SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ અને એવંભૂતનયનો બોધ થાય છે અને તે ત્રણે નયથી થયેલા બોધને શબ્દનય કહેવાય છે. આ શબ્દનયની વિચારણામાં બે જ વિકલ્પો છે (૧) સવિકલ્પ-સામાન્યરૂપ અને (૨) નિર્વિકલ્પ=વિશેષરૂપ. શબ્દ નયમાં બેય વિકલ્પો હોવાથી શબ્દનય પણ સવિકલ્પ-નિર્વિકલ્પ કહેવાય છે. શબ્દ આદિ ત્રણ નયોમાં કઈ રીતે સામાન્યરૂપ સવિકલ્પ અને વિશેષરૂપ નિર્વિકલ્પ એમ બે ભાંગા પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – શબ્દ આદિ ત્રણ નયમાં શબ્દનય અને સમભિરૂઢનય તે બંને નયો સંજ્ઞાના અને ક્રિયાના ભેદમાં પણ અભિન્ન અર્થને બતાવે છે. એથી શબ્દનયના અને સમભિરૂઢનયના અભિપ્રાયથી સવિકલ્પ વચનમાર્ગરૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શબ્દનયના મતે ઘટ, કુંભ આદિ સંજ્ઞાનો ભેદ હોવા છતાં પણ ઘટ, કુંભાદિ શબ્દથી વાચ્ય એક જ ઘટરૂપ વસ્તુને શબ્દનય સ્વીકારે છે. તેથી ઘટ, કુંભાદિને સામાન્યથી ગ્રહણ કરે છે, પરંતુ પરસ્પર ભેદથી શબ્દનય ગ્રહણ કરતો નથી. તેથી શબ્દનય સામાન્યરૂપ સવિકલ્પ ભાંગાને સ્વીકારે છે. વળી, સમભિરૂઢનય ઘટરૂપ વસ્તુ ઘટનક્રિયા કરે છે ત્યારે પણ ઘટને ઘટ કહે છે અને ઘટનક્રિયા કરતો નથી ત્યારે પણ ઘટને ઘટ કહે છે. તેથી ઘટનક્રિયા અને ઘટનક્રિયાનો અભાવ હોવા છતાં બન્નેમાં ઘટસામાન્યને સ્વીકારે છે. માટે સમભિરૂઢનયથી સવિકલ્પરૂપ સામાન્ય ભાગો પ્રાપ્ત થાય છે. વળી એવંભૂતનય ક્રિયાના ભેદથી ભિન્ન જ અર્થને તે ક્ષણમાં સ્થાપન કરે છે અર્થાત્ જે ક્ષણમાં ઘટ ઘટનક્રિયા કરે છે તે ક્ષણમાં તેને ઘટ કહે છે અને જે ક્ષણમાં તે ઘટ ઘટનક્રિયા કરતો નથી તે ઘટને ઘટ કહેતો નથી તેથી ઘટનક્રિયાના ભાવથી અને અસભાવથી ઘટનો ભેદ કરે છે. તેથી ઘટનક્રિયા વગરના ઘટને એવંભૂતનય ઘટ સ્વીકારતો નથી માટે એવંભૂતનયના મતે નિર્વિકલ્પરૂપ વિશેષ ભાંગો પ્રાપ્ત થાય છે; કેમ કે ઘટનક્રિયાવાળા ઘટમાં હવે કોઈ પ્રકારે અન્ય વિશેષની પ્રાપ્તિ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટ પણ ઘટનક્રિયા નથી કરતો ત્યારે ઘટ નથી એમ એવંભૂતનય સ્વીકારે છે અને ઘટનક્રિયા કરે છે ત્યારે ઘટ છે એમ સ્વીકારે છે. તેથી એવંભૂતનય વિશેષને સ્વીકારે છે, સામાન્યને સ્વીકારતો નથી. વિશેષ એ પર્યાયરૂપ છે માટે પર્યાયરૂપ નિર્વિકલ્પ ભાંગો એવંભૂતનયથી પ્રાપ્ત થાય છે. વળી વ્યંજનનયમાં અવક્તવ્ય ભાંગો સંભવતો નથી જ. કેમ વ્યંજનનયમાં અવક્તવ્ય ભાંગો સંભવતો નથી ? એથી કહે છે – જે કારણથી શ્રોતાનો અભિપ્રાય એ વ્યંજનનય છે અને તે શ્રોતાનો અભિપ્રાય શબ્દના શ્રવણથી અર્થને સ્વીકારે છે, પરંતુ શબ્દના શ્રવણ વગર અર્થને સ્વીકારતો નથી. અને અવક્તવ્ય ભાંગો શબ્દના અભાવ વિષયવાળો છે એથી અવક્તવ્ય ભાંગો વ્યંજનપર્યાયમાં સંભવતો નથી. આ પ્રકારના અભિપ્રાયવાળા ગ્રંથકારશ્રી વ્યંજનપર્યાયમાં સવિકલ્પ-નિર્વિકલ્પ એમ અસ્તિ-નાસ્તિરૂપ બે ભાંગા જ કહે છે. ગાથાના ઉત્તરાર્ધમાં વ્યંજનપર્યાય સવિકલ્પ અને નિર્વિકલ્પ છે એમ કહ્યું ત્યાં સવિકલ્પનો અર્થ એ છે કે જેમાં વિકલ્પ કરીને ભેદ કરી શકાય એવું સામાન્ય હોય તે સવિકલ્પ છે. જેમ વૃક્ષમાં વિકલ્પ કરીને “આ આંબાનું વૃક્ષ છે” “આ લીમડાનું વૃક્ષ છે” એમ ભેદ કરી શકાય છે તેથી વૃક્ષ સામાન્ય છે, તેમ પ્રસ્તુતમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy