SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના તે નયની દૃષ્ટિથી તે રીતે પદાર્થને જોવામાં આવે અને અન્ય નયની દૃષ્ટિનો પણ અપલાપ ન કરવામાં આવે તો તે સુનયો બને છે અન્યથા તે દુર્નય બને છે. જેમ ચક્ષુ સામે કોઈ છ વર્ણવાળો પટ હોય તેમાં જે વર્ણ જે સ્થાનમાં છે તે સ્થાનમાં તેટલા ભાગમાં તે વર્ણને સ્વીકારવામાં આવે અન્ય સ્થાનમાં રહેલા અન્ય વર્ગોનો અમલાપ ન કરવામાં આવે તો તે સ્થાનમાં તે વર્ણનું કથન સત્ય બને છે, પરંતુ તે પટમાં લાલ વર્ણ જે સ્થાનમાં છે એને બદલે અન્ય સ્થાનમાં લાલ વર્ણરૂપે પટને જોવામાં આવે અથવા લાલ વર્ણ જેટલા સ્થાનમાં છે તેનાથી અધિક સ્થાનમાં લાલ વર્ણને કહેવામાં આવે અથવા લાલ વર્ણ જેટલા સ્થાનમાં છે તેનાથી ન્યૂન સ્થાનમાં લાલ વર્ણને કહેવામાં આવે તો તે વચન મિથ્યા બને છે અને લાલ વર્ણને લાલ વર્ણના સ્થાનમાં કોઈને પણ તે પટમાં રહેલા અન્ય વર્ગોનો અપલાપ કરવામાં આવે તોપણ તે વચન મિથ્યા બને છે. તેમ દરેક નયોની દૃષ્ટિ પોતપોતાના સ્થાનમાં પદાર્થનું સ્વરૂપ જે રીતે બતાવે છે તે રીતે જોવામાં આવે અને અન્ય નયની દૃષ્ટિનું ઉચિત રીતે યોજન કરવામાં આવે અને કોઈક એક નયની દૃષ્ટિથી પદાર્થ જોતી વખતે અન્ય નયની દૃષ્ટિનો પણ ગૌણરૂપે સ્વીકાર કરવામાં આવે તો તે બોધ સમ્યગુ બને છે અન્યથા યથાતથા જોડાયેલા નયોથી થનારો બોધ મિથ્યા બને છે. જેમ એકાંતવાદી સાંખ્યદર્શન આત્માને ફૂટસ્થનિત્ય માને છે તેથી તેના મતાનુસાર આત્મામાં કોઈ જાતનું પરિવર્તન થતું નથી અને આત્મા અપ્રસ્કુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળો છે. જો તેમ સ્વીકારીએ તો આત્માને સંસાર, મોક્ષ અને મોક્ષના ઉપાયની પ્રવૃત્તિ કાંઈ સંગત થાય નહીં, છતાં સ્થૂલથી દેખાતી પોતાના મતની સ્થાપક યુક્તિ દ્વારા સાંખ્ય દર્શનકારે તેની સંગતિ કરેલ છે, તે સર્વ અનુભવવિરુદ્ધ માત્ર સ્વકલ્પનારૂપ છે. તેમ ભગવાનના વચનનું અવલંબન લઈને અનુભવ અનુસાર નિયોનું યોજન કરવામાં ન આવે તો તે ભગવાનના વચનથી દેખાતા પદાર્થો તેવા સ્વરૂપવાળા નહીં હોવાથી કલ્પનામાત્રથી રમ્ય જણાય છે, પરંતુ વસ્તના યથાર્થ સ્વરૂપને દેખાડનારા નહીં હોવાથી અસંબદ્ધ પ્રલાપ કરનારા છે છતાં તે રીતે ભગવાનના ર્થને જોવાના વ્યાપારવાળા હોવાથી તે જીવો મૂઢ દષ્ટિવાળા છે તેને બતાવવા માટે “સમ્મતિ ગ્રંથનો વિસ્તાર છે. વળી, પદાર્થનો પરસ્પર કથંચિત્ ભેદ છે, કથંચિત્ અભેદ છે અને પદાર્થની પૂર્વ-ઉત્તર અવસ્થા સાથે પણ કથંચિત્ ભેદ છે, કથંચિત્ અભેદ છે તેને આશ્રયીને સર્વ નયોનો ઉદ્ભવ છે; કેમ કે અનુભવ અનુસાર જોવામાં આવે તો પોતાના આત્માની પૂર્વ અવસ્થા અને ઉત્તર અવસ્થા સાથે પોતાનો બાલ્યાદિ ભાવરૂપે ભેદ દેખાય છે અને “તે સર્વમાં એકચેતનારૂપે હું એક છું' તેમ પ્રતીત થાય છે. વળી, પોતાના આત્માના અંતરંગ ક્રોધ, માન આદિ ભાવોમાં કે પ્રશમાદિ ભાવોમાં પણ “એક ચેતનારૂપે હું એક છું' તેવી સ્વસંવેદનરૂપે પ્રતીતિ થાય છે અને તે તે ભાવરૂપે ભેદની પ્રતીતિ પણ છે. તેથી પોતાના આત્માનું પ્રામાણિક રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરવામાં આવે તો પોતાની પૂર્વ-ઉત્તરની સર્વ અવસ્થાઓમાં પોતે એક છે એમ પ્રતીત થાય છે અને પોતાની પૂર્વ-ઉત્તરની અવસ્થાઓ પરસ્પર વિલક્ષણ છે એમ પ્રતીત થાય છે. તેથી પોતાની પૂર્વ-ઉત્તર અવસ્થા સાથે કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે એમ પ્રતીત થાય છે. વળી, પોતાનાથી અતિરિક્ત સર્વ પદાર્થોમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy