SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-પર ગાથાર્થ : દ્રવ્યાસ્તિકનયનો (આ મત છે) – જે જ કરે છે તે જ નિયમથી વેદન કરે છે. પર્યાયાસિનયનો (આ મત છે) - અન્ય કરે છે, અન્ય ભોગવે છે. ll૧/પરચા ટીકા :___य एव करोति स एव वेदयते नित्यत्वात् द्रव्यास्तिकस्यैतन्मतम्, अन्यः करोत्यन्यश्च भुङ्क्ते क्षणिकत्वात् पर्यायनयस्य, ननु पूर्वगाथोक्तमेव पुनरभिदधता पिष्टपेषणमाचार्येण कृतं भवेत्, न; उत्पत्तिसमनन्तरध्वस्तेन करणम् भोगो वाऽसम्भवीति प्राक् प्रतिपादितम्, इह तु उत्पत्तिक्षण एव कर्ता तदनन्तरक्षणश्च भोक्तेति न पुनरुक्तता । उक्तं च परैः-'भूतिर्येषां क्रिया सैव कारकं सैव વોચ્યતે' 0 રૂતિ ા૨/પરા ટીકાર્ય : ૪ વ.ત્તિ | ‘જે જ કરે છે તે જ વેદન કરે છે, કેમ કે નિત્યપણું છે આ મત દ્રવ્યાસ્તિકનયનો છે, ‘અલ્ય કરે છે અને અન્ય ભોગવે છે ક્ષણિક હોવાથી આ મત પર્યાયાસ્તિકાયતો છે. નથી શંકા કરે છે – પૂર્વગાથામાં કહેલું જ=પર્યાયાસ્તિકાયતો મત પૂર્વગાથામાં કહો તે જ, ફરી કહેતાં આચાર્યશ્રી વડેeગ્રંથકારશ્રી વડે, પિષ્ટપેષણ કરાયેલું થાય અર્થાત્ પુનરુક્ત થાય છે. તેનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – તથી પુનરુક્ત નથી; કેમ કે ઉત્પત્તિ સમનત્તર ધ્વસ્ત એવા તેના વડે પર્યાયાસ્તિકાયના મતે ઉત્પત્તિની બીજી ક્ષણના નાશ પામેલા આત્મા વડે, કરણ અથવા ભોગ અસંભવી છે એ પ્રમાણે પૂર્વની ગાથામાં પ્રતિપાદન કરાયેલું છે. વળી, આ ગાથામાં ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તા છે-પર્યાયાકિનયની દૃષ્ટિથી આત્મા ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તા છે, અને તેની અનંતર ક્ષણ=પ્રથમ ક્ષણમાં ઉત્પત્તિ થયેલા આત્માની અનંતર ક્ષણ, જ ભોક્તા છે, એથી પુનઃ ઉક્તતા નથી. અને બીજા વડે કહેવાયું છે અર્થાત્ ઉત્પત્તિ ક્ષણનો આત્મા કર્તા છે અનંતર ક્ષણનો આત્મા ભોક્તા છે એમ જે પૂર્વમાં કહ્યું એ પર વડે કહેવાયું છે – “જેઓની ભૂતિ છે=ઉત્પત્તિ છે, તે જ=ભૂતિ જ, ક્રિયા છે અથવા તે જ=ભૂતિ જ, કારક કહેવાય છે.” ) તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ll૧/પરા ભાવાર્થ : એકાંત દ્રવ્યને અને એકાંત પર્યાયને સ્વીકારનાર પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકાય શું કહે છે ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે – એકાંત દ્રવ્યાસ્તિકનય કહે છે – આત્મા નિત્ય છે. માટે નિત્ય એવો જે આત્મા કરે છેઃકર્મબંધ કરે છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy