SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮ અપશ્ચિમવિકલ્પ નિર્વચાવાળો છે=સંગ્રહના અવસાનવાળો છે; કેમ કે ત્યાર પછી=સંગ્રહના અંત પછી, વિકલ્પ અને વચનની અપ્રવૃત્તિ છે. પૂર્વના કથનથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – જ્યાં સુધી અપશ્ચિમવિકલ્પ અને નિર્વચાવાળો દ્રવ્યનો ઉપયોગ પ્રવર્તે છે ત્યાં સુધી દ્રવ્યાર્થિકતાનો વિષય એવી વસ્તુ છે અને તે વસ્તુ પર્યાયથી આક્રાંત જ છે. અન્યથા દ્રવ્યના ઉપયોગમાં પર્યાય આક્રાંત વસ્તુ ન હોય તો, જ્ઞાન અને અર્થતી અપ્રતિપતિ હોવાથી વસ્તુના જ્ઞાન અને વસ્તુના જ્ઞાનના વિષયભૂત અર્થની અપ્રાપ્તિ હોવાથી, અસત્ત્વની પ્રસક્તિ છે. કેમ પર્યાય આક્રાંત વસ્તુ જ દ્રવ્યાર્થિકનો વિષય છે ? તેમાં યુક્તિ બતાવે છે – પર્યાયથી અનાક્રાંત સત્તામાત્રના સદ્ભાવનું ગ્રાહક પ્રત્યક્ષપ્રમાણ કે અનુમાન પ્રમાણ નથી; કેમ કે દ્રવ્યાદિ પર્યાયથી આક્રાંત જ એવી સર્વદા સત્તારૂપ વસ્તુનું પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા ગ્રહણ થાય છે. ભાવાર્થ - ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા ઘટાદિ પદાર્થોને પ્રત્યક્ષથી જોવામાં આવે કે ધૂમાદિ લિંગો દ્વારા અગ્નિ આદિ પદાર્થોનો બોધ કરવામાં આવે ત્યારે તે વસ્તુમાં રહેલ દ્રવ્યત્વપર્યાય, ઘટત્વપર્યાય અને અંતિમ દ્રવ્યાસ્તિકનયના ઉપયોગમાં સત્તારૂપ પર્યાયથી આકાંત જ એવી વસ્તુનું પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી ગ્રહણ થાય છે, પરંતુ અન્યની વ્યાવૃત્તિ કરે તેવા પર્યાયનો સ્પર્શ ન હોય તેવી વસ્તુનું જ્ઞાનના ઉપયોગથી ગ્રહણ થતું નથી. તેથી સંગ્રહનયના પર્યવસાનવાળો અને વ્યવહારનયથી પ્રારંભ થતો એવો દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ પર્યાયથી આક્રાંત એવી વસ્તુનું જ કથન કરે છે. ટીકા : यद्वा यद् वस्तु सूक्ष्मतरतमादिबुद्धिना पर्यायनयेन स्थूलरूपत्यागेनोत्तरतत्तत्सूक्ष्मरूपाश्रयणाद् व्युत्क्रान्तम् गृहीत्वा त्यक्तम्, यथा किमिदं मृत्सामान्यं घटादिभिविना प्रतिपत्तिविषयः यावत् शुक्लतमरूपस्वरूपोऽन्त्यो विशेषः, एतद् द्रव्यार्थिकस्य वस्तु विषयः यतो यावद् अपश्चिमविकल्पनिर्वचनोऽन्त्यो विशेषस्तावद् द्रव्योपयोगः द्रव्यज्ञानं प्रवर्तते; नहि द्रव्यादयो विशेषान्ताः सदादिप्रत्ययाविशिष्टैकान्तव्यावृत्तबुद्धिग्राह्यतया प्रतीयन्ते, न च तथाऽप्रतीयमानास्तथाभ्युपगमार्हाः अतिप्रसङ्गात् ।।१।८।। ટીકાર્ય : યા ... ગતિપ્રસન્ ા ટીકાકારશ્રી ગાથાનો અવય અન્ય પ્રકારે કરે છે – અથવા સૂક્ષ્મતર-સૂક્ષ્મતમાદિ બુદ્ધિવાળા એવા પર્યાયાર્થિકતયથી વ્યુત્ક્રાંત=સ્થૂલ પર્યાયને ગ્રહણ કરીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy