SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૭ પર્યાયોમાં સત્તાનો આરોપ કરે છે, આધારરૂપ દ્રવ્યના સ્વીકાર વગર પર્યાયની સત્તાને સ્વીકારે છે. તેથી સપ્રતિપક્ષ છે=સત્તાનો વિરોધી છે, માટે અસત્ છે. આશય એ છે કે જગતમાં ઘટ પટાદિ સર્વ પર્યાયો સત્તાનિરપેક્ષ પ્રતીત થતા નથી, પરંતુ ‘અસ્તિ'રૂપ સત્તા સાથે ઘટ પટાદિ પર્યાયોની પ્રતીતિ છે. પર્યાયાસ્તિકનય “અસ્તિ'રૂપ સત્તાને સ્વીકાર્યા વગર માત્ર પર્યાયોને સ્વીકારે છે અર્થાત્ “સતુના સ્વીકાર વગર ઘટ-પટાદિ પર્યાયોનો સ્વીકાર કરે છે. જગતમાં સત્તા ન હોય તેવા ઘટપટાદિ પર્યાયો નથી માટે દ્રવ્યાર્થિકનયથી નિરપેક્ષ પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જે પદાર્થ દેખાડે છે તે અસત્ છે. ગાથા-૭નું અન્ય પ્રકારે વિવેચનઃ અવતરણિકા : अथवा 'अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' [ ] इति अर्थप्रत्यययोः स्वरूपमभिधाय अभिधानस्य द्रव्यास्तिकपर्यायास्तिकस्वरूपस्य तदभिधायकस्य वा प्रतिपादनार्थमाह - અવતરણિકાર્ય : ગાથા-૭નું પૂર્વમાં ઉત્થાન કરીને એક પ્રકારે અર્થ કર્યો. હવે ગાથા-૭નું ઉત્થાન ‘અથવાથી ટીકાકારશ્રી અન્ય પ્રકારે કરે છે – ‘અર્થ અભિધાન અને પ્રત્યય તુલ્ય નામથી કહેવાય છે'=ઘટરૂ૫ અર્થ, ઘટરૂપ શબ્દ, ઘટ ઇતિ આકારક જ્ઞાન ત્રણેય ઘટ' શબ્દથી વાચ્ય બને છે એ નિયમ પ્રમાણે, અર્થ અને પ્રત્યયનું સ્વરૂપ કહીને દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકનયનો વાચ્ય અર્થ ગાથા-૪માં અને ગાથા-પમાં કહીને અને દ્રવ્યાસિકનયનો અને પર્યાયાસ્તિકાયનો પ્રત્યય જ્ઞાન, ગાથા-૬માં કહીને, હવે અભિધાનનું દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના સ્વરૂપનું, અથવા તદ્ અભિધાયકનું દ્રવ્યાસ્તિકતયતા અને પર્યાયાસ્તિકનયના અર્થતા અભિધાયક એવા શબ્દનું, પ્રતિપાદન કરવા માટે કહે છે – ટીકા : पर्यायानिष्क्रान्तम्-तद्विकलम, सामान्य सङ्ग्रहस्वरूपं यस्मिन् वचने तत् पर्यायनिस्सामान्य वचनम्, किं पुनस्तत् ? इत्याह-अस्ति'इति, तच्च द्रव्यार्थिकस्य स्वरूपम् प्रतिपादकं वा, यद्वा पर्यायः ऋजुसूत्रनयविषयाद् अन्यो द्रव्यत्वादिविशेषः, स एव च निश्चितं सामान्यं यस्मिंस्तत् पर्यायनिस्सामान्यं वचनम् द्रव्यत्वादिसामान्यविशेषाभिधायीति यावत्, तच्च अशुद्धद्रव्यार्थिकसम्बन्धि, तत्प्रतिपादकत्वेन तत्स्वरूपत्वेन वा । अवशेषो वचनविधिः-वर्णपद्धतिः, सप्रतिपक्षः अस्य वचनस्य, पर्यायार्थिकनयरूपः तत्प्रतिपादको वा पर्यायसेवनात्; अन्यथा कथमवशेषवचनविधिः स्यात् यदि विशेषं नाश्रयेत् ? ।।१/७।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy