SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮ ત્યાગ કરવારૂપ વ્યુત્ક્રાંત, દ્રવ્યાર્દિકતયતો વસ્તુરૂપ વિષય વક્તવ્ય છે જે કારણથી જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનરૂપ અંત્યવિશેષ છે ત્યાં સુધી દ્રવ્યનો ઉપયોગ છે દ્રવ્યનું જ્ઞાન પ્રવર્તે છે એમ આગળ સાથે અવય છે. આ બીજા પ્રકારના અર્થમાં ગાથાના પૂર્વાર્ધમાં રહેલા “વસ્તુશબ્દ પૂર્વે થતું' શબ્દ અધ્યાહાર છે અને તેને ગ્રહણ કરીને ગાથાના પૂર્વાર્ધનો અર્થ ટીકાકારશ્રી આ પ્રમાણે કરે છે – સૂક્ષ્મતર, સૂક્ષ્મતમાદિ બુદ્ધિરૂપ પર્યાયવયથી સ્થૂલરૂપના ત્યાગ દ્વારા ઉત્તરતા તે તે સૂક્ષ્મરૂપતા આશ્રયણથી વ્યુત્ક્રાંત=સ્થૂળથી ગ્રહણ કરીને ત્યાગ કરાયેલ “વસ્તુ'=જે વસ્તુ એ દ્રવ્યાર્થિકનથતો વિષય, વક્તવ્ય છે, એમ અવય છે. વ્યુત્ક્રાંતનો અર્થ કર્યો ‘ગ્રહણ કરીને ત્યાગ કરાયો’ તેને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે આ મૃત્સામાન્ય ઘટાદિ વગર પ્રતીતિનો વિષય શું થાય ? અર્થાત્ થાય નહીં આ પ્રકારના કથનમાં પ્રથમ મૃત્સામાન્યરૂપ સ્થલપર્યાય ગ્રહણ કર્યો અને ઉત્તરના સૂક્ષ્મ પર્યાયરૂપ ઘટાદિના આશ્રયપણાથી તેનો ત્યાગ કરાયો. આ પ્રકારના ગ્રહણ અને ત્યાગ શુક્લતમરૂપ સ્વરૂપવાળો અંત્યવિશેષ સુધી છે અને તેમાં હેતુરૂપે ગાથાનો ઉત્તરાર્ધ છે, તેથી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે - જે કારણથી જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનરૂપ અંત્યવિશેષ છે ત્યાં સુધી દ્રવ્યો ઉપયોગ-દ્રવ્યનું જ્ઞાન પ્રવર્તે છે. દ્રવ્યના સ્પર્શ વગર માત્ર પર્યાયો પ્રતીત થતા નથી તેથી દ્રવ્યને સ્વીકારવું આવશ્યક છે. તે બતાવવા માટે કહે છે – એકાત્ત વ્યાવૃત બુદ્ધિ વડે ગ્રાહ્યપણાથી દ્રવ્યથી પર્યાયને એકાગ્નભિન્ન માનવારૂપ બુદ્ધિ વડે ગ્રાહ્યપણાથી, દ્રવ્યાદિ વિશેષ અત્તવાળા સદાદિ પ્રત્યયથી અવિશિષ્ટ સદાદિ પ્રત્યયથી રહિત એવા પ્રતીત થતા નથી જ અને તે પ્રમાણે અપ્રતીમાત એવા દ્રવ્યાદિ વિશેષો સદાદિ પ્રત્યયથી રહિતપણારૂપે અપ્રતીયમાન એવા દ્રવ્યાદિ વિશેષો, તે પ્રકારે સ્વીકારવા યોગ્ય નથી એકાંત દ્રવ્યથી રહિતરૂપે સ્વીકારવા યોગ્ય નથી; કેમ કે અતિપ્રસંગ છે અપ્રતીયમાન એવા શશશંગને સ્વીકારવાનો અતિપ્રસંગ છે. ll૧/૮ ભાવાર્થ : આ બીજા પ્રકારના અર્થથી એ પ્રાપ્ત થાય કે મૃક્ષામાન્યરૂપે વસ્તુને ગ્રહણ કરીને પર્યાયાર્થિકનય ઘટાદિ પર્યાય વડે તેનો ત્યાગ કરે છે અર્થાત્ મુસ્સામાન્યનો ત્યાગ કરે છે. તે મૃસામાન્ય વસ્તુ દ્રવ્યાર્થિકનું વક્તવ્ય છે, આ પ્રકારે ગાથાના પૂર્વાર્ધથી પ્રાપ્ત થાય છે. તેમાં યુક્તિ આપતાં કહે છે – જે કારણથી જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનવાળો અંત્યવિશેષ પ્રાપ્ત થાય ત્યાં સુધી દ્રવ્યનો ઉપયોગ પ્રવર્તે છે. જેમ સર્ભે ગ્રહણ કરીને પુદ્ગલરૂપ વિશેષ દ્વારા સતુનો ત્યાગ થાય છે, તેથી સત્ દ્રવ્યાર્થિકનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy