SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧૬પ અર્થરૂપ બાહ્ય પદાર્થના વશથી વક્તાને સંગ્રહના આદિ ત્રણ નયોના બોધની ઉપસ્થિતિ છે. અહીં પ્રશ્ન થાય કે વક્તાને બાહ્ય પદાર્થરૂપ અર્થના વશથી તે ત્રણ નયના બોધની ઉપસ્થિતિ છે, પરંતુ શબ્દના વશથી અન્ય નયના બોધની ઉપસ્થિતિ કેમ નથી ? તેથી કહે છે – અર્થને પ્રધાનપણાથી આ વક્તા વ્યવસ્થાપન કરે છે અર્થાત્ બાહ્ય દ્રવ્યરૂપ અર્થને પ્રધાન કરીને તે વક્તા શ્રોતાને પદાર્થનું સ્વરૂપ બતાવે છે. વળી, અર્થને અવલંબીને ઉત્પન્ન થયેલા શબ્દનું ઉપસર્જનપણાથી વ્યવસ્થાપન કરે છે. કેમ શબ્દને ઉપસર્જનપણાથી કહે છે, મુખ્યરૂપે નથી કહેતો ? તેમાં યુક્તિ આપે છે – પદાર્થનો બોધ કરાવવા અર્થે જે વક્તા યોગ્ય શ્રોતાને જિનવચન અનુસાર શબ્દથી કહે છે તે પર એવા શ્રોતાને પદાર્થનો બોધ કરાવવા માટે કહે છે, પરંતુ શબ્દને આશ્રયીને પદાર્થના સ્વરૂપને બતાવતો નથી. આથી જ “તટ:, તટી અને તટં' એ ત્રણેય લિંગોના ભેદથી બાહ્ય દેખાતું તટ જુદું છે એવો બોધ શ્રોતાને તે વક્તા કરાવતો નથી, પરંતુ શબ્દને આશ્રયીને થતા ભેદને ગૌણ કરીને દેખાતા બાહ્ય પદાર્થને આશ્રયીને જે વસ્તુના ભેદોની પ્રાપ્તિ છે તે બતાવવા તે વક્તા સંગ્રહનયથી, વ્યવહારનયથી અને ઋજુસૂત્રનયથી પદાર્થનું સ્વરૂપ શ્રોતાને બતાવે છે. તેનાથી શ્રોતાને થયેલો બોધ તે બાહ્ય પદાર્થના પૂર્ણ સ્વરૂપને બતાવે છે તેથી એ પ્રાપ્ત થાય કે જિનવચનથી પરિષ્કૃત મતિવાળા કોઈ વક્તા યોગ્ય શ્રોતાને પદાર્થનો પૂર્ણ સ્વરૂપે બોધ કરાવવા અર્થે બાહ્ય પદાર્થને સામે રાખીને પદાર્થનું સ્વરૂપ બતાવવા યત્ન કરે છે તે વક્તાને સંગ્રહનયથી, વ્યવહારનયથી અને ઋજસત્રનયથી જે બોધ છે તે પદાર્થના પૂર્ણ સ્વરૂપને બતાવે છે અને તેને આશ્રયીને સાતભાંગાની ઉપસ્થિતિ થાય છે. માટે સંગ્રહનયનો, વ્યવહારનયનો અને ઋજુસૂત્રનયનો જે વસ્તુને આશ્રયીને બોધ છે તે બોધને અર્થનય કહેવાય છે અને તે અર્થનયને આશ્રયીને સાત ભાંગાઓ પ્રાપ્ત થાય છે. આ રીતે અર્થનનું સ્વરૂપ બતાવ્યા પછી વ્યંજનપર્યાયરૂપ શબ્દનયનું=શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય ત્રણે નયના વાચક એવા શબ્દનયનું, સ્વરૂપ બતાવે છે – વળી વક્તાના શબ્દના શ્રવણથી શ્રોતામાં શબ્દનયની, સમભિરૂઢનયની કે એવંભૂતનયની દૃષ્ટિથી બોધ ઉદ્ભવ પામે છે તે શ્રોતાના બોધમાં શબ્દ પ્રધાન છે; કેમ કે શબ્દના વશથી તે બોધની ઉત્પત્તિ છે. વળી અર્થનું તે શ્રોતાના બોધમાં ઉપસર્જન છે; કેમ કે તે શ્રોતાના બોધની ઉત્પત્તિમાં અર્થરૂપ પદાર્થ નિમિત્ત નથી, પરંતુ તે વક્તાથી બોલાયેલો શબ્દ નિમિત્ત છે, તેથી તે શબ્દનય કહેવાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય પદાર્થના સ્વરૂપને આશ્રયીને વક્તાને જે બોધ થાય તે બોધનો બીજાને બોધ કરાવવા અર્થે વક્તા પ્રયોગ કરે ત્યારે વક્તાને જેમ સંગ્રહનયથી, વ્યવહારનયથી અને ઋજુસૂત્રનયથી બોધ થયેલો એમ શ્રોતાને પણ બાહ્ય પદાર્થને આશ્રયીને વક્તાના તે શબ્દ દ્વારા સંગ્રહ આદિ ત્રણ નથી પદાર્થનો બોધ થાય છે અને શબ્દો દ્વારા પદાર્થનો બોધ કર્યા પછી તે શ્રોતા અર્થને ગૌણ કરીને વક્તા દ્વારા બોલાયેલા શબ્દો વિષયક ઊહ કરે તો તે શ્રોતાને શબ્દનયથી બોધ થાય છે અર્થાત્ શબ્દનયનો, સમભિરૂઢનયનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy