SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૬ જેમ અરિહંતના મતાનુસારી મહાત્માઓનું પણ ‘સ્યાદ્ અસ્તિ' ઇત્યાદિ સાત વિકલ્પતાને નહીં પામેલું વચન સ્યાદ્ પદ અલાંછિત વસ્તુધર્મના પ્રતિપાદન કરતા વક્તાની અનિપુણતા થાય એથી વિસ્તારથી સાત વિકલ્પના ઉત્થાનના નિમિત્તને બતાવવા માટે ગાથાસમૂહને કહે છે=ગાથા-૩૬થી ૪૦રૂપ સમૂહને કહે છે ભાવાર્થ: વસ્તુ જે પ્રમાણે રહેલી હોય તે પ્રમાણે જ વચનથી તેનું પ્રતિપાદન કોઈક પુરુષ કરે તો તે વક્તા યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરનારો હોવાથી નિપુણ છે એમ કહેવાય છે, જો તે વક્તા વસ્તુ જે પ્રમાણે રહેલી હોય તે પ્રમાણે પ્રરૂપણા કરે નહીં તો એકાંતવાદીની જેમ તેની પ્રરૂપણા યથાર્થ નહીં હોવાથી તે નિપુણ નથી. જેમ એકાંતદર્શનવાદી એવા સાંખ્યમતકાર આત્માને એકાંત નિત્ય માને છે. તેથી આત્માની પ્રતિક્ષણ પરિવર્તન પામતી સર્વ અવસ્થાઓને એકાંત અભિન્ન સ્વીકારે છે, જે વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનરૂપ નથી. વળી બૌદ્ધો આત્માના પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયોને એકાંત ભિન્ન માને છે જે વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનરૂપ નથી. નૈયાયિકો પદાર્થને સામાન્ય-વિશેષરૂપ સ્વીકારે છે તોપણ પરસ્પર નિરપેક્ષ સામાન્યને અને વિશેષને સ્વીકારે છે જે વસ્તુના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનરૂપ નથી. તેની જેમ ભગવાનના શાસનના પદાર્થોને કહેનારા જો ‘સ્યાદ્ અસ્તિ' ઇત્યાદિ સાત વિકલ્પતાને નહીં પામેલું વચન બોલે તો સ્યાકાર પદથી અલાંછિત વસ્તુના ધર્મને પ્રતિપાદન કરતા એવા તે વક્તા પદાર્થને પ્રતિપાદન કરવામાં અનિપુણ બને. તેથી જૈનશાસનમાં રહેલા વક્તાને પદાર્થ જે સ્વરૂપે રહેલ છે તે રૂપે પ્રતિપાદન કરવા માટે સમર્થ ક૨વા અર્થે ગ્રંથકારશ્રી વિસ્તારથી સપ્ત વિકલ્પના ઉત્થાનના નિમિત્તને બતાવવા માટે પાંચ ગાથાના સમુદાયને કહે છે ગાથા ઃ છાયા : - - Jain Educationa International अत्यंतर भूहि यणियएहि य दोहि समयमाईहिं । वयणविसेसाईयं दव्वमवत्तव्वयं पडइ । । १ / ३६।। अर्थान्तरभूतेन च निजकेन च द्वाभ्याम् समयमादिभिः । वचनविशेषातीतं द्रव्यमवक्तव्यं पतति । । १ / ३६ ।। અન્વયાર્થ : અત્યંતરભૂત્ત વ=અને અર્થાન્તરભૂત વડે નાસ્તિરૂપ બીજો ભાંગો થાય છે. વિત્તિ ય=અને નિજક વડે અસ્તિરૂપ પ્રથમ ભાંગો થાય છે. સમયમાöિ=સમયાદિ સ્વરૂપથી=સંકેત અને અસંકેત સ્વરૂપથી=સંકેત સ્વરૂપે પ્રધાનથી અને અસંકેત સ્વરૂપે ગૌણભાવથી, વોદિ=બન્ને વડે=અર્થાન્તરભૂત અને નિજકરૂપ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy