SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧, ૪૨ થાય છે. ફક્ત સવિકલ્પ શબ્દ અને નિર્વિકલ્પ શબ્દ કઈ રીતે સામાન્ય અને વિશેષ અર્થને બતાવે છે તેના તાત્પર્યનો બોધ પં. શ્રી સુખલાલજીને થયો નહીં. એથી અતિ સાહસ કરીને તેઓએ લખેલ છે કે પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. અને પૂ. ઉપાધ્યાયજી મ. સા.નું કથન ગાથાના કથન સાથે સંગત થતું નથી. વસ્તુતઃ સવિકલ્પ અને નિર્વિકલ્પનો અર્થ ટીકામાં સ્પષ્ટ કર્યો છે એ પ્રમાણે કોઈ વિચારક જાણવા યત્ન કરે તો પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા. અને પૂ. શ્રી ઉપાધ્યાયજી મ. સા. મહારાજાએ આ ગાથાને સમજીને લખેલ છે. ફક્ત પૂ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. સા.એ બે પ્રકારે અવતરણિકા કરેલ અને તે ભિન્ન ભિન્ન અવતરણિકાને અનુરૂપ ગાથાનો બે પ્રકારે અર્થ કરેલ છે. તે પ્રકારે ગાથાના ભિન્ન ભિન્ન અર્થ કરવાની મર્યાદા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી તે રીતે બે પ્રકારની અવતરણિકા કરીને બે રીતે ગાથાનો અર્થ કર્યો છે તે અત્યંત યુક્તિ સંગત છે એ પ્રમાણે વિચારકે જોડવા યત્ન કરવો. ૧/૪ અવતરણિકા - इदानीं परस्पररूपापरित्यागप्रवृत्तसंग्रहादिनयप्रादुर्भूततथाविधा एव वाक्यनयास्तथाविधार्थप्रतिपादका इत्येतत् प्रतिपाद्य अन्यथाभ्युपगमे तेषामप्यध्यक्षविरोधतोऽभाव एवेत्येतदुपदर्शनाय केवलानां तेषां तावन्मतमुपन्यस्यति - અવતરણિકાર્ય : હમણાં પૂર્વની ગાથામાં, પરસ્પર સ્વરૂપતા અપરિત્યાગથી પ્રવૃત્ત એવા સંગ્રહાદિયથી પ્રાદુર્ભત તેવા પ્રકારના જ વાક્યનયો દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુના સ્વરૂપનો પરસ્પર ત્યાગ કર્યા વગર પ્રવૃત્તિ સંગ્રહાદિ નયથી પ્રાદુર્ભત સપ્તભંગીને કહેનારા સ્યાદ્ અસ્તિ' આદિરૂપ વાક્યતયો, તેવા પ્રકારના અર્થના પ્રતિપાદક છે=સપ્તભંગી દ્વારા પ્રાપ્ત થતા અર્થના પ્રતિપાદક છે, એને પ્રતિપાદન કરીને અન્યથા અભ્યપગમમાં દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના સ્વરૂપના પરસ્પર પરિત્યાગના અભ્યપગમમાં, પ્રત્યક્ષ વિરોધ હોવાથી તેઓનો પણ દ્રવ્યાસ્તિકનયનો અને પર્યાયાસ્તિકનયનો પણ, અભાવ જ છે, એ બતાવવા માટે કેવલ એવા તેઓનાગકેવલ એવા પર્યાયાસ્તિકાયના અને દ્રવ્યાસિકનયના, મતનો ઉપચાસ કરે છે=ગાથા-૪૨ અને ૪૩માં ઉપન્યાસ કરે છે – ભાવાર્થ ગાથા-૪૧માં અર્થપર્યાયમાં જે સપ્તભંગી બતાવી તેમાં પણ દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના પરસ્પર સ્વરૂપના અપરિત્યાગથી પ્રવૃત્ત થયેલા સંગ્રહાદિ ત્રણ નયા હતા અને વ્યંજનપર્યાયમાં પણ જે સપ્તભંગી બતાવી તેમાં પણ દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિક ના સ્વરૂપના પરસ્પર અપરિત્યાગથી પ્રવૃત્ત શબ્દાદિ ત્રણ નય હતા. તેનાથી પ્રાદુર્ભાવ થયેલા એવા સપ્તભંગીઆત્મક સાત વાક્યનો અર્થપર્યાયમાં અને વ્યંજનપર્યાયમાં હતા. તે વાક્યનો તેવા પ્રકારના અર્થના પ્રતિપાદક છે=જે પ્રકારના સપ્તભંગીને બતાવનાર વાક્યનો બન્યા તેવા પ્રકારના અર્થના પ્રતિપાદક છે, એને ગાથા-૪૧માં પ્રતિપાદન કરીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy