SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૧, ૫૨ વિબંધક એવા કર્મોને બાંધે છે=જ્ઞાનાદિ શક્તિને અવરોધ કરે એવા કર્મોને બાંધે છે, અને તે કર્મના કાર્યરૂપ ફલને ભોગવે છે. આ નયની દૃષ્ટિથી કર્મબંધની અને કર્મફલની સંગતિ છે તોપણ આત્મા એક-અનેકરૂપ છે, મૂર્ત-અમૂર્તરૂપ છે ઇત્યાદિ ભાવોની સંગતિ નથી. આ સંગતિ ન થાય તો ગાથાની પ્રથમ અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે મિથ્યાત્વાદિની પરિણતિના વશથી બંધ અને ભોગ પણ ઘટે નહીં; કેમ કે આત્મા મિથ્યાત્વાદિ પરિણતિને વશ અનેક સ્વીકારવામાં આવે તો જ કહી શકાય કે આત્મા દ્રવ્યરૂપે એક છે અને મિથ્યાત્વાદિ ભાવોરૂપે અનેક છે, માટે મિથ્યાત્વાદિ પર્યાયોને કારણે કર્મ બાંધે છે અને બંધાયેલા તે કર્માનુસાર તે તે પ્રકારના ભોગકાળમાં તે તે પર્યાયોને પ્રાપ્ત કરે છે, માટે માત્ર દ્રવ્યાસ્તિકનયને સ્વીકારવાથી દ્રવ્યરૂપ એવા એક આત્મામાં બંધ અને ભોગરૂપ તે તે પર્યાયો ઘટે નહીં. વળી, પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા એ છે કે આત્મા એક સ્થાયી નથી, પરંતુ વિજ્ઞાનમાત્ર આત્મા છે, માટે તે આત્મા કર્મબંધને કરતો નથી અને કર્મના ફલને વેદન કરતો નથી; કેમ કે ઉત્પત્તિક્ષણ પછી તે રહેતો હોય તો તે કોઈક કર્મ કરે છે તેમ કહી શકાય, પરંતુ ઉત્પત્તિક્ષણ પછી તે નાશ પામે છે માટે ભાવમાત્રરૂપ આત્મામાં કર્તૃત્વનો અને ભોક્તત્વનો અયોગ છે. માટે આત્માને અનેકાંતાત્મક સ્વીકારવામાં આવે તો બંધ અને મોક્ષ સંગત થાય એ પ્રકારનો પ્રથમ અવતરણિકા સાથે સંબંધ છે. અથવા બીજી અવતરણિકા પ્રમાણે નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા પ્રસ્તુત ગાથા પ્રમાણે છે. II૧/૫૧ અવતરણિકા : तथेयमपि तयोस्तथाभूतयोः प्ररूपणेत्याह - અવતરણિકાર્ય : અને આ પણ=ગાથા-૫૨માં બતાવે છે એ પણ, તેવા પ્રકારના તે બેની=પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની પ્રરૂપણા છે, એને કહે છે ગાથા ઃ છાયા : Jain Educationa International दव्वट्ठियस्स जो चेव कुणइ सो चेव वेयए णियमा । अण्णो करेइ अण्णो परिभुंजइ पज्जवणयस्स ।।१ / ५२ ।। = द्रव्यास्तिकस्य यश्चैव करोति स चैव वेदयते नियमा । अन्यः करोति अन्यः परिभुनक्ति पर्यायनयस्य ।।१ / ५२ ।। અન્વયાર્થ: (ટ્ટિય=દ્રવ્યાસ્તિકનયનો (આ મત છે) નો ચેવ=જે જ =કરે છે, સો ચેવ=તે જ ખિયમા=નિયમથી, વેવ=વેદન કરે છે. પખ્તવયÆ=પર્યાયાસ્તિકનયનો (આ મત છે) – અો=અન્ય રેફ=કરે છે, ગળો=અન્ય, પરમુંન=ભોગવે છે. ૧/૫૨।। 1 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy