SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૧ થાય છે અને નાશ પામે છે, ફ્ર=દ્રવ્યાર્ષિકાયની દૃષ્ટિથી, સવં=સર્વ વસ્તુ, સવા=સદા ગgપન્નવાઝું અનુત્પન્ન અવિષ્ટ છે. ૧/૧૧/L. ગાથાર્થ : પર્યાયાર્થિકનયની દષ્ટિથી ભાવો નિયમથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, કવ્યાર્થિકનયની દષ્ટિથી સર્વ વસ્તુ સદા અનુત્પન્ન અવિનષ્ટ છે. II૧/૧૧/l ટીકા : उत्पद्यन्ते प्रागभूत्वा भवन्ति, विशेषेण निरन्वयरूपतया, गच्छन्ति-नाशमनुभवन्ति, भावाः पदार्थाः, नियमेन इत्यवधारणे पर्यायनयस्य मतेन, प्रतिक्षणमुत्पादविनाशस्वभावा एव भावाः पर्यायनयस्याभिमताः, द्रव्यार्थिकस्य सर्वं वस्तु सदा अनुत्पन्नमविनष्टम् आकालं स्थितिस्वभावमेवेति मतम्, एतच्च नयद्वयस्याभिमतं वस्तु प्राक् प्रतिपादितमिति न पुनरुच्यते ।।१/११।। ટીકાર્ય : ઉત્પન્ન .... પુનરુચ્યતે | પર્યાયતયના મતથી ભાવો-પદાર્થો, નિયમથી ઉત્પન્ન થાય છે પૂર્વમાં જે નહોતા તે ઉત્પન્ન થાય છે અને વિશેષથી=નિરવયરૂપપણાથી લાશને પામે છે. તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પ્રતિક્ષણ ઉત્પાદ અને વિનાશ સ્વભાવવાળા પદાર્થો પર્યાયાર્થિકનયને અભિમત છે. સર્વ વસ્તુ સદા અનુત્પન્ન અને અવિનષ્ટ છે=આકાલ સ્થિતિસ્વભાવવાળું જ છે એ પ્રકારનો દ્રવ્યાર્થિકનયનો મત છે. અને આ તયયને અભિમત વસ્તુ પૂર્વમાં પ્રતિપાદન કરાયેલ છે, એથી ફરી કહેવાતું નથી. II૧/૧૧ાા. ભાવાર્થ : પર્યાયાર્થિકનય પુરોવર્સી પદાર્થના પરિવર્તન અંશને જોનારી દૃષ્ટિ છે, તેથી પર્યાયાર્થિકનયના ઉપયોગવાળા પુરુષને પ્રતિક્ષણ નવો ભાવ ઉત્પન્ન થતો દેખાય છે અને પૂર્વનો ભાવ નાશ થતો દેખાય છે, પરંતુ તે ઉત્પાદ અને નાશ વચ્ચે અન્વયી એવું દ્રવ્ય પર્યાયાર્થિકનયથી દેખાતું નથી, માટે પર્યાયાર્થિકનયની દૃષ્ટિનો વિષય પ્રતિક્ષણ થતો ઉત્પાદ અને વિનાશ છે. વળી, દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ પરિવર્તન થતા પણ પદાર્થને જોવા પ્રત્યે ઉપેક્ષા કરીને ત્રણેય કાળમાં અવસ્થિત રહેલા દ્રવ્યને જોનારી દૃષ્ટિ છે. તેથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુ સદા અનુત્પન્ન અવિનષ્ટ એવી આકાલ સ્થિતિસ્વભાવવાળી દેખાય છે. જેમ પોતાનો આત્મા નવા નવા ભવોને પ્રાપ્ત કરે છે તોપણ આત્મદ્રવ્ય ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે એમ જ દેખાય છે. તેથી એકાંતથી જોનારા બન્ને નયો મિથ્થારૂપ છે, એમ પૂર્વમાં કહેલ છે તેથી ફરી ટીકાકારશ્રી કહેતાં નથી. II૧/૧૧ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy