SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૩ ટીકાર્ય : તે .| આaઉત્પાદ આદિઃઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, સંગ્રહથી શિબિકા વહન કરનારા પુરુષોની જેમ પરસ્પર સ્વરૂપના ઉપાદાનથી, જ લક્ષણ છે=દ્રવ્યનું લક્ષણ છે. અહીં લક્ષણ શબ્દ ગાથા-૧૨માંથી અનુવૃત્તિરૂપે પ્રાપ્ત છે. પવિ=પ્રત્યેકઃઉત્પાદાદિ એકેક, બન્નેનું પણ દ્રવ્યાસિક પર્યાયાસ્તિક બન્નેનું પણ, અલક્ષણ છે. કેમ બન્નેનું પ્રત્યેક અલક્ષણ છે ? તેમાં હેતુ કહે છે – ઉક્તવતપૂર્વમાં કહ્યું એમ, તેવા પ્રકારના વિષયના અભાવમાં દ્રવ્ય અને પર્યાય પૃથફ પ્રાપ્ત થાય તેવા પ્રકારના વિષયના અભાવમાં, તથાભૂત તેના ગ્રાહકનો પણ અભાવ છે દ્રવ્ય અને પર્યાયની પૃથફ પ્રાપ્તિ થાય તેવા પ્રકારના દ્રવ્ય અને પર્યાયના ગ્રાહક એવા દ્રવ્યાસિકનયનો અને પર્યાયાસિકનયનો પણ અભાવ છે, અને પરસ્પર વિવિક્તરૂપ એવા ઉત્પાદાદિનો અસંભવ છે, તે કારણથી બને પણ આ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાયરૂપ મૂળાયો=સમસ્ત તયરાશિના કારણભૂત મૂળનયો, પ્રત્યેક=પરસ્પર વિવિક્ત, મિથ્યાષ્ટિ જ છે. II૧/૧૩મા ભાવાર્થ : જેમ શિબિકાને વહન કરનાર અને પુરુષ પરસ્પર એકબીજાના ઉપષ્ટભક થઈને શિબિકાને વહન કરે છે, તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર સંલગ્ન થઈને દ્રવ્યના અસ્તિત્વના વ્યવસ્થાપક છે અર્થાત્ કોઈ પણ ઘટ-પટ આદિ વસ્તુ કોઈક રીતે ઉત્પાદ પામે છે ત્યારે પૂર્વની અવસ્થાથી વ્યય પામે છે અને તે બન્ને અવસ્થામાં અન્વયી પણ કોઈક વસ્તુ છે, તેથી પરસ્પર એકબીજા સાથે સંલગ્ન જ એવા ઉત્પાદાદિ ત્રણ તે દ્રવ્યના અસ્તિત્વને બતાવે છે. વળી, ઉત્પાદાદિ ત્રણેય પૃથ– ગ્રહણ કરીએ તો દ્રવાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયોના તે લક્ષણ બનતા નથી; કેમ કે અન્વયી દ્રવ્ય ન હોય તેવા ઉત્પાદ-નાશ પ્રાપ્ત થતા નથી અને ઉત્પાદ-નાશ ન હોય તેવું અન્વયી દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. તેથી અન્વયી વગરના ઉત્પાદ-વ્યય અને ઉત્પાદ-વ્યય વગરના અન્વયી એવી વસ્તુનો જગતમાં અભાવ છે. જે વિષય જગતમાં ન હોય તેવા વિષયને ગ્રહણ કરનારી એવી દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિનો પણ અભાવ છે માટે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના પૃથભૂત ઉત્પાદાદિ લક્ષણ નથી. તેથી પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકન અને પર્યાયાસ્તિકનય બને નયો મિથ્યાદૃષ્ટિ જ છે; કેમ કે તેવો વિષય જગતમાં નથી છતાં તે પ્રકારે “માત્ર દ્રવ્ય જ છે” કે “માત્ર પર્યાય જ છે' તેમ કહે છે અને દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયો ભગવાનના શાસનમાં પ્રસિદ્ધ સર્વ નયોના કારણભૂત છે. I૧/૧૩ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy