SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ પ્રધાન ગુણભાવથી થાય છે. એથી પ્રથમ અને બીજો ભાંગો પ્રાપ્ત થાય છે. વળી જ્યારે બન્ને દ્વારા પણ =તિજ અને અર્થાન્તરભૂત બન્ને દ્વારા પણ, એક સાથે તે વસ્તુ કહેવા માટે અભિષ્ટ થાય છે ત્યારે અવક્તવ્યના ભાંગાનું નિમિત્ત છે અવ્યક્તવ્યના ભાંગાનું નિમિત્ત તે વસ્તુ છે; કેમ કે તથાભૂત વસ્તુનો અભાવ છે=એકસાથે નિજ અને અર્થાન્તરભૂત વસ્તુ કહી શકાય તેવી વસ્તુનો અભાવ છે. કેમ તે પ્રકારની વસ્તુનો અભાવ છે ? તેમાં હેતુ કહે છે – પ્રતિપાદક એવા વચનથી અતીતપણું છે=એકસાથે ઉભય સ્વરૂપનું પ્રતિપાદન કરે તેવા પ્રતિપાદક વચનથી તે વસ્તુનું અતીતપણું છે. તેથી ત્રીજા ભાંગાનો સદ્ભાવ છે. અથવા તેવા પ્રકારના વચનનો વસ્તુના નિજસ્વરૂપનું અને અર્થાત્તરભૂત સ્વરૂપનું પ્રતિપાદન કરે તેવા પ્રકારના વચનતો, અભાવ હોવાથી અવક્તવ્ય વસ્તુ છે. ગાથાના કથનથી ત્રણ ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે ‘તદિ'થી સ્પષ્ટ કરે છે – અસત્ત્વના ઉપસર્જતથી સત્ત્વના પ્રતિપાદનમાં અર્થાતરભૂત એવા અસત્વતા ગૌણપણાથી નિજ એવા ઘટરૂપ સત્ત્વના પ્રતિપાદનમાં, પ્રથમ ભાંગો છે. તેના વિપર્યયથી=અસત્ત્વના પ્રતિપાદન અને સત્વના ઉપસર્જનરૂપ વિપર્યયથી, તેના પ્રતિપાદનમાં વસ્તુના પ્રતિપાદનમાં, બીજો ભાંગો છે. વળી બન્ને ધર્મોનું સત્વ-અસત્વરૂપ બન્ને ધર્મોનું, પ્રાધાન્યથી અથવા ગૌણભાવથી પ્રતિપાદનમાં કોઈ વચન સમર્થ નથી, જે કારણથી સમાસવચન તત્પતિપાદક નથી. વળી વાક્ય પ્રતિપાદક સંભવતું નથી તેથી અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે, એમ અવય છે. ત્યાર પછી ટીકામાં અવ્યયીભાવ આદિ છ પ્રકારના સમાસથી બન્ને ધર્મનું પ્રતિપાદન કેમ થતું નથી ? તેની સ્પષ્ટતા કરેલ છે. વળી, આ રીતે નિજ સ્વરૂપ અને અર્થાન્તરભૂતને આશ્રયીને ત્રણ ભાંગા બતાવ્યા પછી નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ભિન્ન વસ્તુને સ્વીકારીને તેને આશ્રયીને ત્રણ ભાંગા કઈ રીતે થાય છે ? અને તેમાં પણ અન્ય અન્ય રીતે ત્રણ ભાંગાઓની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. II૧/૩૬ાા ભાવાર્થ : દરેક વસ્તુ પોતાના સ્વરૂપે છે, પરરૂપે નથી. તેને આશ્રયીને ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય છે: (૧) સ્યાદ્ અસ્તિ, (૨) સ્યાદ્ નાસ્તિ, (૩) સ્યાદ્ અવક્તવ્ય. આ ત્રણ ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે – પદાર્થમાં એક નિજભાવ છે પોતાનો ભાવ છે. જેમ ઘટરૂપ વસ્તુમાં ઘટવરૂપ પોતાનો ભાવ છે અને તે રૂપે ઘટનું સત્ત્વ છે. વળી ઘટરૂપ વસ્તુમાં અર્થાન્તરભૂત ભાવ છે. તે અર્થાન્તરભૂત ભાવ ઘટથી અતિરિક્ત પટાદિ ભાવ છે. તે સ્વરૂપે ઘટનું અસત્ત્વ છે. આથી જ ઘટને જોઈને કહેવાય છે કે “આ પટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy