SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૪ વૃદ્ધાવસ્થામાં ભેદ નહીં હોવા સ્વરૂપ અવિચલિત સ્વરૂપપણું હોવાથી, તેના પ્રસાધક એવા ગુણમાં યત્વનો અસંભવ છેવૃદ્ધાવસ્થાને સુખી કરવારૂપ યત્વનો અસંભવ છે. તે કારણથી અભેદમાત્ર તત્ત્વ તથી; કેમ કે કોઈક અપેક્ષાએ ભેદ વ્યવહારના પ્રતિભાસથી બાધિતપણું છે. વળી ભેદમાત્ર તત્વ નથી; કેમ કે એકત્વવ્યવહારના બોધથી યૌવન અવસ્થાના અને વૃદ્ધાવસ્થાના એકત્વવ્યવહારના બોધથી, નિરાકૃતપણું છે, એથી ભેદાભદાત્મક તત્વ સ્વીકારવું જોઈએ અન્યથા સકળ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છેઃલોકમાં પ્રસિદ્ધ એવા વ્યવહાર અને પરલોક સાધક એવો વ્યવહાર એ સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે. I૧/૪૪. ભાવાર્થ અવતરણિકામાં કહેલ કે કેવલ દ્રવ્યાર્થિકનયના મત પ્રમાણે કરાયેલી પ્રરૂપણા પ્રતિપૂર્ણ પ્રરૂપણા થતી નથી. કેમ પ્રતિપૂર્ણ પ્રરૂપણા થતી નથી ? તે સ્પષ્ટ કરવા માટે પ્રથમ યૌવનસ્થનો અને બાલનો અભેદ સ્વીકારવામાં આવે તો પ્રરૂપણા પ્રતિપૂર્ણ થતી નથી, તે બાબતને સ્પષ્ટ કરતાં કહે છે – યૌવનસ્થ પુરુષ બાલ નથી, પરંતુ અન્ય જ છેઃયૌવનસ્થ છે પણ બાલ નથી એ પ્રકારનો સર્વજન સિદ્ધ અનુભવ છે. વળી, યૌવનસ્થ પુરુષ બાલથી અન્ય પણ નથી=સર્વથા અન્ય પણ નથી. કેમ અન્ય પણ નથી ? તેમાં યુક્તિ આપે છે – જો યૌવનસ્થ પુરુષ બાલથી સર્વથા અન્ય હોય તો પુરુષાન્તરની જેમ=મારા બાલભાવના ચરિત્રથી અન્ય પુરુષ લજ્જા પામતો નથી તેમ પોતે પણ સર્વથા બાલભાવથી અન્ય હોય તો, પોતાના બાલચરિત્રથી લજ્જા પામે નહીં. યૌવનસ્થ પુરષ બાલભાવમાં રહેલા પોતે અસ્પૃશ્ય એવા વિષ્ટા આદિમાં હસ્તપ્રક્ષેપરૂપ ચેષ્ટા કરી તેના સ્મરણથી લજ્જા પામે છે તે સ્પષ્ટ પ્રતીત છે. તેથી બાલભાવ સાથે યૌવનસ્થ પુરુષ અનન્ય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી બાલભાવ સાથે યૌવનનો ભેદભેદ સ્થાપન કર્યા પછી યૌવનસ્થ પુરુષનો વૃદ્ધાવસ્થા સાથે અત્યંત અભેદ નથી તે બતાવવા અર્થે કહે છે – જો વૃદ્ધાવસ્થા સાથે યુવાન અવસ્થાનો અત્યંત અભેદ હોય તો વૃદ્ધાવસ્થા અર્થે સુખ પ્રાપ્તિ માટેનો યુવાન પુરુષને જે ઉત્સાહ થાય છે તે થઈ શકે નહીં. કેમ યુવાન પુરુષને વૃદ્ધાવસ્થાના સુખ માટે ઉત્સાહ થઈ શકે નહીં ? તે સ્પષ્ટ કરતાં કહે છે – યુવાન અવસ્થા સાથે વૃદ્ધાવસ્થાનો સર્વથા ભેદનો અભાવ હોય તો જેવી યુવાન અવસ્થા છે તેવી જ વૃદ્ધાવસ્થામાં અવિચલિત સ્વરૂપની પ્રાપ્તિ થાય, લેશ પણ કોઈ અન્ય પ્રકારની અવસ્થા પ્રાપ્ત થાય નહીં. તેથી વૃદ્ધાવસ્થામાં મને સુખ પ્રાપ્ત થાઓ' તેવા પરિણામથી કોઈ વિચારક પુરુષ વૃદ્ધાવસ્થા માટે ધનઅર્જન આદિ અર્થે ઉત્સાહિત થાય નહીં, કેમ કે યુવાન અવસ્થામાં જો પોતે સુખી હોય અથવા દુઃખી હોય તો વૃદ્ધાવસ્થામાં પણ તેવી જ અવસ્થા પોતાની રહેશે એવો અનુભવ હોય તો કોઈ વૃદ્ધાવસ્થાના સુખ માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy