SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ ૧૩૯ બન્ને વડે, વયવિસાયંકવચન વિશેષથી અતીત એવું, દ્વ—દ્રવ્ય, વત્તદ્વયં અવક્તવ્ય પરૂ થાય છે. I૧/૩૬ ગાથાર્થ : અને અન્તરભૂત વડે નાસિરૂપ બીજો ભાંગો થાય છે અને નિજક વડે અતિરૂ૫ પ્રથમ ભાંગો થાય છે. સમયાદિ સ્વરૂપથી=સંકેત અને અસંકેત સ્વરૂપથી સંકેત સ્વરૂપે પ્રધાનથી અને અસંકેત સ્વરૂપે ગૌણભાવથી, બન્ને વડે અર્થાન્તરભૂત અને નિજકરૂપ બન્ને વડે, વચન વિશેષથી અતીત એવું દ્રવ્ય અવક્તવ્ય થાય છે. ll૧/૩૬ll ગાથામાં રહેલા “સમયમાર્દિ' શબ્દનું યોજન ટીકાકારશ્રીએ કઈ રીતે કર્યું છે ? તેની સ્પષ્ટતા થતી નથી, પરંતુ ત્રણ ભાંગા બતાવ્યા પછી ‘તથાદિથી તેની સ્પષ્ટતા કરતાં ત્રીજા ભાંગામાં કહ્યું કે બન્ને ધર્મોના પ્રધાનપણાથી કે ગૌણભાવથી પ્રતિપાદનમાં કોઈ વચન સમર્થ નથી. તેના ઉપરથી જણાય છે કે ત્રીજા ભાંગામાં નિજક અને અર્થાન્તરભૂત બન્ને ધર્મો પ્રધાનરૂપે સાથે કહી શકાતા નથી અને ગૌણભાવથી સાથે કહી શકાતા નથી. જે વસ્તુમાં જેનો સંકેત કર્યો હોય તે પ્રધાન કહેવાય અને જેનો સંકેત ન હોય તે ગૌણ કહેવાય એ પ્રકારનો અર્થ કરીએ તો સમય શબ્દનો અર્થ સંકેત થાય છે અને આદિ પદથી અસંકેતનું ગ્રહણ થાય છે. કોઈ વ્યક્તિએ પટ વસ્તુમાં પણ ઘટનો સંકેત કર્યો હોય ત્યારે પટ વસ્તુ પણ ઘટ સંકેતથી પ્રધાનઘટ બને છે અને અસંકેતથી પટ આદિ બને છે. પ્રધાનરૂપે ઘટ-પટાદિને સાથે કહેવા હોય તો યુગપદ્ કહી શકાય નહીં અને અસંકેતરૂપે પણ ઘટ-પટાદિ યુગપદ્ કહી શકાય નહીં. માટે અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. આ પ્રકારનો અર્થ અમને જણાય છે માટે માથાનો અર્થ તે પ્રમાણે કરેલ છે. ટીકા : अस्यास्तात्पर्यार्थः-अर्थान्तरभूतः पटादिः, निजो घटः, ताभ्यां निजार्थान्तरभूताभ्यां सदसत्त्वं घटवस्तुनः प्रथमद्वितीयभङ्गनिमित्तं प्रधानगुणभावेन भवतीति प्रथमद्वितीयौ भङ्गौ १-२ । यदा तु द्वाभ्यामपि युगपत् तद् वस्तु अभिधातुमभीष्टं भवति तदा अवक्तव्यभङ्गकनिमित्तम्, तथाभूतस्य वस्तुनोऽभावात् प्रतिपादकवचनातीतत्वात् तृतीयभङ्गसद्भावः, वचनस्य वा तथाभूतस्याभावाद् अवक्तव्यं वस्तु ३ । तथाहि-असत्त्वोपसर्जनसत्त्वप्रतिपादने प्रथमो भङ्गः । तद्विपर्ययेण तत्प्रतिपादने द्वितीयः । द्वयोस्तु धर्मयोः प्राधान्येन गुणभावेन वा प्रतिपादने न किञ्चिद् वचः समर्थम् यतो न तावत् સમાસવાનં તત્ક્રતિ લિમ્ નાપિ વાવયં સન્મતિ ..... માર/રૂદ્દા ટીકાર્ય : આનો તાત્પર્યાર્થ છે=ગાથાનો તાત્પર્યાર્થ આ છે. અર્થાત્તરભૂત પટાદિ, નિજ ઘટ, તેના દ્વારા=નિજ અને અર્થાન્તરભૂત એવી વસ્તુ દ્વારા, ઘટવસ્તુનું સત્વ અને અસત્વ પ્રથમ દ્વિતીય ભંગનું નિમિત્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy