SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૪ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે અને તે બાહ્ય ક્રિયાથી ઉલ્લસિત થયેલું સદ્વર્ય પણ ભાવનું કારણ હોવાથી દ્રવ્યાસ્તિકનયનો વિષય છે. વળી, પર્યાયાસ્તિકનયમાં બદ્ધ આગ્રહવાળા તે શ્રોતાની મતિને દ્રવ્યાકિનયથી પરિકર્ષિત કરવા અર્થે મોક્ષનું કારણ બહિરંગ ઉચિત ક્રિયા અને તેનાથી ઉલ્લસિત થયેલ અંતરંગ સદ્વર્ય જ છે તેમ બતાવીને ક્રિયાને જ કારણરૂપે સ્થાપન કરે, જેથી શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત થાય અને જ્ઞાન થાય કે મોક્ષની પ્રાપ્તિ અંતરંગ અને બહિરંગ ઉચિત ક્રિયાથી થાય છે. આવી સ્થિર પરિકર્મિત બુદ્ધિ થયા પછી સ્યાદ્વાદને જાણનારા ઉપદેશક શ્રોતાને દ્રવ્યના અને પર્યાયના પરસ્પર અવિનિર્ભાગરૂપ વિશેષને બતાવે અર્થાત્ કહે કે સ્વભૂમિકાનુસાર ઉચિત ક્રિયાઓ દઢ પ્રણિધાનપૂર્વક કરવાથી મોક્ષને અનુકૂળ એવું અંતરંગ સદ્વર્ય ઉલ્લસિત થાય છે અને ઉલ્લસિત થયેલા સદ્વર્યથી આત્મામાં પૂર્વમાં પ્રગટ થયેલો વીતરાગતાને અનુકૂળ એવો ભાવ વિશેષ-વિશેષ પર્યાયરૂપે થઈને મોક્ષ પ્રત્યે કારણ બને છે તોપણ તે વિશેષ પર્યાય સુવિશુદ્ધ કરાયેલી ક્રિયાઓ દ્વારા પ્રગટ થઈને મોક્ષનું કારણ બને છે. માટે મોક્ષને અનુકૂળ બહિરંગ ક્રિયા અને મોક્ષને ઉચિત પર્યાયરૂપ ભાવ પરસ્પર અવિનિર્ભાગરૂપે રહેલા છે. તેથી જો ક્રિયાનો અપલાપ કરવામાં આવે તો ભાવનો પણ અપલોપ થાય; કેમ કે તે પ્રકારની બહિરંગ ક્રિયા વગર તે પ્રકારનો ભાવ થતો નથી. વળી, અંતરંગ ભાવનો અપલોપ કરવામાં તે ક્રિયાનો પણ અપલોપ થાય છે; કેમ કે તે ભાવ સાથે તેને અનુકૂળ ક્રિયાને અવશ્ય સંબંધ છે, તેથી તે તે ક્રિયા અને તે તે ભાવ વચ્ચે એક જીવપ્રદેશની જેમ અન્યોન્ય અનુવિદ્ધતા છે માટે ક્યારેય પર્યાય વગર દ્રવ્ય નથી અને દ્રવ્ય વગર પર્યાય નથી એ પ્રકારનો ભગવાનના શાસનનો મર્મસ્પર્શી બોધ સ્યાદ્વાદના જાણનાર પુરુષ કરાવે, જેથી શ્રોતાને ભગવાનના વચનનું સ્યાદ્વાદગર્ભિત તાત્પર્ય પ્રાપ્ત થાય. આ સર્વ કથન દ્રવ્ય અને પર્યાયમાંથી અન્યતરનું સ્વરૂપ જેણે સ્વીકાર્યું છે એવા પુરુષને આશ્રયીને છે. હવે ‘વાથી શ્રોતાને આશ્રયીને કથન કરે છે – વળી, કોઈ શ્રોતા કોઈ નયથી પરિકર્મિત ન હોય તોપણ તે શ્રોતાની બુદ્ધિ અનુસાર પ્રથમ દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી ઉપદેશક પ્રાયઃ કરીને ધર્મ સમજાવે, જેથી તેને બુદ્ધિ થાય કે સંસારના ઉચ્છેદ અર્થે સર્વ ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ અને તે ઉચિત ક્રિયાઓના પારમાર્થિક બોધને કરાવવા અર્થે તેની ભૂમિકા અનુસાર તે તે ઉચિત ક્રિયાઓ બતાવ્યા પછી તે શ્રોતાને કહે કે “જો આ સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ ભાવને પ્રગટ ન કરી શકે તો મોક્ષનું કારણ નથી, માટે મોક્ષના અર્થીએ મોક્ષને અનુકૂળ વીતરાગતાને અભિમુખ તે તે ભાવોમાં સદા ઉદ્યમ કરવો જોઈએ અને તે તે ભાવોને પ્રગટ કરવા અર્થે આ ક્રિયાઓ ઉપયોગી છે, તેથી જો ભાવની પ્રાપ્તિ ન થાય તો કરાયેલી સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. જેમ જે વ્યાપારની ક્રિયાથી ધનની પ્રાપ્તિ થાય નહીં તે વ્યાપારની ક્રિયા નિષ્ફળ છે અને તે તે પ્રમાણમાં ધનની પ્રાપ્તિ અર્થે જ તે તે વ્યાપારની ક્રિયાઓ કરાય છે. તેથી જેમ સુખના અર્થીને ધનપ્રાપ્તિ જ ઇષ્ટ છે; વ્યાપાર નહીં, તોપણ ધનપ્રાપ્તિના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy