SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ ૧પ૯ કેમ બીજો અને ત્રીજો નય દ્રવ્યાર્થથી નિર્ગત પર્યાયનો અભિધાયક છે ? તે સ્પષ્ટ કરે છે – બીજા એવા સમભિરૂઢનયનું પર્યાયના ભેદથી ભિવાર્થપણું હોવાથી દ્રવ્યતા અર્થથી નિર્ગત એવા પર્યાયનું અભિધાયકપણું છે. ત્રીજાનવરૂપ એવંભૂતનયનું પણ વિવક્ષિત ક્રિયાકાલમાં અર્થપણું હોવાથી તદ્અર્થ-વાચ્યપણું હોવાથી, દ્રવ્યના અર્થથી નિર્ગત પર્યાયનું અભિધાયકપણું છે, એમ અવય છે. આ રીતે વ્યંજનપર્યાયમાં અસ્તિ અને નાસ્તિરૂપ બે ભાંગા કઈ રીતે થાય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે વ્યંજનપર્યાયમાં પ્રથમના બે ભાંગાથી અન્ય ભાંગાઓ કઈ રીતે થઈ શકે ? તે બતાવતાં ટીકાકારશ્રી કહે છે – લિંગના, સંજ્ઞાના અને ક્રિયાના ભેદથી ભિન્ન વસ્તુનું એક શબ્દ અવાચ્યપણું હોવાથી શબ્દ આદિ ત્રણ વયોમાં ત્રીજો ભાગો છે અવક્તવ્ય ભાંગો છે. પ્રથમતાઅવિકલ્પતા, અને દ્વિતીયનાનિર્વિકલ્પતા, સંયોગમાં ચોથો ભાંગો છે અને તેઓમાં જ પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ ભાંગામાં જ, અનભિધેયનો સંયોગ થયે છતે એક શબ્દ અવાચ્યત્વરૂપ અવક્તવ્ય સ્વરૂપ અનભિધેયનો સંયોગ થયે છતે, પાંચ, છ, સાતરૂપ વચનમાર્ગો થાય છે પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાંગાની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ : પૂર્વમાં ગાથા-૩૯થી ગાથા-૪૦માં બતાવ્યું એ પ્રકારના સાત વિકલ્પોરૂપ વચનમાર્ગ અર્થન ના થાય છે, ગાથા-૩૦માં બતાવ્યા પ્રમાણે અર્થનયથી સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય ગ્રહણ થાય છે; કેમ કે બાહ્ય દેખાતા અર્થને આશ્રયીને આ ત્રણ નયો જ પ્રવર્તે છે. વળી, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ અર્થનમાં પૂર્વમાં કહેલા સાતેય ભાંગાઓ પ્રાપ્ત થાય છે. કઈ રીતે સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ અર્થનમાં સાત ભાંગા પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે, તેથી તેમાં અતિરૂપ ભાંગો પ્રાપ્ત થાય છે. આશય એ છે કે પદાર્થમાં રહેલું પદાર્થનું સ્વરૂપ એ સામાન્ય સ્વરૂપ છે અને પરરૂપે પદાર્થ નાસ્તિ છે તે, પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, કેમ કે પદાર્થમાં રહેલું પદાર્થનું સ્વરૂપ દરેક તે તે પદાર્થમાં સામાન્ય રહેલું છે. જેમ ઘટમાં રહેલું ઘટત્વસ્વરૂપ સર્વ ઘટમાં સામાન્યથી રહે છે અને સંગ્રહનયથી તેને ગ્રહણ કરીને સ્યાદ્ અસ્તિરૂપ પ્રથમભાંગો થાય છે. વળી વ્યવહારનય વિશેષગ્રાહી છે. તેથી તે પદાર્થમાં રહેલું પરસ્વરૂપ, તે પદાર્થને અન્ય પદાર્થથી પૃથક કરે છે. જેમ ઘટમાં રહેલું પટાદિના અભાવરૂપ પરસ્વરૂપ ઘટને અન્યથી પૃથક્ કરે છે અને તેને વ્યવહારનય ગ્રહણ કરે છે; કેમ કે બહારનય વિશેષગ્રાહી છે. વ્યવહારનયથી વિશેષને ગ્રહણ કરીને સ્વાદુ નાસ્તિરૂપ બીજો ભાંગો થાય છે, કેમ કે પટાદિરૂપે ઘટ નથી. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy