SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૦ પણ પ્રતિભાસ થાય છે તે આ પ્રમાણે – પર્યાયાસ્તિકતય કહે છે – મારા વડે દ્રવ્યનો પ્રતિભાસ નિષેધ કરાતો નથી; કેમ કે તેનું દ્રવ્યનું, અનુભૂયમાનપણું છે, પરંતુ વિશેષથી ભિન્નપણારૂપે દ્રવ્યનો અપ્રતિભાસ છે. વળી, અવ્યતિરેકમાં=વિશેષથી અવ્યતિરેક એવા દ્રવ્યમાં, વ્યક્તિના સ્વરૂપની જેમ=પર્યાયરૂપ વ્યક્તિમાં પર્યાયના સ્વરૂપની જેમ, તેનો દ્રવ્યનો, અનવય હોવાથી અને ઉભયરૂપતાનો અવયરૂપતા અને વ્યતિરેકરૂપતારૂપ ઉભયરૂપતાનો, એક સ્થાનમાં વિરોધ હોવાથી ગત્યંતરનો અભાવ હોવાના કારણે=પર્યાયથી અન્ય દ્રવ્ય નથી તેમ સ્વીકાર્યા વગર અનુભવની સંગતિનો અભાવ હોવાના કારણે, ત્યાં પુરોવર્સી દેખાતા પદાર્થમાં, દ્રવ્યનો પ્રતિભાસ-અનુગત પ્રતીતિ કરાવે તેવો દ્રવ્યનો પ્રતિભાસ, મિથ્યા જ છે. વળી, વિશેષનો પ્રતિભાસ અન્યથા છે–મિથ્યાથી અન્ય સગર્ છે; કેમ કે બાધકનો અભાવ છે. જે કારણથી પ્રતિક્ષણ વસ્તુની નિવૃત્તિ હોવાથી નાશઉત્પાદ પર્યાયનું લક્ષણ છે, સ્થિતિ નહીં. વળી, ભજતા ઉત્થાપિત સ્વરૂપવાળો દ્રવ્યાર્થિકતય કહે છે – ‘અમને પણ આ જ અભ્યપગમ છે=વિશેષના પ્રતિભાસનો પ્રતિક્ષેપ નથી, પરંતુ તેનું વિશેષતું. ભેદભેદ ઉભય વિકલ્પોથી બાધ્યમાતપણું હોવાના કારણે મિથ્થારૂપતા જ છે'. વળી, અનુત્પાદવ્યય લક્ષણ દ્રવ્યનો=અનુત્પાદ અવ્યય સ્વરૂપવાળા દ્રવ્યો, અભેદપ્રતિભાસ-દ્રવ્યથી પર્યાયનો અભેદ પ્રતિભાસ સત્ય છે. કેમ કે તેના વિષયની-દ્રવ્યતા વિષયની, સર્વદા અવસ્થિતિ હોવાથી અબાધ્યમાનપણું છે. II૧/૧૦ ભાવાર્ય : “આ ઘટ છે” “આ પટ છે” તેવો ભેદ બે ભિન્ન પદાર્થમાં પ્રતીત છે, પરંતુ પુરોવર્સી દેખાતી એક વસ્તુમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જોવા માટે પ્રવર્તતા હોય ત્યારે આ દ્રવ્ય છે, આ પર્યાય છે એમ બે ભિન્ન વસ્તુને બતાવી શકતા નથી, પરંતુ પુરોવર્સી દેખાતી એક વસ્તુને વિવક્ષાના ભેદથી કહી શકે કે પુરોવર્તી વસ્તુમાં દેખાતું જે અનુગતપણું છે તે દ્રવ્ય છે અને પુરોવર્સી દેખાતી વસ્તુમાં જે પ્રતિક્ષણ પરિવર્તન દેખાય છે તે પર્યાય છે. તેથી ભજનાથી=વિકલ્પથી, આ દ્રવ્ય છે અને આ પર્યાય છે તેમ કહી શકે, પરંતુ એકાંત પર્યાયાર્થિકનયથી જોનારાના મતે દ્રવ્યાસ્તિકનયનું અસ્તિત્વરૂપ અભિધેય અવસ્તુ છે; કેમ કે પર્યાયાસ્તિકનયથી જોનારાને મતે પ્રતિક્ષણ પરિવર્તન જ માત્ર દેખાય છે, વિદ્યમાનરૂપે સ્થિર કોઈ વસ્તુ દેખાતી નથી. વળી, એકાંત દ્રવ્યાસ્તિકનયથી જોનારાને પણ પર્યાયાસ્તિકનયના સ્વીકારાયેલા ભેદો અવસ્તુ જ છે; કેમ કે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી સત્તારૂપ વસ્તુ જ દેખાય છે. તેનાથી ભેદો પૃથક્ ક્યાંય દેખાતા નથી; કેમ કે કોઈક ઠેકાણે માત્ર સત્તા છે અને કોઈક ઠેકાણે માત્ર ઉત્પાદ-વ્યય છે તેવું ક્યાંય પ્રતીત થતું નથી. અહીં પ્રશ્ન થાય કે ચક્ષુથી દેખાતા પદાર્થને જોઈને કોઈ વ્યક્તિ પ્રામાણિક રીતે વસ્તુને જોતો હોય ત્યારે તેમાં પ્રતિભાસમાન દ્રવ્ય અને પર્યાય બને છે. તેથી પ્રતિભાસમાન એવા દ્રવ્યને પર્યાયાર્થિકનય કઈ રીતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy