SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-પ૪ જ્યારે તે શ્રોતા પર્યાયાસ્તિકનયથી પરિકર્મિત મતિવાળા થાય ત્યારે સ્યાદ્વાદના જાણનારા તે મહાત્મા તે શ્રોતાને દ્રવ્યના અને પર્યાયના પરસ્પર અવિભાગરૂપ વિશેષને પણ બતાવે અર્થાત્ કહે કે મોક્ષને અનુકૂળ એવા આ ભાવો ઉચિત બાહ્યક્રિયાથી થઈ શકે છે, માત્ર તે ભાવોની વિચારણા કરવાથી નિષ્પન્ન થઈ શક્તા નથી; કેમ કે મોક્ષને અનુકૂળ એવા તે ભાવોને આત્મામાં પ્રગટ કરવા અર્થે તે ભાવોને અનુકૂળ તેવો અંતરંગ ક્રિયારૂપ વીર્યવ્યાપાર આવશ્યક છે અને તે વીર્યવ્યાપાર પ્રગટ કરવામાં બાહ્યક્રિયા પ્રબળ અંગ છે. જેમ વિવેકી શ્રાવકને જિન પ્રત્યે બહુમાન હોય છે અને જિનની પ્રતિમાને જોઈને તે બહુમાનભાવ વૃદ્ધિ થાય તેવી અંતરંગ ક્રિયા થાય તો પૂર્વ કરતાં વિશેષ પ્રકારનો મોક્ષને અનુકૂળ ભાવ પ્રગટ થાય. મોક્ષને અનુકૂળ એવો વિશેષ ભાવ નિષ્પન્ન કરવા અર્થે વિવેકી શ્રાવક જિન પ્રતિમાને જોઈને બે હાથને જોડવાની કાયિકક્રિયા, “નમો જિણાણ’ એ પ્રકારની વાચિકક્રિયા અને “નમો જિણાણં' શબ્દથી અભિવ્યક્ત થતા ભાવોના હાર્દને સ્પર્શવા માટે તે પ્રકારના મનોવ્યાપારને કરે તો તે કાયિક-વાચિક-માનસિક ક્રિયા દ્વારા અંતરંગ કોઈક વીર્યવ્યાપાર ઉલ્લસિત થાય છે, જે વીર્યવ્યાપારથી વીતરાગ પ્રત્યેના બહુમાનનો ભાવ પૂર્વે હતો તે અધિક વીતરાગની આસન્નતાને પ્રાપ્ત કરે છે, તેથી વીતરાગતાને આસન્ન એવા બહુમાનભાવરૂપ પર્યાયની નિષ્પત્તિનું કારણ બને એવી અંતરંગક્રિયાને અનુકૂળ એવી બાહ્ય ક્રિયા કારણ છે જે દ્રવ્યાસ્તિકનયને અભિમત છે અને તે પ્રકારની અંતરંગ ક્રિયાથી યુક્ત બાહ્ય ક્રિયાથી નિષ્પાદ્ય એવો જે ઉત્તમભાવ તે પર્યાયાસ્તિકનયને ધર્મરૂપે અભિમત છે. વળી, મોહનાશને અનુકૂળ આ અંતરંગ ક્રિયા પ્રત્યે કાયિક, વાચિક, માનસિક એવી બહિરંગક્રિયા પ્રબળ કારણ છે. માટે જેઓ તથા પ્રકારની કાયિક, વાચિક, માનસિક ક્રિયાના આલંબનથી પણ તેવી અંતરંગ ક્રિયા કરી શક્તા નથી તેઓ કાયિક, વાચિક, માનસિક ક્રિયા વગર કઈ રીતે મોક્ષને અનુકૂળ એવા ભાવને પ્રગટ કરી શકે ? માટે મોક્ષના અર્થીએ મોક્ષના ઉપાયભૂત પર્યાયને જેમ કારણરૂપે સ્વીકારવું જોઈએ તેમ તે પર્યાયના કારણરૂપે અંતરંગ વિર્યવ્યાપારરૂપ દ્રવ્યને પણ કારણરૂપે સ્વીકારવું જોઈએ અને તે અંતરંગ વીર્યવ્યાપારના અંગરૂપે બાહ્યક્રિયાને પણ સ્વીકારવી જોઈએ. વળી, કોઈક શ્રોતા એકાંત પર્યાયને સ્વીકારનારા હોય છે, તેથી તેઓ માને છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે મોક્ષને અનુકૂળ એવો પર્યાય જ કારણ છે, ક્રિયાઓ કારણ નથી, જેથી મોક્ષના અર્થીએ મોક્ષને અનુકૂળ વીતરાગતાને સ્પર્શનાર ભાવરૂપ પર્યાયમાં જ યત્ન કરવો જોઈએ. આવી એકાંત મતિવાળા શ્રોતાને સ્યાદ્વાદના જાણકાર ઉપદેશક દ્રવ્યથી તેની મતિ પરિકર્ષિત કરવા અર્થે કહે કે મોક્ષની નિષ્પત્તિને અનુકૂળ એવો પર્યાય ક્રિયા વગર થઈ શકે નહીં. માટે મોક્ષના અર્થીએ મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત કરવા અર્થે સર્વ ઉચિત બાહ્ય ક્રિયાઓ કરવી જોઈએ. સર્વ બાહ્ય ઉચિત ક્રિયા પણ ભાવનું કારણ હોવાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy