SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭, ૮ ૩૫ વળી યદ્વાથી અન્ય પ્રકારે અર્થ કર્યો તેનાથી એ પ્રાપ્ત થાય કે ઋજુસૂત્રનયનો વિષય જે ક્ષણિક છે તેનાથી અન્ય એવો જે પર્યાય અર્થાત્ બાહ્યવસ્તુમાં રહેલો દ્રવ્યત્વ, ઘટવાદિ પર્યાય જે દ્રવ્યત્વ ઘટવાદિ વિશેષરૂપ છે અને આવું નિશ્ચિત સામાન્ય જેમાં હોય તે પર્યાયનિઃસામાન્ય વચન છે. તેથી અશુદ્ધ દ્રવ્યાર્થિકનય બાહ્યપદાર્થોમાં દ્રવ્યત્વવિશેષ, ઘટવવિશેષ સ્વીકારે છે. તે સર્વ પર્યાયોનું ગ્રહણ થાય, પરંતુ દ્રવ્યમાં રહેલ સત્તામાત્રનું જે શુદ્ધ દ્રવ્યાર્થિકય ગ્રહણ કરે તેનું ગ્રહણ થતું નથી અને તેવું ગ્રહણ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો બે પ્રકારે અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે – અવશેષ વચનવિધિ સપ્રતિપક્ષ છે અર્થાત્ ગાથાના પૂર્વાર્ધના વચનનો સપ્રતિપક્ષ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગાથાના પૂર્વાર્ધથી જે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય અને અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય ગ્રહણ કર્યો તેનાથી પ્રતિપક્ષરૂપ છે; કેમ કે ઋજુસૂત્રનય આદિ નય પર્યાયાર્થિકનારૂપ છે. વળી, આ અવશેષ વચનવિધિ ગાથાના પૂર્વાર્ધથી શુદ્ધ દ્રવ્યાસ્તિકનયની અને અશુદ્ધ દ્રવ્યાસ્તિકનયની વિધિ બતાવી તેનાથી પ્રાપ્ત એવા દ્રવ્યના સ્વરૂપથી પદાર્થમાં રહેલા અવશેષ અર્થને કહેનારી અવશેષ વચનવિધિ, સપ્રતિપક્ષ છે તેમાં ગાથામાં રહેલા ‘પક્ઝવમળા' શબ્દથી યુક્તિ બતાવે છે – આ અવશેષવચનવિધિ પ્રતિક્ષણના પરાવર્તન થતા પર્યાયોનું આસેવન કરે છે અર્થાત્ આશ્રય કરે છે અને જો પ્રતિક્ષણ પરાવર્તન થતા એવા પર્યાયોનો સ્વીકાર ન કરે તો ગાથાના પૂર્વાર્ધથી કહેલા કથનના અવશેષને કહેનારા વચનની વિધિ કઈ રીતે થાય ? અર્થાત્ થાય નહીં. માટે આ અવશેષવચનવિધિ ગાથાના પૂર્વાર્ધના કથનનું સપ્રતિપક્ષ છે. I૧/ળા અવતરણિકા : एवं तावद् द्रव्यार्थिकपर्यायर्थिकभेदेन भेदमनुभवतां नयानां स्वरूपं प्रतिपाद्य अनेकान्तभावभावनयैवैषां सत्यता नान्यथेत्येतत्प्रतिपादनार्थं ज्ञानानेकान्तमेव तावदाह - અવતરણિકાર્ય : આ રીતે પૂર્વની ગાથામાં બતાવ્યું એ રીતે, દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના ભેદથી ભેદને પ્રાપ્ત કરતા એવા નયોના સ્વરૂપને પ્રતિપાદન કરીને અનેકાન્તભાવની ભાવનાથી જ=પરસ્પર સાપેક્ષતા સ્વીકારવારૂપ અનેકાન્તભાવની ભાવનાથી જ, આ નયોની સત્યતા છે અન્યથા નથી એ પ્રતિપાદન માટે જ્ઞાન અનેકાન્ત જ છે દ્રવ્યાર્થિકનયોમાંથી અને પર્યાયાર્થિકનયોમાંથી કોઈપણ નયનો યથાર્થ બોધ અન્ય નયથી આક્રાંત હોવાના કારણે અનેકાંત જ છે, એ પ્રમાણે કહે છે -- ગાથા : पज्जवणयवोक्कंतं वत्थु दवट्ठियस्स वयणिज्जं । जाव दविओवओगो अपच्छिमवियप्पनिव्वयणो ।।१/८।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy