SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ ૧૪૧ નથી”. જ્યારે ઘટના પોતાના ભાવને પ્રધાન કરીને અને અર્થાન્તરભૂત ભાવને ગૌણ કરીને વિચારાય છે ત્યારે ઘટનું ઘટરૂપે સત્ત્વ દેખાય છે. તેથી સ્યાદ્ અસ્તિ એ પ્રકારનો પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. જ્યારે ઘટરૂપ વસ્તુને જોઈને તેમાં રહેલ અર્થાન્તરભૂત પટાદિ ભાવોને પ્રધાન કરવામાં આવે અને નિજભાવને ગૌણ કરવામાં આવે ત્યારે ‘પટાદિરૂપે ઘટ નથી' તેવી પ્રતીતિ થાય છે. તેથી સ્યાદ્ નાસ્તિ એ પ્રકારનો બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, ઘટરૂપ વસ્તુમાં રહેલ પોતાનું સ્વરૂપ અને અર્થાન્તરભૂત ભાવ બન્ને એક સાથે કહેવા માટે ઇચ્છાય છે ત્યારે અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે; કેમ કે ઘટમાં રહેલ પોતાનું સ્વરૂપ અને અર્થાન્તર સ્વરૂપ બન્ને સાથે કહી શકાય તેવા પ્રતિપાદક વચનથી ઘટરૂપ વસ્તુ અતીત છે. માટે એક સાથે ઉભયરૂપ સ્વરૂપે કહી શકાય તેવી વસ્તુનો અભાવ છે. અથવા વસ્તુ ઉભય સ્વરૂપ હોવા છતાં તેવા પ્રકારનું કોઈ એક જ એવું વચન નથી કે જેથી એક જ વચનથી વસ્તુને ઉભય સ્વરૂપે એક સાથે કહી શકાય. માટે સ્યાદ્ અવક્તવ્ય' નામનો ત્રીજો ભાગો પ્રાપ્ત થાય છે. અહીં પ્રથમ ભાંગામાં ઘટમાં રહેલ પટાદિના અસત્ત્વને ગૌણ કરવામાં આવે છે અને ઘટના સત્ત્વને પ્રધાન કરવામાં આવે છે. તેથી ઘટ ઘટરૂપે છે તેમ પ્રાપ્ત થાય છે, માટે “સ્યા અસ્તિ' નામનો પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય છે. વળી, બીજા ભાગમાં ઘટમાં રહેલ પટાદિના અસત્ત્વને પ્રધાન કરવામાં આવે છે અને ઘટના સત્ત્વને ગૌણ કરવામાં આવે છે. તેથી પટરૂપે ઘટ નથી તેમ પ્રાપ્ત થાય છે માટે “સ્યાદ્ નાસ્તિ' નામનો બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી ઘટમાં રહેલ પોતાનું ઘટસ્વરૂપ અને ઘટમાં રહેલ પટાદિસ્વરૂપનો અભાવ - એ બન્નેને પ્રધાન કરવામાં આવે તો તેને એક સાથે કહેવા માટે કોઈ એક જ વચન સમર્થ નથી માટે અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. અથવા ઘટમાં રહેલ પોતાનું સ્વરૂપ અને અર્થાન્તર સ્વરૂપ બન્નેને ગૌણ કરવામાં આવે અર્થાત્ લક્ષણાથી બન્ને સ્વરૂપ કહેવામાં આવે તો તેવા સ્વરૂપવાળા ઘટાદિને કહેનારું કોઈ એક જ વચન સમર્થ બનતું નથી માટે તે સ્વરૂપે ઘટરૂપ વસ્તુ અવક્તવ્ય બને છે અને ઘટમાં રહેલું પોતાનું સ્વરૂપ અને ઘટમાં રહેલું પટાદિના અભાવનું સ્વરૂપ ક્રમસર પ્રથમ અને દ્વિતીય ભાંગાથી કહેવાય છે તેથી હવે તે જ સ્વરૂપને એક જ શબ્દથી એક સાથે કહેવાનો જ વિકલ્પ પ્રાપ્ત થાય છે. જેનાથી તે વસ્તુનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, જે અવક્તવ્યરૂપ છે. પ્રથમ અવતરણિકામાં કહેલ કે ભાવાભાવાત્મક વિષયવાળી વસ્તુને વિવેક્ષાથી કહેવામાં આવે ત્યારે તે સુનય, દુર્નય કે પ્રમાણરૂપતાને પ્રાપ્ત કરે છે, તેની પ્રાપ્તિ પ્રસ્તુત ગાથાથી આ રીતે થાય છે – કોઈ વક્તા ‘સ્યાદ્ અસ્તિ' એ પ્રમાણે કહે ત્યારે તે નયવાક્ય બને છે અર્થાત્ ઘટરૂપ વસ્તુ પોતાના સ્વરૂપે “કથંચિત્ છે' તેમ કહેવાથી ગૌણપણાથી પરસ્વરૂપે કથંચિત્ નથી તેની પ્રાપ્તિ હોવાથી તે નયવાક્ય બને છે. તે રીતે “યાદ્ નાસ્તિ' એ પ્રમાણે કહે તે પણ નયવાક્ય સુનય બને છે. “અસ્તિ એવ' ઇત્યાદિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy