SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭ વિશ્રાંતિ હોવાથી=સત્તારૂપ જ તે વિશેષ હોવાથી, ‘તિ' એ પ્રમાણેનું દ્રવ્યાસ્તિકાયનું વચન છે એમ અવય છે. અને આ વચન= દ્રવ્યાસ્તિકાયનું ‘સ્તિ’ એ પ્રમાણેનું વચન, નિર્વિષય છે; કેમ કે તિવિશેષપણું છે અર્થાત્ વિશેષનો અસ્વીકાર હોવાથી દ્રવ્યાર્દિકતયનું આ વચન નિર્વિષય છે એમ અવય છે. દ્રવ્યાર્થિકનયનું વચન નિર્વિષય કેમ છે ? તેમાં દૃષ્ટાંત બતાવે છે – આકાશકુસુમના અભિધાનની જેમ નિર્વિષય છે અર્થાત્ આકાશકુસુમનો કોઈ વિષય નથી તેમ વિશેષ વગરનું અસ્તિ' એ પ્રકારની સત્તા જગતમાં ક્યાંય નથી. પૂર્વમાં કહ્યું કે એકાંત એવું દ્રવાસ્તિકનયનું વચન નિર્વિષય છે; કેમ કે નિર્વિશેષપણું છે. તેથી નિર્વિશેષતારૂપ હેતુ સાધ્યની સાથે વ્યાપ્તિવાળું છે, તે બતાવવા અર્થે કહે છે – “નિવિશેષ એવું સામાન્ય શશવિષાણ જેવું થાય" (શ્લોક વાવ આકૃતિ શ્લોક ૧૦) એ પ્રમાણે પ્રસાધિતપણું હોવાથી હેતુની તિર્વિશેષપણારૂપ હેતુની, અવ્યાપ્તિ નથી. વળી અસિદ્ધિ હેતુની અસિદ્ધિ, પરના અભ્યપગમથી પરિહાર કરાયેલી થાય છે અર્થાત્ એકાંત દર્શનવાળા વિશેષ વગરનું અસ્તિમાત્ર સ્વીકારે છે. માટે નિર્વિશેષપણારૂપ હેતુની અસિદ્ધિનો પરિહાર થાય છે, તે કારણથી એકાંત ભાવનાથી પ્રવૃત્ત એવા દ્રવ્યાસ્તિકનયની પરમાર્થતા નથી અર્થાત્ “અસ્તિ' એ પ્રમાણે એકાંત સ્વીકારનાર દ્રવ્યાસ્તિકાય પરમાર્થથી પદાર્થના સ્વરૂપને બતાડતો નથી. આ પ્રકારે પ્રવૃત્ત એવા પર્યાયાસિકનયતી પણ તે નથી=પરમાર્થતા નથી, એ પ્રમાણે પચ્ચાઈથી= ગાથાના ઉત્તરાર્ધથી, પ્રતિપાદન કરે છે. અવશેષ શેષ, અને તે=શેષsઉક્તથી અચ=અતિ એ પ્રમાણે દ્રવ્યાસ્તિકતા કથનથી અન્ય, એવી વચનવિધિ-વચનનો ભેદ સત્તાહિકલ વિશેષનું પ્રતિપાદક વચન, પર્યાયોમાં સત્તાથી વ્યતિરિક્ત એવા અવિદ્યમાન પર્યાયોમાં, ભજના કરનાર હોવાથી=સત્તાનું આરોપણ કરનાર હોવાથી સપ્રતિપક્ષ છે=સનો પ્રતિપક્ષ વિરોધી છે અર્થાત્ અસત્ છે. તે આ પ્રમાણે – પર્યાય પ્રતિપાદક વચનવિધિ અવસ્તુના વિષયવાળું છે; કેમ કે નિઃસામાન્યપણું છે ખપુષ્પની જેમ. વળી પ્રયોગની ભાવના દ્રવ્યાર્થિકના વચનના વિપર્યયથી કરવી. ભાવાર્થ : પર્યાયાસ્તિકનય પર્યાયને જોનારી દૃષ્ટિ છે અને પર્યાયાસ્તિકનયને જોનારી દૃષ્ટિથી રહિત એવું જે દ્રવ્યાસ્તિકનયનું વચન, તે દેખાતા સર્વ પદાર્થોમાં “અસ્તિ' એ પ્રમાણે કહે છે અર્થાત્ સત્તામાત્રનું પ્રતિપાદન કરે છે, પરંતુ તે સત્તા સાથે અવિનાભાવી એવા ઘટ-પટાદિ પર્યાયોને કહેતું નથી અર્થાત્ સતુથી અતિરિક્ત ઘટ-પટાદિ વસ્તુ નથી સતુમાત્રરૂપ જ છે એમ કહીને દેખાતા પર્યાયોનો અપલાપ કરે છે. તેથી પર્યાયનિરપેક્ષ એવું દ્રવ્યાર્થિકનયનું વચન અસદુ છે; કેમ કે ઘટાદિ કોઈ પર્યાય ન હોય અને સત્તામાત્ર હોય તેવી વસ્તુ જગતમાં ઉપલબ્ધ નથી. વળી દ્રવ્યાર્થિકનયથી શેષ એવા પર્યાયાસ્તિકનયની વચનવિધિ સત્તાવગરના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy