SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ પ્રતિષેધ કરી શકે ? અને પ્રતિભાસમાન એવા પર્યાયને દ્રવ્યાર્થિકનય કઈ રીતે પ્રતિષેધ કરી શકે ? અર્થાત્ કરી શકે નહીં એમ કહેવું નહીં; કેમ કે પ્રતિભાસ અપ્રતિભાસનો બાધક છે, મિથ્યારૂપનો બાધક નથી; કેમ કે પ્રતિભાસ થતો હોવા છતાં મિથ્યારૂપનો પણ પ્રતિભાસ થઈ શકે છે. જેમ દૂરવર્તી પ્રતિભાસમાન વૃક્ષને જોઈને ત્યાં કાંઈ પ્રતિભાસમાન નથી તેવો બોધ થતો નથી, તેથી પ્રતિભાસ અપ્રતિભાસનો બાધક બને છે; આમ છતાં દૂરવર્તી વૃક્ષને જોનારા પુરુષને ‘આ પુરુષ છે’ એવું મિથ્યારૂપ પ્રતિભાસ થઈ શકે છે. તેમ પર્યાયાર્થિકનયને પણ દ્રવ્યાર્થિકનયનો વિષય મિથ્યારૂપે પ્રતિભાસ થઈ શકે છે, તેથી એકાંતથી પર્યાયને જોનારા કહે છે કે ‘મારા વડે દ્રવ્યનો પ્રતિભાસ નિષેધ કરાતો નથી; કેમ કે પુરોવર્તી રહેલી વસ્તુ દ્રવ્યરૂપે અનુભૂયમાન છે, પરંતુ વિશેષથી ભિન્નરૂપે દ્રવ્યનો અપ્રતિભાસ છે'. વળી, વિશેષથી અભિન્નરૂપે સ્વીકારવામાં આવે તો વ્યક્તિના સ્વરૂપની જેમ=પર્યાયરૂપ વ્યક્તિમાં પર્યાયનું સ્વરૂપ અન્વય પામે છે તેમ, દ્રવ્યના સ્વરૂપનો અન્વય નથી, પરંતુ અનન્વય છે=સર્વ પર્યાયોમાં દ્રવ્યનો અનન્વય છે; કેમ કે પ્રતિક્ષણ દેખાતી વસ્તુ પરિવર્તન જ પામતી દેખાય છે, સ્થિર વસ્તુ કોઈ દેખાતી નથી. ૪૪ વળી, વસ્તુ દ્રવ્યરૂપ પણ છે અને પર્યાયરૂપ પણ છે તેમ સ્વીકારવા માટે વસ્તુને સામાન્ય અને વિશેષરૂપે સ્વીકારવી પડે અને એક જ વસ્તુ વિશેષરૂપ અને સામાન્યરૂપ ઉભયસ્વરૂપે સ્વીકારવામાં વિરોધ છે. તેથી ગતિ અત્તરનો અભાવ છે=અન્વય નામનું દ્રવ્ય નથી તેમ સ્વીકાર્યા વગર બીજો ઉપાય નથી. માટે દ્રવ્યનો પ્રતિભાસ ત્યાં=પુરોવર્તી દેખાતા પદાર્થમાં, મિથ્યા છે. વળી, વિશેષનો પ્રતિભાસ અન્યથા છે-સમ્યગ્ છે; કેમ કે પ્રતિક્ષણ નવી અવસ્થાને પામવાસ્વરૂપ પર્યાયને સ્વીકા૨વામાં બાધકનો અભાવ છે. જે કારણથી પ્રતિક્ષણ વસ્તુની નિવૃત્તિથી નાશ અને ઉત્પત્તિરૂપ પર્યાયનું લક્ષણ વસ્તુમાં પ્રાપ્ત થાય છે, પરંતુ સ્થિતિની પ્રાપ્તિ નથી. વળી, ભજનાથી ઉત્થાપિત સ્વરૂપવાળો દ્રવ્યાર્થિકનય કહે છે અમારો પણ આ પ્રકારનો=જે પ્રકારનો પર્યાયાર્થિકનય સ્વીકાર કરે છે એ પ્રકારનો, સ્વીકાર છે. તે સ્વીકાર સ્પષ્ટ કરે છે - દ્રવ્યાર્થિકનય વિશેષના પ્રતિભાસનો પ્રતિક્ષેપ કરતો નથી, ફક્ત તેનું=વિશેષપ્રતિભાસનું, ભેદાભેદરૂપ ઉભય વિકલ્પથી બાધ્યમાનપણું હોવાથી=દ્રવ્યથી પર્યાયનો ભેદ છે એમ સ્વીકા૨વામાં બાધ છે અને દ્રવ્યથી પર્યાયનો અભેદ સ્વીકારવામાં દ્રવ્યથી અતિરિક્ત પર્યાયની પ્રતીતિનો બાધ છે, તેથી મિથ્યારૂપતા જ છે=પર્યાયના પ્રતિભાસની મિથ્યારૂપતા જ છે, વળી, અનુત્પાદ અવ્યય લક્ષણવાળા દ્રવ્યનો અભેદ પ્રતિભાસ છે માટે દ્રવ્યાર્થિકનયના વિષયનું સર્વદા અવસ્થિતપણું હોવાથી અબાધ્યમાનપણું છે માટે દ્રવ્યાર્થિકનય સત્ય છે. આ પ્રકારનો ટીકાનુસાર અર્થ કરવાથી એ ફલિત થયું કે જોનાર પુરુષને એક વસ્તુ ચક્ષુ સામે દેખાય છે તે વસ્તુ દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ છે છતાં જ્યારે તે પુરુષ દ્રવ્યની વિવક્ષા કરવાના વ્યાપારવાળો હોય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy