SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ઋજુસૂત્રનયથી ત્રીજો ભાંગો થાય છે, કેમ કે ઋજુસૂત્રનય ઘટમાં રહેલું ઘટનું સ્વરૂપ અઘટની વ્યાવૃત્તિરૂપ છે તેમ સ્વીકારે છે. અઘટની વ્યાવૃત્તિ એટલે ઘટથી ભિન્ન એવા પટાદિની વ્યાવૃત્તિ અને વર્તમાન ઘટમાં પૂર્વ ઉત્તરના ઘટની પણ વ્યાવૃત્તિ, તેથી ઋજુસૂત્રનયના મતે વર્તમાન એવા ઘટમાં ઘટનું સ્વરૂપ રહેલું છે અને પટાદિની વ્યાવૃત્તિરૂપ સ્વરૂપ પણ રહેલું છે. તે બન્ને ધર્મો એક સાથે અવાચ્ય છે. તેથી ઋજુસૂત્રનયથી અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. આ રીતે એક વસ્તુને આશ્રયીને સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી ત્રણ ભાંગાની પ્રાપ્તિ થયા પછી સંગ્રહનય અને વ્યવહારનયથી “સ્યાદ્ અસ્તિ સ્યાદ્ નાસ્તિ'રૂપ ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. સંગ્રહનય અને ઋજુસૂત્રનયથી “સ્યાદ્ અતિ સ્યાદ્ અવક્તવ્ય રૂપ પાંચમો ભાંગો પ્રાપ્ત થાય છે. વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી “સ્યાદ્ નાસ્તિ સ્યાદ્ અવક્તવ્ય રૂપ છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયથી “સ્યાદ્ અસ્તિ સ્યાદ્ નાસ્તિ સ્યાદ્ અવક્તવ્ય રૂપ સાતમો ભાંગો પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રથમના બે નયરૂપ દ્રવ્યાર્થિકનય અને ઋજુસૂત્રનયરૂપ પર્યાયાર્થિકનય મૂલાધાર છે જેને એવી સપ્તભંગી ગાથાના પૂર્વાર્ધથી બતાવી. હવે વ્યંજનપર્યાયમાં દ્રવ્યાર્થિકન અને પર્યાયાર્થિકનય મૂલાધાર છે જેને એવી સપ્તભંગી બતાવવા વ્યંજનપર્યાયમાં સવિકલ્પરૂપ અસ્તિનો ભાગો અને નિર્વિકલ્પરૂપ નાસ્તિનો ભાંગો કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે ગાથામાં ઉત્તરાર્ધથી બતાવેલ છે અને તેના દ્વારા અર્થથી અન્ય ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે ટીકામાં બતાવતાં કહે છે – વ્યંજનપર્યાય એટલે શબ્દનય અર્થાત્ શબ્દને આશ્રયીને પદાર્થના સ્વરૂપને જોનારી નવદુષ્ટિ. અને તે શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયના સમૂહરૂપ પાછળના ત્રણ નન્યો છે. તેમાં સવિકલ્પરૂપ પ્રથમ ભાંગો પ્રથમનમાં થાય છે=શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનયામાં જે પ્રથમ શબ્દનય છે તેમાં સવિકલ્પરૂપ વિધિવચન પ્રાપ્ત થાય છે અર્થાત્ સ્યાદ્ અસ્તિરૂપ પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે અસ્તિરૂપ ભાંગો તો પદાર્થના સ્વરૂપને ગ્રહણ કરીને થાય છે. તેથી સામાન્યગ્રાહી એવા સંગ્રહનયથી થઈ શકે, પરંતુ શબ્દનયથી પ્રથમ ભાંગો કઈ રીતે થઈ શકે ? તે બતાવવા માટે ટીકાકારશ્રી કહે છે – શબ્દનયની દૃષ્ટિએ ઘટાદિ વસ્તુમાં ઘટ, કુંભ આદિ પર્યાય શબ્દની વાચ્યતાનો વિકલ્પ હોવા છતાં પણ તે સર્વ વિકલ્પથી વાચ્ય ઘટરૂપ અર્થનું એકપણું છે અર્થાત્ ઘટ, કુંભ આદિ સર્વમાં અનુગત એવું દ્રવ્યાસ્તિકનયને સંમત એવું સામાન્ય સ્વરૂપ અર્થ શબ્દનય સ્વીકારે છે. તેથી તે સ્વરૂપે ‘ઘટ અસ્તિ’ એ પ્રકારનો સવિકલ્પ ભાંગો શબ્દનયથી પ્રાપ્ત થાય છે. વળી બીજા અને ત્રીજા નયથી=સમભિરૂઢ અને એવંભૂતનયથી, નિર્વિકલ્પ ભાંગો પ્રાપ્ત થાય છે=ભ્યાદ્ નાસ્તિરૂપ ભાંગો પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે સમભિરૂઢનયથી કઈ રીતે નાસ્તિરૂપ ભાંગો પ્રાપ્ત થાય ? તેથી ટીકાકારશ્રી કહે છે – For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy