SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧૬૭ શબ્દનય જે ઘટને સ્વીકારે છે, તે ઘટમાં સમભિરૂઢનય ઘટ, કુંભ ઇત્યાદિ ભેદ કરી શકે છે તેથી તેવા ભેદો જેમાં કરી શકાય એવા ઘટ, કુંભને એક સ્વીકારનાર શબ્દનય સવિકલ્પ છે. વળી, જેમાં વિકલ્પ કરીને ભેદ ન કરી શકાય એવો વિશેષ પર્યાય હોય તે નિર્વિકલ્પ છે. જેમ વૃક્ષવિશેષ ગ્રહણ કર્યા પછી તેમાં ‘આ લીમડો’ ‘આ આંબો' એમ ભેદ થઈ શકે નહીં તેથી લીમડાના વૃક્ષનો સ્વીકાર એ નિર્વિકલ્પ છે તેમ પ્રસ્તુતમાં ઘટનક્રિયા જેમાં હોય તે ઘટ કહેવાય એ પ્રકારના એવંભૂતનય દ્વારા સ્વીકારાયેલા ઘટમાં ભેદ કરી શકાતો નથી, તેથી એવંભૂતનયે સ્વીકારેલ ઘટનક્રિયાવાળો ઘટ એ નિર્વિકલ્પ સ્વીકારરૂપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકના વચનના શ્રવણથી શ્રોતાને શબ્દના બળથી બાહ્ય પદાર્થનો બોધ થાય છે ત્યા૨પછી શબ્દથી વાચ્ય એવા તે અર્થમાં શબ્દને અવલંબીને કેટલા વિકલ્પો થઈ શકે ? તેને જોનારી જે નય દૃષ્ટિ તે નયદૃષ્ટિ શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયમાં વિભક્ત છે. શબ્દનય ‘તટ: તૂટી તૂટ’ એ રૂપ લિંગના ભેદથી એક જ તટરૂપ વસ્તુનો ભેદ કરે છે તોપણ ઘટરૂપ વસ્તુને ઘટ, કુંભાદિ સંજ્ઞાઓથી કહેવાય છે, તે સંજ્ઞાના ભેદથી ઘટનો ભેદ કરતો નથી. માટે ઘટ, કુંભ આદિ સર્વ શબ્દોથી વાચ્ય ઘટરૂપ એક વસ્તુ સ્વરૂપ સામાન્યને ગ્રહણ કરે છે, એથી સવિકલ્પ ભાંગો પ્રાપ્ત થાય છે. સમભિરૂઢનય ઘટ, કુંભ આદિ સંજ્ઞાના ભેદથી એક ઘટરૂપ વસ્તુનો ભેદ કરે છે આમ છતાં ઘટનક્રિયાવાળા ઘટને અને ઘટનક્રિયા વગરના ઘટને સામાન્યથી ઘટરૂપ સ્વીકારે છે. માટે ઘટનક્રિયાવાળા ઘટમાં અને ઘટનક્રિયા વગરના ઘટમાં અનુગત એવા સામાન્યને ગ્રહણ કરનારો હોવાથી સમભિરૂઢનય પણ સામાન્યગ્રાહી છે. માટે સમભિરૂઢનયમાં સવિકલ્પરૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. એવંભુતનય ક્રિયાના ભેદથી ઘટનક્રિયા વગરના ઘટ કરતાં ઘટનક્રિયાવાળા ઘટનો ભેદ કરે છે. તેથી એવંભૂતનયથી કોઈ પ્રકા૨ના સામાન્યનું ગ્રહણ નથી, કેવલ વિશેષનું ગ્રહણ છે. વિશેષ એ પર્યાયરૂપ છે, તેથી એવંભૂતનયમાં નિર્વિકલ્પરૂપ ભાંગો પ્રાપ્ત થાય છે. વળી વ્યંજનનય શબ્દને આશ્રયીને બોધ કરાવનાર છે. તેથી શબ્દના અભાવના વિષયવાળો અવક્તવ્ય ભાંગો વ્યંજનનયમાં નથી. માટે વ્યંજનનયથી સ્યાદ્ અસ્તિ અને સ્યાદ્ નાસ્તિરૂપ સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ બે ભાંગા જ થાય છે. પં. શ્રી સુખલાલજીના સમ્મતિતર્કપ્રકરણના પુસ્તકમાં ગાથાનો અર્થ લખેલ છે અને તેના ફુટનોટમાં તેમણે લખેલ છે કે ‘પ્રસ્તુત ગાથાનો જે ભાવ લખ્યો છે તે ગ્રંથકારશ્રીને વિવક્ષિત છે કે નહીં તે ઘણું વિચારવા છતાં નક્કી કરી શકાતું નથી. નવાંગી ટીકાકાર પૂ. આ. ભ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા અને પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજાએ પણ આ ગાથાનો અર્થ ચોક્કસ લખ્યો નથી, પરંતુ તેમણે પણ માત્ર કલ્પના દોડાવી છે. માટે વિચારકોએ પરંપરા જાણવા પ્રયત્નશીલ થવું'. અહીં ‘ટીકાકારશ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા અને ઉપાધ્યાયજી મહારાજાએ કલ્પના દોડાવી છે’ આ પ્રકારનું સુખલાલજીનું વચન અતિ સાહસ ભર્યુ છે. પ્રસ્તુત ગાથાના અર્થને સ્પર્શીને શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ જે અર્થ કર્યો છે તેનાથી જ ગ્રંથકારશ્રીનો આશય સ્પષ્ટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy