SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦, ૧૧ વળી, સમ્યગ્દષ્ટિ જીવો ભોગ કરે છે ત્યારે ભોગની ઇચ્છા અને કંઈક પ્રમાદ અંશ વર્તે છે તે અંશથી તેનો ભોગ નિંદેલ છે, તોપણ નિર્વિકારી સુખના અર્થી હોવાથી ભોગના સંસ્કારો વૃદ્ધિ ન પામે તે પ્રકારે સકંપ ભોગ કરે છે, જેનાથી ભોગની ઇચ્છા શાંત થાય છે, પરંતુ ભોગની ઇચ્છાની વૃદ્ધિ થતી નથી. તે અંશથી તેઓના કામપુરુષાર્થની આરાધના દુર્લભ છે તેમ કહીને તેઓની પ્રશંસા પણ કરેલ છે. આથી જ અજિતશાંતિસ્તોત્રમાં “નવય...' ઇત્યાદિ ગાથાથી શ્રી શાંતિનાથ ભગવાનના ચક્રવર્તીપણાની સ્તુતિ કરેલ છે, તેથી તે તે ધર્મ અવચ્છેદન ભોગ વિકારરૂપ હોવાથી નિંદ્ય છે અને તે તે ધર્મ અવચ્છેદન ભોગ વિકારના શમન દ્વારા સ્વાથ્યનું કારણ હોવાથી પ્રશંસનીય છે, છતાં જેઓને અર્થ-કામ એકાંતે હેય જણાય છે કે એકાંતે ઉપાદેય જણાય છે, તેઓ પર્યાયનિરપેક્ષ દ્રવ્યને જોનારા હોવાથી તેઓના જ્ઞાનના વિષયભૂત તેવા ભોગાદિ પદાર્થો જગતમાં નથી. તેથી તેઓનો એકાંતવાદ મિથ્થારૂપ છે. I૧/૧ના અવતરણિકા : कल्पनाव्यवस्थापितपर्यायास्तिकद्रव्यास्तिकयोरेवंलक्षणप्रदर्शितस्वरूपयोमिथ्यारूपताप्रतिपत्तिः सुकरा भविष्यतीत्याह - અવતરણિતાર્થ : આવા લક્ષણથી પ્રદર્શિત સ્વરૂપવાળા-ગાથા-૮માં બતાવ્યું એવા લક્ષણથી પ્રદર્શિત સ્વરૂપવાળા, કલ્પનાથી સ્થાપિત એવા પર્યાયાસિક-દ્રવ્યાસ્તિકતયની=એક પદાર્થમાં બન્ને પ્રતિભાસમાન હોવા છતાં કલ્પનાથી પૃથરૂપે વ્યવસ્થાપિત પર્યાયાસ્તિકનયતી અને દ્રવ્યાસિકનયની, મિથ્થારૂપતાની પ્રતિપતિદ્રવ્યાકિનયની દૃષ્ટિથી પર્યાયાસ્તિકાયનું વક્તવ્ય મિથ્થારૂપ છે અને પર્યાયાસ્તિકનયથી દૃષ્ટિથી દ્રવ્યાસિકનયનું વક્તવ્ય મિથ્થારૂપ છે, એ પ્રકારની મિથ્થારૂપતાની પ્રતિપતિ, સુકર થશે=સંગત થશે. એને કહે છે – ગાથા : उप(प्प)ज्जंति वियंति य भावा नियमेण पज्जवणयस्स । दव्वट्ठियस्स सव्वं सया अणुप्पन्नमविणटुं ।।१/११।। છાયા : उत्पद्यन्ते विपद्यन्ते च भावाः नियमेन पर्यायनयस्य । द्रव्यार्थिकस्य सर्वं सदा अनुत्पन्नमविनष्टं ।।१/११।। અન્વયાર્થ : પન્નવર્સિ -પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી, માવા=ભાવો નિયમે=નિયમથી ૩પન્નતિ વિયંતિ–ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy