SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ ભાવાર્થ : ઋજુસૂત્રનય વર્તમાન સમયની વસ્તુને સ્વીકારે છે, અતીત-અનાગત વસ્તુને સ્વીકારતો નથી; કેમ કે અતીત-અનાગત વસ્તુનું અસત્ત્વપણું હોવાના કારણે કુટીલપણું છે. વર્તમાન સમયની વસ્તુ સ્વરૂપથી અવસ્થિત છે તેનું જે કથન કરે તે ઋજુસૂત્રનય છે. ઋજુસૂત્રનયનું વચન પદ કે વાક્ય સ્વરૂપ છે તેનો વિચ્છેદ પદાર્થમાં રહેલા વર્તમાન સમયના પર્યાયમાં છે; કેમ કે ઋજુસૂત્રનય બોધાત્મક છે. તે બોધથી જે વચનપ્રયોગ કરાય છે તે વચનપ્રયોગ પદાર્થમાં રહેલા વર્તમાનકાળના પર્યાયમાં વિશ્રાંત પામે છે. તેથી ઋજુસૂત્રનયના વચનની સીમા પદાર્થમાં રહેલા વર્તમાન સમયના પર્યાયમાં છે. તે ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ પર્યાયનયનો મૂળ આધાર છે; કેમ કે ત્યાંથી જ પર્યાયનયનો પ્રારંભ થાય છે. ટીકામાં ‘નથી શંકા કરે છે કે “ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ' એ શબ્દરૂપ છે અને જ્ઞાનસ્વભાવવાળા નયનો તે આધાર કઈ રીતે થઈ શકે ? તેના સમાધાનરૂપે કહે છે – ઋજુસૂત્રનયના વચનની સીમા છે' તે જોકે શબ્દરૂપ છે તોપણ તે શબ્દથી થતો બોધ તે વિષયી છે અને વિષય દ્વારા વિષયનું કથન કરવામાં આવેલું છે માટે દોષ નથી. આશય એ છે કે “ઋજુસૂત્રનયના વચનવિચ્છેદ' રૂપ જે શબ્દ છે તેના દ્વારા શ્રોતાને જે બોધ થાય છે તે બોધ પર્યાયનયનો મૂલાધાર છે માટે બોધસ્વરૂપ નય હોવા છતાં ઋજુસૂત્રનયના વચનના વિચ્છેદને આધાર કહેવામાં દોષની પ્રાપ્તિ નથી. વળી, ઋજુસૂત્રનયનો વિષય “વચનનો અર્થ છેઃવચનથી વાચ્ય પદાર્થ છે, શબ્દ નથી એમ ન કહેવું; કેમ કે વચન અને અર્થનો અભેદ હોવાથી ઋજુસૂત્રનયનો વિષય જેમ અર્થ છેઃવાચ્ય પદાર્થ છે, તેમ વચન પણ છે. તેથી એ ફલિત થાય કે ઋજુસૂત્રનયનો વિષય વર્તમાન ક્ષણનો પદાર્થ છે તેનો વાચક શબ્દ પણ છે અને નય જ્ઞાનાત્મક હોવાથી વર્તમાનકાલનો તે નયથી જોનારા પુરુષનો જ્ઞાનનો ઉપયોગ પણ છે. જો ઋજુસૂત્રનો વિષય શબ્દ અને અર્થ બને છે, તો ગાથામાં ઋજુસૂત્રનયના વચનના વિચ્છેદને બદલે ઋજુસૂત્રનયના વચનનો વિષય તેમ કેમ ન કહ્યું? તેના સમાધાન માટે કહે છે – ઋજુસૂત્રનય પછી જે શબ્દ આદિ ત્રણ નયો છે તે નવો શબ્દહત છે અર્થાત્ શબ્દના ભેદથી અર્થનો ભેદ કરનારા છે અને જો ઋજુસૂત્રનયના વચનનો વિષય પર્યાયનયનો મૂળ આધાર છે તેમ કહેવામાં આવે તો શબ્દાદિ નયો પણ વચનના ભેદથી અર્થનો ભેદ કરનારા હોવાથી તેના વચનનો વિષય પણ પર્યાયનયનો મૂલ આધાર છે તેમ પ્રાપ્ત થાય. જ્યારે ઋજુસૂત્રનય શબ્દના ભેદથી અર્થનો ભેદ કરનાર નથી એ બતાવવા માટે ગાથામાં ઋજૂસૂત્રનયના વચનનો વિચ્છેદ પર્યાયનયનો મૂલાધાર છે તેમ કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ ક્યાં પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે – પૂર્વ અપર પર્યાયથી વિવિક્ત વસ્તુમાં વર્તમાનરૂપ એક પર્યાયની પ્રરૂપણા કરતું ઋજુસૂત્રનયનું વચન વિચ્છેદ પામે છે; કેમ કે વર્તમાનરૂપ એક પર્યાયનો પૂર્વ ઉત્તરપર્યાય સાથે સંસ્પર્શ નથી. એથી એ પ્રાપ્ત થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy