SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૪, ૪૫ ૧૭૭ પ્રયત્ન કરે નહીં. અને યૌવનસ્થ પુરુષ વૃદ્ધાવસ્થામાં સુખપ્રાપ્તિ અર્થે ઉત્સાહિત થતા દેખાય છે, તેથી નક્કી થાય છે કે યૌવન અવસ્થાના પ્રયત્નથી વૃદ્ધાવસ્થામાં ફલ મળે છે. માટે યૌવનસ્થ પુરુષ સર્વથા અવિચલિત સ્વરૂપવાળો નથી, પરંતુ કાંઈક અન્ય અન્ય સ્વરૂપવાળો પણ છે. તેથી યૌવનસ્થ પુરુષનો વૃદ્ધાવસ્થા સાથે અત્યંત અભેદ નથી. આ રીતે બાલ અવસ્થા અને યૌવન અવસ્થા વચ્ચે અને યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચે સર્વથા અભેદ નથી તેમ સ્થાપન કર્યા પછી તે સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે – અભેદ માત્ર તત્ત્વ નથી અર્થાત્ બાલ અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચે માત્ર અભેદ છે એ પ્રતિપૂર્ણ કથન નથી; કેમ કે કથંચિત્ ભેદના વ્યવહારના પ્રતિભાસથી અભેદમાત્રનો બાધ થાય છે. વળી ભેદમાત્ર પણ તત્ત્વ નથી; કેમ કે બાલ અવસ્થા અને યૌવનઅવસ્થા વચ્ચે કે યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા વચ્ચે હું એક છું એ પ્રકારના એકત્વ વ્યવહારને અનુકૂળ જે બોધ છે તેનાથી એકાન્તભેદનું નિરાકૃતપણું છે. માટે ભેદાભંદાત્મક તત્ત્વ સ્વીકારવું જોઈએ. જો ભેદાભદાત્મક તત્ત્વ ન સ્વીકારવામાં આવે તો લોકમાં પ્રસિદ્ધ વ્યવહાર જે યૌવનસ્થ પુરુષ ભાવિની હિતચિંતા કરે છે અને પરલોક અર્થે જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રાપ્તિ થાય; કેમ કે જો એકાન્ત પોતાની પૂર્વ ઉત્તર અવસ્થા સાથે ભેદ હોય તો અન્ય અર્થે કોઈ અન્ય પ્રયત્ન કરે નહીં અને એકાંત અભેદ હોય તો પોતાના પ્રયત્નથી કોઈ ફલ મળે નહીં, પરંતુ પોતાની જે વર્તમાન અવસ્થા છે તે અવસ્થા સદા રહેનારી બને. માટે ભાવિ અર્થે કોઈ પ્રયત્ન કરે નહીં. વળી, એકાંત અભેદ સ્વીકારીએ તો ભાવિના પ્રયત્નના ઉચ્છેદને કારણે સકલ વ્યવહારનો ઉચ્છેદ પ્રાપ્ત થાય૧/૪૪ll અવતરણિકા - एवमभेदभेदात्मकस्य पुरुषतत्त्वस्य यथा अतीतानागतदोषगुणनिन्दाभ्युपगमाभ्यां सम्बन्धः तथैव भेदाभेदात्मकस्य तस्य सम्बन्धादिभिर्योग इति दृष्टान्तदाान्तिकोपसंहारार्थमाह - અવતરણિકાર્ય : આ રીતે ગાથા-૪૩ અને ૪૪માં બતાવ્યું એ રીતે, અભેદભેદાત્મક પુરુષ તત્ત્વનું જે પ્રમાણે અતીત દોષની નિંદા અને અનાગત ગુણના સ્વીકાર દ્વારા સંબંધ છે, તે પ્રમાણે જ ભેદાભદાત્મક એવા તેનું પુરુષનું, સંબંધાદિ સાથે યોગ છે એ પ્રમાણે દૃષ્ટાંતનું ગાથા-૪૩-૪૪માં આપેલ દષ્ટાંતનું, દાણતિકરૂપે ઉપસંહાર કરવા માટે કહે છે – ભાવાર્થ : ગાથા-૪૩માં દ્રવ્યાર્થિકનયને આશ્રયીને બાલભાવ સાથે અને વૃદ્ધભાવ સાથે યૌવનસ્થ પુરુષનો અભેદ છે તેમ બતાવ્યું અને ગાથા-૪૪માં યૌવનસ્થ બાલ નથી ઇત્યાદિ બતાવીને યૌવનસ્થ પુરુષનો બાલાદિ સાથે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy