SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ સામાન્યલક્ષણ દ્રવ્યરૂપ અર્થથી નિર્ગત એવા પર્યાયનું અભિધાયકપણું હોવાથી સમભિરૂઢનયથી નાસ્તિરૂપ બીજો ભાંગો પ્રાપ્ત થાય છે; કેમ કે સમભિરૂઢનયના મતથી ઘટ, કુંભ આદિ પર્યાયના ભેદથી ભિન્ન અર્થની પ્રાપ્તિ છે. આશય એ છે કે “જે અનુગત વસ્તુને સ્વીકારે તે દ્રવ્ય કહેવાય” એ નિયમ અનુસાર શબ્દનયે ઘટ, કુંભ એ સર્વ શબ્દોમાં અનુગત એવા ઘટને સ્વીકાર્યો. તેથી શબ્દનયના સ્વીકારથી સામાન્યરૂપ દ્રવ્યની પ્રાપ્તિ થયેલી. સમભિરૂઢનય ઘટ, કુંભ આદિ પર્યાયના ભેદથી વાચ્ય ભિન્ન વસ્તુ કહે છે. તેથી સમભિરૂઢનયના મતે સામાન્ય એવા દ્રવ્યથી પૃથક થયેલ એવા પર્યાયનું કથન થયું. આથી જ ઘટ કરતાં કુંભને સમભિરૂઢનય પૃથફ સ્વીકારે છે. તેથી સમભિરૂઢનય વિશેષગ્રાહી છે. જેમ વિશેષગ્રાહી એવા વ્યવહારનયથી નાસ્તિ ભાંગાની પ્રાપ્તિ હતી તેમ વિશેષગ્રાહી એવા સમભિરૂઢનયરૂપ બીજા નયથી નિર્વિકલ્પરૂપ એવા નાસ્તિ ભાંગાની પ્રાપ્તિ થાય છે. વળી, એવંભૂતનયરૂપ ત્રીજા નયથી કઈ રીતે નાસ્તિ ભાગો થાય છે ? તે સ્પષ્ટ કરે છે – એવંભૂતનય પણ વિચલિત એવા ક્રિયાકાલવાળા અર્થને કહે છે, તેથી જે સમયે ઘટ પોતાની ઘટનક્રિયા ન કરે ત્યારે એવંભૂતનય કુંભાદિને તો ઘટ ન કહે પણ ઘટને પણ ઘટ ન કહે. માટે સમભિરૂઢનય કરતાં પણ વિશેષગ્રાહી છે, તેથી વિશેષગ્રાહી એવા એવંભૂતનયથી નાસ્તિરૂપ બીજો ભાગો પ્રાપ્ત થાય છે. આ રીતે વ્યંજનપર્યાયમાં અસ્તિરૂપ અને નાસિરૂપ બે ભાંગા કઈ રીતે થાય છે તેની સ્પષ્ટતા કરી. હવે વ્યંજનપર્યાયમાં ત્રીજો ભાંગો કઈ રીતે પ્રાપ્ત થાય ? તે બતાવતાં કહે છે – શબ્દાદિ ત્રણેય નયોમાં ‘અવક્તવ્ય” નામનો ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે, કેમ કે શબ્દનય લિંગના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારે છે. તેથી ‘ત૮: તટી તરં” એ ત્રણથી “કિનારો વાચ્ય હોવા છતાં પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના ભેદથી એ ત્રણને જુદા માને છે. લિંગના ભેદથી ભિન્ન એવા ‘તર: તટી તટે એક શબ્દ વાગ્યે નથી. માટે શબ્દનયથી અવક્તવ્યરૂપ ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, સમભિરૂઢનય સંજ્ઞાના ભેદથી વસ્તુનો ભેદ સ્વીકારે છે. આથી ઘટ શબ્દથી અને કુંભ શબ્દથી બાહ્ય એવી એક વસ્તુ વાચ્ય હોવા છતાં ઘટને અને કુંભને ભિન્ન સ્વીકારે છે ઘટ શબ્દવાચ્ય ભિન્ન વસ્તુ છે અને કુંભ શબ્દવાચ્ય ભિન્ન વસ્તુ છે, તેમ સ્વીકારે છે. વળી, સંજ્ઞાના ભેદથી ભિન્ન એવા ઘટ, કુંભાદિ કોઈ એક શબ્દથી વાચ્ય નથી. અર્થાત્ બાહ્ય દેખાતી ઘટરૂપ વસ્તુમાં જે ઘટ-કુંભનો ભેદ સમભિરૂઢનય સ્વીકારે છે કે કોઈ એક શબ્દવાચ્ય નથી. તેથી સમભિરૂઢનયથી અવક્તવ્ય ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, એવંભૂતનય ક્રિયાના ભેદથી વસ્તુના ભેદને સ્વીકારે છે. એથી ઘટનક્રિયા નહીં કરતો ઘટ અને ઘટનક્રિયા કરતો ઘટ જુદા છે તેમ માને છે. તેથી એવંભૂતનયની દૃષ્ટિથી દેખાતા બાહ્ય ઘટમાં ઘટનક્રિયાવાળા ઘટનું અને અઘટનક્રિયાવાળા અઘટનું કથન કોઈ એક શબ્દથી થઈ શકતું નથી. તેથી ક્રિયાના ભેદથી ભિન્ન એવી ઘટાદિ વસ્તુ એક શબ્દથી વાચ્ય નથી. માટે એવંભૂતનયથી અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy