SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ ૪૫ ત્યારે પુરોવર્તી વસ્તુ તેને દ્રવ્યરૂપે જ દેખાય છે, પર્યાયરૂપે દેખાતી નથી, કેમ કે દ્રવ્યને જોનારી દૃષ્ટિનો વિષય દ્રવ્ય જ છે, પર્યાય નથી. માટે દ્રવ્યાર્થિકનયને જોવાની માત્ર વિવલાથી વ્યાપારવાળા પુરુપને દ્રવ્ય સત્ય જણાય છે અને પર્યાય મિથ્યા જણાય છે; કેમ કે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી પર્યાય દ્રવ્યથી ભિન્નરૂપ જણાતા નથી અને તે જ પુરુષ જ્યારે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પદાર્થને જોવા માટે વ્યાપારવાળો બને છે ત્યારે તેને પુરોવર્તી વસ્તુમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયો જ દેખાય છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પર્યાયથી અતિરિક્ત દ્રવ્ય નથી તેમ જ દેખાય છે. માટે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી અવયીરૂપ દ્રવ્ય અવસ્તુરૂપે જણાય છે. તેથી બને નયો પોતાના વિષયને સ્વીકારીને વસ્તુ સર્વથા દ્રવ્યરૂપ કે સર્વથા પર્યાયરૂપ સ્થાપન કરે છે તે મિથ્યા છે, પરંતુ ગૌણમુખ્યભાવની વિવક્ષારૂપ ભજનાથી દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો આ પ્રકારનો ભેદ છે તેમ સ્વીકારીએ તો જ બન્ને નયો સત્ય થાય, અન્યથા બન્ને નયો જે સ્થાપન કરે છે તે મિથ્યા છે. દ્રવ્યાસ્તિકનયનો વિષય પર્યાય વગર નથી અને પર્યાયાસ્તિકનયનો વિષય દ્રવ્ય વગર નથી, પરંતુ પદાર્થ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, તેમ અર્થ-કામ સામાન્ય અને અર્થ-કામ વિશેષ છે એ રીતે વિભાગ કરીએ તો અર્થ-કામસામાન્ય પ્રવાસ્તિકનયનો વિષય છે અને અર્થ-કામવિશેષ પર્યાયાસ્તિકનયનો વિષય છે. આથી અર્થ-કામસામાન્યને ગ્રહણ કરીને આત્માના વિકારરૂપ હોવાથી અર્થ-કામ હેય છે એમ કહેવાય છે. વળી, અર્થ-કામવિશેષને ગ્રહણ કરીને કોઈક અંશથી અર્થ-કામને હેય કહેવાય છે અને કોઈક અંશથી ઉપાદેય પણ કહેવાય છે આથી જ ધર્મથી નિયંત્રિત અર્થ-કામ ચિત્તની સમાધિના કારણ હોવાથી ધર્મ, અર્થ અને કામરૂપ પુરુષાર્થની આરાધના દુર્લભ છે તેમ યોગબિંદુ ગ્રંથમાં પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહેલ છે. તેથી એ ફલિત થાય કે જે પ્રવૃત્તિથી વિકારો શમે તે પ્રવૃત્તિ જીવ માટે ઉપાદેય છે, જેમ સંયમની પ્રવૃત્તિથી વિકારો શમે છે માટે સંયમ ઉપાદેય છે. તે રીતે જેઓને વિકારી સુખ અને નિર્વિકારી સુખનો સ્પષ્ટ બોધ છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો નિર્વિકારી સુખના અત્યંત અર્થી છે અને વિકારી સુખ તેઓને જીવની વિડંબના સ્વરૂપ દેખાય છે, તોપણ વિકારઆપાદક કર્મોનો ઉપશમ થયેલો નહીં હોવાથી અને બાહ્ય ત્યાગમાત્રથી ચિત્તમાં ઉત્પન્ન થયેલ ઇરછારૂપી વિકાર શમે તેમ નહીં હોવાથી સંવેગપૂર્વક વિકારોની વૃદ્ધિ ન થાય તે પ્રમાણે ત્રણલેપની જેમ ભોગ કરે છે ત્યારે ચિત્તમાં ઉત્પન્ન થયેલ ઇચ્છારૂપ વિકાર શાંત થાય છે તેથી સ્વસ્થતાનું સુખ મળે છે. આથી જ જ્યારે કંઈક ભોગો પછી તેઓને ભોગની ઇચ્છા શમે છે ત્યારે સંયમ ગ્રહણ કરીને સંપૂર્ણ નિર્વિકારી સુખ માટે તેઓ સંયમમાં ઉદ્યમ કરી શકે છે. આથી જ ભોગએકનાશ્ય કર્મવાળા તીર્થકરના જીવોને કામની ઇચ્છા થાય છે તે વિકારરૂપ હોવાથી “રાગની સઝાય'માં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ તેની નિંદા કરી છે. વળી, ભોગકાળમાં આક્ષેપક જ્ઞાન હોવાને કારણે વિકારના શમનને અનુકૂળ યત્ન તેઓનો હણાતો નથી તેથી “યતમાન યતિ' એ ન્યાયથી તેઓને “ભોગકાળમાં પણ યતિ છે' તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ કહેલ છે, જે તેઓની પ્રશંસા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy