વ નયોનું ઉભયએકાંતવિષયપણું છે. ફક્ત પ્રથમ વય માત્ર સામાન્ય ગ્રહણ કરનાર છે અને અંતિમ તય માત્ર વિશેષને ગ્રહણ કરનાર છે. અને દ્રવ્યાસિકાય સામાન્ય ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકતય વિશેષતે ગ્રહણ કરે છે. તેથી સર્વ નયવાદોનો વિષય દ્રવ્યાસ્તિકતયતા અને પર્યાયાસ્તિકાયના વિષયથી અન્ય વિષય નથી, એ પ્રકારે યોજન કરવું. તે કારણથી દ્રવ્યાકિનયતા અને પર્યાયાસિકનયના સામાન્ય વિશેષરૂપ વિષયથી અન્ય વિષય જગતમાં નથી તે કારણથી, તયાારનો સદ્ભાવ થી દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકતય કરતાં સામાન્ય વિશેષ ઉભય ગ્રાહતરૂપ ત્રીજા નયનો સદ્ભાવ નથી, જેનાથી=સામાન્ય વિશેષ ઉભયગ્રાહી એવા નયાત્તારના સદ્દભાવથી, તદ્ આરબ્ધ ઉભયવાદમાં=નયાન્તરના સભાવવાળા એવા ત્રીજા તયથી આરબ્ધ ઉભયવાદમાં, તયાન્તર થાય=દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકનયથી અવ્ય એવો પરસ્પર સાપેક્ષ ઉભયગ્રાહી તય થાય. I૧/૧૫ ભાવાર્થ ગાથા-૧૩માં કહ્યું એ પ્રમાણે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયરૂપ મૂળ નયો પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યને અને પર્યાયને ગ્રહણ કરનારા બને તો તે મિથ્યાષ્ટિ છે; કેમ કે જગતમાં દરેક પદાર્થો દ્રવ્ય અને પર્યાયરૂ૫ છે માત્ર દ્રવ્યરૂપ કોઈ પદાર્થ નથી કે માત્ર પર્યાયરૂપ કોઈ પદાર્થ નથી; આમ છતાં દ્રવ્યાસ્તિકનય પર્યાય નિરપેક્ષ માત્ર દ્રવ્યને ગ્રહણ કરે અને પર્યાયાસ્તિકનય દ્રવ્ય નિરપેક્ષ માત્ર પર્યાયને ગ્રહણ કરે તો તે નયના વિષયભૂત પદાર્થ જગતમાં નહીં હોવાથી તે બન્ને નયો મિથ્યાદૃષ્ટિ છે. આ પ્રમાણે અન્ય સર્વ નયો પણ=નૈગમાદિ સર્વ નયો પણ, ઇતર નિરપેક્ષરૂપે પોતાના પદાર્થ કહેતાં હોય તો તે દુર્નયો છે અર્થાત્ નૈગમાદિ સાતેય નયોમાંથી કોઈ પણ નય પોતાનો વિષય કહેતો હોય ત્યારે પોતાનાથી અન્ય એવા છે નયોના વિષયની અપેક્ષા રાખીને પોતાના સ્થાનમાં પોતાનો વિષય કહે તો અન્ય નય સાપેક્ષ બને, પરંતુ નૈગમાદિ કોઈપણ નય ઇતર નયના વિષયનો અસ્વીકાર કરીને માત્ર પોતાના નયનો વિષય સ્થાપન કરે તો તેવો વિષય જગતમાં નહીં હોવાથી તે નય દર્નય બને. માટે અન્યોન્ય નિરપેક્ષ એવા સાતેય નમો દુર્નય છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક મૂળનય અન્યોન્ય નિરપેક્ષ હોય તો તે મિથ્યાદૃષ્ટિ બને; કેમ કે માત્ર દ્રવ્ય અને માત્ર પર્યાયરૂપ વસ્તુ નથી તેમ કહી શકાય, પરંતુ નૈગમાદિ સાતેય નયોમાંથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy