SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ पर्याये शब्दनये, सविकल्पः, प्रथमे पर्यायशब्दवाच्यताविकल्पसद्भावेऽप्यर्थस्यैकत्वात् द्वितीयतृतीययोनिर्विकल्पः द्रव्यार्थात् सामान्यलक्षणानिर्गतपर्यायाभिधायकत्वात्, समभिरूढस्य पर्यायभेदभिन्नार्थत्वात्, एवंभूतस्यापि विवक्षितक्रियाकालार्थत्वात् । लिङ्गसंज्ञाक्रियाभेदेन भिन्नस्यैकशब्दावाच्यत्वात् शब्दादिषु तृतीयः, प्रथमद्वितीयसंयोगे चतुर्थः, तेष्वेव चानभिधेयसंयोगे पञ्चमषष्ठसप्तमा वचनमार्गा भवन्ति । ટીકાર્ચ - વં કૃત્તિ ... વનમાં ભક્તિ આ રીતે અનંતર ગાથા-૩થી ૪૦માં કહેલ એ પ્રકારે, સાત વિકલ્પવાળો-સાત ભેજવાળો, વચનપથ સાત પ્રકારનો વચનમાર્ગ, અર્થપર્યાયમાં થાય છે=સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રતયરૂપ અર્થતયમાં સાતે પણ અનંતરમાં કહેલા ભાંગા થાય છે. કઈ રીતે અર્થનમાં સાતે ભાંગા થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ત્યાં=અર્થમયમાં, સામાન્યગ્રાહી એવા સંગ્રહાયમાં વિધિરૂપ પ્રથમ ભાંગો થાય છે=ભ્યાદ્ અતિરૂપ પ્રથમ ભાંગો થાય છે. તાતિ એ પ્રકારનો આ ભાંગો વળી વિશેષગ્રાહી એવા વ્યવહારમાં થાય છે. ઋજુસૂત્રમાં ત્રીજો ભાંગો થાય છે. સંગ્રહ અને વ્યવહારમાં ચોથો ભાંગો થાય છે. સંગ્રહ અને ઋજુસૂત્રમાં પાંચમો ભાંગો થાય છે. વ્યવહાર અને ઋજુસૂત્રમાં છઠ્ઠો ભાંગો થાય છે અને સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રમાં સાતમો ભાંગો થાય છે. આ રીતે અર્થનમાં કઈ રીતે સપ્તભંગી થાય છે? તે બતાવ્યા પછી વ્યંજનપર્યાયમાં કઈ રીતે સપ્તભંગી થઈ શકે ? તે બતાવવા માટે અવિકલ્પરૂપ અસ્તિભાગો અને નિર્વિકલ્પરૂપ નાસ્તિ ભાંગો કઈ રીતે થાય છે ? તે ગાથામાં બતાવેલ છે. આનાથી સપ્તભંગીની કઈ રીતે પ્રાપ્તિ છે? તેને ટીકાકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે – | વ્યંજનપર્યાયરૂપ શબ્દનયમાં સવિકલ્પરૂપ પ્રથમ ભાંગો થાય છે, કેમ કે પ્રથમમાં વ્યંજનપર્યાયતા ત્રણ તયોમાં જે પ્રથમ શબ્દનય છે તેમાં, પર્યાય શબ્દની વાચ્યતાના વિકલ્પના સદ્ભાવમાં પણ ઘટરૂપ વસ્તુના કુંભ આદિ પર્યાયવાચી શબ્દની વાચ્યતાના વિકલ્પના સદ્ભાવમાં પણ, અર્થનું એકપણું હોવાથી=ઘટ-કુંભ આદિ શબ્દવાચ્ય વસ્તુમાં અર્થનું એકપણું હોવાથી, સામાવ્યગ્રાહી એવા વિધિરૂપ અવિકલ્પ ભાંગો થાય છે, એમ અવાય છે. બીજા-ત્રીજામાં=વ્યંજલપર્યાયરૂપ શબ્દનયના ત્રણ ભેદમાંથી સમભિરૂઢનય અને એવંભૂતનયરૂપ બીજા-ત્રીજા તયમાં, નિર્વિકલ્પ ભાંગો થાય છે= નાસ્તિ' એ પ્રકારે નિષેધરૂપ ભાંગો થાય છે. કેમ નાસ્તિરૂપ ભાંગો થાય છે ? તેમાં હેતુ કહે છે – સામાન્ય લક્ષણરૂપ દ્રવ્યાર્થથી નિર્ગત એવા પર્યાયનું અભિધાયકપણું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy