SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૫ एभिरधिगतस्य तत्स्वभावस्यैकात्मकस्येति यावत् बालादिभावैर्दृष्टैविंगतस्य तैरुत्पादविगमात्मकस्य तथाभेदप्रतीतेस्तस्य, यथा (तथा) तस्य सम्बन्धो भेदाभेदपरिणतिरूपो, भेदाभेदात्मकत्वप्रतिपत्ते ઢાધ્યક્ષતઃ પાર/૪ ટીકાર્ય : નાતિઃ પુરુષત્વવિા .. વાધ્યક્ષતઃ | જાતિ–પુરુષત્વાદિ, કુળ=પ્રતિનિયત પુરુષજન્યપણું, રૂપ ચક્ષુગ્રાહત્વ છે લક્ષણ જેનું એવું રૂપ, લક્ષણ સુખાદિ સુચક એવા તલાદિ, સંજ્ઞાપ્રતિનિયત શબ્દ અભિધેયપણું અર્થાત્ પુરુષને આપેલું દેવદત્તાદિ નામ, આ બધા વડે જે સંબંધકતદાત્મક પરિણામ, તેનાથીeતેને આશ્રયીને, અધિગત એવા પુરુષનું જાતિ આદિ આત્મકપણારૂપે અભિન્ન અવભાસતા વિષયવાળા જ્ઞાત એવા પુરુષનું. (દષ્ટ એવા બાલ આદિ ભાવો વડે વિગત એવા તેનો પુરુષનો, તે પ્રકારે સંબંધ છે=ભેદભેદ પરિણતિરૂપ સંબંધ છે. એમ નીચે સાથે અન્યાય છે.) અથવા સંબંધો મહિયરસ'નો અર્થ અન્ય રીતે જોડે છે – સંબંધ=જવ્યજનકભાવ, તે બધા વડે=જાતિ, કુળથી માંડી સંબંધ સુધી સર્વ વડે, અધિગતનું તસ્વભાવરૂપ એકાત્મકતું જાતિ, કુળાદિ સ્વભાવવાળા એવા એક સ્વરૂપ પુરુષનું, દષ્ટ એવા બાલાદિ ભાવો વડે વિગત એવા તેનો પુરુષનો, તે પ્રકારે સંબંધ છે=ભેદભેદ પરિણતિરૂપ સંબંધ છે. અહીં દૃષ્ટ એવા બાલાદિ ભાવ વડે વિગત પુરુષ કેમ છે ?=નાશ પામતો પુરુષ કેમ છે ? એથી કહે છે – તેઓના વડે=બાલાદિ ભાવો વડે, ઉત્પાદ-વિગમાત્મક એવા તેની પુરુષતી, તે પ્રકારના ભેદની પ્રતીતિ છે. જાતિ આદિ સાથે અને દૃષ્ટિ એવા બાલાદિ ભાવ સાથે વિગત એવા પુરુષનો સંબંધ ભેદાભદાત્મક કેમ છે ? તેમાં હેતુ કહે છે – બાહ્ય પ્રત્યક્ષથી ભેદાભદાત્મકત્વની પ્રતીતિ છે–ચાક્ષુષાદિપ્રત્યક્ષથી જાતિ આદિ સાથે પુરુષની અભેદની પ્રતીતિ છે અને બાલાદિ ભાવના ઉત્પાદ-વિગમરૂપે ભેદની પ્રતીતિ છે. ll૧/૪પા ભાવાર્થ : ગાથા-૪૩-૪૪માં બતાવ્યું એ પ્રમાણે યૌવનસ્થ પુરુષ બાલભાવ અને વૃદ્ધભાવ સાથે કથંચિત્ ભેદરૂપ અને કથંચિ અભેદરૂપ છે. એ રીતે પોતાની પુરુષત્વાદિ જાતિ, પોતાના પૂર્વજોથી પ્રવૃત્ત કુળ, પોતાનું રૂપ, પોતાના શરીર ઉપર જે તલ આદિ લક્ષણો અને પોતાનું જે જન્મથી પાડેલ દેવદત્ત આદિ નામ એ બધા સાથે પુરુષનો સંબંધ છે, જેને આશ્રયીને તે પુરુષ જાતિ આદિ સાથે અભિન્નરૂપે જન્મથી માંડીને મૃત્યુ સુધી ભાસે છે અને દેખાતા બાલાદિ ભાવોનું વિગમન પણ જણાય છે અર્થાત્ બાલભાવનો નાશ, યૌવનભાવનો ઉત્પાદ કે યૌવનભાવનો નાશ અને વૃદ્ધભાવનો ઉત્પાદ પ્રત્યક્ષથી દેખાય છે. આને આશ્રયીને પુરુષનો બાલાદિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy