SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ કે ઋજુસૂત્રનયની સીમા પદાર્થમાં રહેલા વર્તમાનક્ષણના પર્યાયને જણાવવામાં વિશ્રાંત થાય છે, પરંતુ શબ્દનય આદિની જેમ પદાર્થમાં રહેલા વર્તમાનપર્યાયને પણ શબ્દના ભેદથી અર્થનો ભેદ ઋજુસૂત્રનય કરતો નથી. આ રીતે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ જે પર્યાયનયનો મૂલાધાર છે તેના શબ્દાદિ શાખા પ્રશાખા સૂક્ષ્મભેદો છે. તેથી એ ફલિત થાય જેમ વૃક્ષનું મૂળ હોય તેમાંથી વૃક્ષની શાખા પ્રશાખા ઉભવ પામે છે તેમ પર્યાયનયનું મૂળ એ વર્તમાન ક્ષણવાળી વસ્તુનો સ્વીકાર છે. વર્તમાન ક્ષણવાળી વસ્તુ સ્વીકાર્યા પછી એમાં પણ સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો ‘ત:, તરી, તરં' એ રૂપ લિંગના ભેદથી વર્તમાનનો કિનારારૂપ પર્યાય જ ભિન્ન ભિન્ન ભાસે છે. તેથી પર્યાયનની દૃષ્ટિના પ્રારંભરૂપ ઋજુસૂત્રનયની દૃષ્ટિ પછી લિંગના ભેદથી તેના પણ સૂક્ષ્મપર્યાયોનો ભેદ શબ્દનય કરે છે. તેથી શબ્દનય દ્વારા કરાયેલા તે ભેદો પર્યાયનયના મૂલરૂપ ઋજુસૂત્રનયથી ઉત્તરની અવસ્થા છે. લિંગના ભેદથી વસ્તુનો ભેદ કર્યા પછી શબ્દની વ્યુત્પત્તિના ભેદથી પણ વસ્તુનો ભેદ કરનાર સમભિરૂઢનય તેના કરતાં પણ સૂક્ષ્મ પર્યાયને જોનારી દૃષ્ટિ છે. જે શબ્દ જે અર્થનો વાચક હોય તે અર્થને અભિમત ક્રિયાથી આવિષ્ટ પર્યાયને જ સ્વીકારે અને તે ક્રિયાથી આવિષ્ટ ન હોય તે વસ્તુને તે શબ્દથી ન સ્વીકારે તે એવંભૂતનય છે અને તે સમભિરૂઢનય કરતાં પણ સૂક્ષ્મ જોનારો છે. અહીં વિશેષ એ છે કે ચક્ષુ સામે દેખાતી વસ્તુને જોવામાં આવે તો વસ્તુ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ દેખાય છે. જેમ સમુદ્રના કિનારાને જોવામાં આવે તો તે ભૂમિનો તટનો ભાગ તે ભૂમિના પર્યાયરૂપે દેખાય છે. આ તટરૂપ પર્યાય પણ તેના વાચક એવા શબ્દને આશ્રયીને વિચારીએ તો પુલિંગ શબ્દથી, સ્ત્રીલિંગ શબ્દથી અને નપુંસકલિંગ શબ્દથી ઉપસ્થિત કરી શકાય છે. શબ્દનયની સૂક્ષ્મ દૃષ્ટિ ચક્ષુથી દેખાતા એક તટને પણ લિંગના ભેદથી ત્રણ પ્રકારે કહે છે અથવા એકવચન, બહુવચનના ભેદથી પણ તેને ભેદ કરે છે. આથી પાણીને જોઈને બન્ને એ પ્રકારનો પ્રયોગ કરાય અને ‘કાપ:' એ પ્રકારનો બહુવચનનો પ્રયોગ કરાય તેને આશ્રયીને પણ તે પાણીનો ભેદ સ્વીકારે છે. તેથી ઋજુસૂત્રનયની દૃષ્ટિ કરતાં શબ્દનય સૂમભેદ કરનાર છે, તેથી શાખારૂપ છે. જેમ શાખા કરતાં પ્રશાખા સૂક્ષ્મ હોય છે તેમ સમભિરૂઢનય શબ્દનય કરતાં પણ સુક્ષ્મતર છે, તેથી એક જ ઘટરૂ૫ વસ્તુને વર્તમાન ક્ષણરૂપે સ્વીકારનાર ઋજુસુત્રનય છે. તે જ ઘટને કહેનારા ભિન્ન ભિન્ન શબ્દોને આશ્રયીને તે ઘટનો ભેદ કરે છે. જેમ ઘટને ઘટનક્રિયાને આશ્રયીને ઘટ કહેવાય છે અને કુંભનક્રિયાને સામે રાખીને કુંભ કહેવાય છે. તેથી ઘટ પદથી વાચ્ય ઘટ કરતાં કુંભ પદથી વાચ્ય ઘટ ભિન્ન છે તેમ સમભિરૂઢનય સ્વીકારે છે. તેથી લિંગના ભેદથી અને એકવચન-બહુવચનના ભેદથી ભેદ સ્વીકાર્યા પછી શબ્દનય જે પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારતો ન હતો તે ઘટ અને કુંભ શબ્દના ભેદથી ઘટના અને કુંભનો ભેદ સમભિરૂઢનય સ્વીકારે છે. આમ છતાં, વિદ્યમાન ઘટમાં ‘ઘટણાયામ્' એ પ્રકારની વ્યુત્પત્તિમાં ઘટનક્રિયા વિદ્યમાન ન હોય ત્યારે અને ઘટનક્રિયા વિદ્યમાન હોય ત્યારે પણ સમભિરૂઢનય ઘટ સ્વીકારે છે, જ્યારે એવંભૂતનય ઘટનક્રિયા ઘટમાં વિદ્યમાન હોય ત્યારે જ તેને ઘટ કહે છે. ઘટનક્રિયા તેમાં ન હોય ત્યારે તે ઘટને અઘટ કહે છે. જેમ પાણી ભરનાર સ્ત્રી પાણી ભરીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy