SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪ ૧૯ કરવામાં સમર્થ અર્થ, તેનો નિશ્ચય-તિર્ગત અર્થાત્ પૃથભૂત ચય એ રૂપ નિશ્ચય અર્થાત્ પરિચ્છેદ, તેનો વ્યવહાર છે=દ્રવ્યાસ્તિકાયનો વ્યવહાર છે એથી લોક પ્રસિદ્ધ વ્યવહાર પ્રવર્તનપર એવો નય છે. ત=લોકપ્રસિદ્ધ વ્યવહાર પ્રવર્તનપર નય, માને છે કે જો હય, ઉપાદેય અને ઉપેક્ષણીય સ્વરૂપવાળા પરસ્પરથી વિભિન્ન સ્વભાવવાળા સદ્દરૂ૫પણાથી શબ્દપ્રભવ સંવેદનમાં ભાવો પ્રતિભાસ થાય છે તેનાથી નિવૃત્તિ, પ્રવૃત્તિ, ઉપેક્ષા લક્ષણ વ્યવહાર અને તદ્વિષયક=નિવૃત્તિ, પ્રવૃત્તિ અને ઉપેક્ષા વિષયક, પ્રવૃત્તિને પામે છે અન્યથા નહીં=માત્ર સરપપણાથી ભાવોને જોવાથી તહીં. અને એકાંતથી સંગ્રહ અભિમત સત્માત્ર અવિશિષ્ટભાવોમાં પૃથફ સ્વરૂપપણાથી અબાધિતરૂપવાળો પરિચ્છેદ વ્યવહારનું કારણ સંભવતો નથી. તે આ પ્રમાણે – જેના જેવા આકાર નિરપેક્ષપણાથીeઘટાદિ આકારના નિરપેક્ષપણાથી, સ્વગ્રાહિણી જ્ઞાનમાં (જે પટાદિ) પ્રતિભાસને, ધારણ કરે છે તે (તે પટાદિ) તે પ્રમાણે સત્ એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ=પટાધિરૂપે સત્ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. જે રીતે પ્રતિનિયત સત્તાદિરૂપ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ=પટાદિમાં વર્તતી જે પ્રકારની પ્રતિનિયત સત્તાદિ છે તે રૂપ આ પટાદિ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ, એમ અવય છે. અને સ્વઅવભાસી જ્ઞાનમાં ઘટાદિ આકાર નિરપેક્ષ પટાદિ સ્વરૂપનો પટાદિવસ્તુના સ્વરૂપનો, સંનિવેશ થાય છે=સંવેદત કરાવે છે, એ પ્રકારનો સ્વભાવ હેતુ છે-એ પ્રકારના પટાદિનો સ્વભાવ એ પ્રકારના વ્યવહાર કરવામાં હેતુ છે, અને પટાદિનું ઘટાદિ નિરપેક્ષપણું ઘટાદિના અભાવમાં પણ ભાવ હોવાના કારણે અને અવભાસન હોવાના કારણે=પટાદિરૂપે અવભાસન હોવાના કારણે, સિદ્ધ છે. અથવા ગાથાના ઉત્તરાર્ધનો અર્થ અન્ય રીતે કરે છે – ડિરૂવંમાં રહેલો પ્રતિ શબ્દ વીસામાં છે=બે વખતના પ્રયોગમાં છે. અને અહીં ‘રૂપ' શબ્દ વસ્તુમાં પ્રવર્તે છે. તેથી આ અર્થ પ્રાપ્ત થાય – રૂ૫ રૂપને આશ્રયીનેવસ્તુ વસ્તુને આશ્રયીને, જે વચનાર્થનો નિશ્ચય તેની પ્રકૃતિ દ્રવ્યાસ્તિકતાની પ્રકૃતિ સ્વભાવ વચનાર્થનિશ્ચયરૂપ સ્વભાવ, તે વ્યવહાર છે. તે આ પ્રમાણે – પ્રતિરૂપ જ વચનાર્થનો નિશ્ચય વ્યવહારનો હેતુ છે અર્થાત્ આ ઘટ છે' “આ પટ છે' ઇત્યાદિ પ્રતિરૂપ જ વચનાર્થનો નિશ્ચય વ્યવહારનો હેતુ છે, પરંતુ ઘટ-પટાદિમાં અસ્તિત્વમાત્રનો નિશ્ચય વ્યવહારનો હેતુ નથી. જે કારણથી “અસ્તિક છે' એ પ્રમાણે કહેવા છતાં પણ શ્રોતા શંકાને પામતો જણાય છે. આથી “શું છે ?' એ પ્રકારની શંકામાં ‘દ્રવ્ય છે' એ પ્રમાણે કહેવાય છે. તે દ્રવ્ય પણ કર્યું છે એ પ્રમાણે શંકામાં પૃથ્વી કહેવાય છે તે પણ પૃથ્વી પણ, કઈ છે?' એ પ્રકારની શંકામાં વૃક્ષ કહેવાય છે' તે પણ વૃક્ષ કયા છે ?' એ પ્રકારની શંકામાં “ચૂત= આંબો, કહેવાય છે ત્યાં પણ અર્થીપણામાં=આંબાના અર્થીપણામાં, યાવદ્ પુષ્પિત છે' “ફલિત છે' ઈત્યાદિ ત્યાં સુધી નિશ્ચય કરાય છે, જ્યાં સુધી વ્યવહારની સિદ્ધિ છે. જે કારણથી વ્યવહાર નાનારૂપપણાથી સત્તાને વ્યવસ્થાપન કરે છે; કેમ કે તે પ્રકારે જ સંવ્યવહારનો સંભવ છે. આથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy