SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ / ગાથા-૫૨, ૫૩ તે જ આત્મા કર્મફલનું વેદન કરે છે, તેથી એ પ્રાપ્ત થાય કે ગાથા-૫૧માં દ્રવ્યાસ્તિકનયના મત પ્રમાણે એટલું જ કહેલ કે આત્મા કર્મ બાંધે છે અને કર્મફલનું વેદન કરે છે. પ્રસ્તુત ગાથામાં બાંધનાર અને વેદન કરનાર એક જ છે, અન્ય નથી; એ પ્રમાણે દ્રવ્યાસ્તિકનય કહે છે, એમ બતાવેલ છે. વળી, એકાંત પર્યાયને અનુસરનાર પર્યાયાસ્તિકનય કહે છે કે અન્ય કરે છે અને અન્ય ભોગવે છે; કેમ કે આત્મા ક્ષણિક છે, તેથી ક્ષણિક એવા આત્માએ ઉત્પત્તિ ક્ષણમાં જે કરેલું તેનું ફલ તે ભોગવતો નથી, પરંતુ તેના સંતાનને તેનું ફલ મળે છે, જે ફલને ભોગવના૨ કર્મને કરનારા કરતાં અન્ય છે. અહીં કોઈ શંકા કરે છે કે પૂર્વગાથામાં પર્યાયાસ્તિકનયનું કથન કરેલું અને પ્રસ્તુત ગાથામાં પર્યાયાસ્તિકનયનું કથન કર્યું તે એક જ છે, તેથી પિષ્ટપેષણતુલ્ય પુનરુક્ત કથન ગાથા-૫૨માં કરવું ઉચિત નથી. તેનું સમાધાન કરતાં ટીકાકારશ્રી કહે છે. પૂર્વની ગાથામાં પર્યાયાસ્તિકનયથી કહેલું કે ઉત્પત્તિ ક્ષણથી બીજી ક્ષણમાં આત્મા નાશ પામે છે, તેથી તેને કરણ અને ભોગ સંભવે નહીં, પરંતુ વિજ્ઞાનમાત્રરૂપ જ ઉત્પત્તિ ક્ષણમાં આત્મા છે. વળી, પર્યાયાસ્તિકનય અન્ય શું માને છે ? તે બતાવવા અર્થે પ્રસ્તુત ગાથામાં કહ્યું કે ઉત્પત્તિની ક્ષણ જ કર્તા છે અને અનંતર ક્ષણ ભોક્તા છે, તેથી પૂર્વની ગાથા કરતાં ભિન્ન અર્થની પ્રાપ્તિ હોવાથી પુનઃ ઉક્તતા દોષ નથી. અહીં પ્રશ્ન થાય કે પૂર્વગાથામાં ‘કરતો નથી’ તેમ કહેલ અને પ્રસ્તુત ગાથામાં ‘ઉત્પત્તિ ક્ષણમાં જ કર્તા છે’ એમ કહ્યું, તેથી પરસ્પર વિરોધ જણાય. આ વિરોધના પરિહાર અર્થે ૫૨ વડે કહેવાયેલું ટીકાકારશ્રી બતાવે છે ‘જેઓની ભૂતિ છે તે ભૂતિ જ ક્રિયા છે'. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્પત્તિ ક્ષણમાં જે આત્મા ભાવરૂપે થાય છે તે ભાવરૂપે થવાની જ ક્રિયા છે, માટે તે ભાવનો કર્તા છે અને તે જ કર્તારૂપ કારક છે માટે ભૂતિથી અતિરિક્ત કોઈ ક્રિયા નથી. ફક્ત પૂર્વમાં જે ભૂતિરૂપ ક્રિયા કરે છે તે ઉત્તરના સંતાનને ઉત્પન્ન કરે છે તેથી ઉત્તરમાં તેના ફળનો ભોક્તા છે એમ પર્યાયાસ્તિકનય કહે છે. II૧/૫૨ા અવતરણિકા : इयमसंयुक्तयोरनयोः स्वसमयप्ररूपणा न भवति या तु स्वसमयप्ररूपणा तामाह અવતરણિકાર્ય : આ=ગાથા-૫૧-૫૨માં કહ્યું એ, અસંયુક્ત એવા આ બેની=પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની, સ્વસમયપ્રરૂપણા નથી=સર્વજ્ઞના સિદ્ધાંતની પ્રરૂપણા નથી, વળી, જે સ્વસમયપ્રરૂપણા છે તેને કહે છે ગાથા : Jain Educationa International - जे वणिज्जवियप्पा संजुज्जंतेसु होन्ति एएसु । सा ससमयपण्णवणा तित्थयराऽऽसायणा अण्णा ।।१ / ५३ ।। For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy