SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના હોવાથી આત્માને ક્ષણિક સ્વીકારનાર બૌદ્ધમતવાળાનો વૈરાગ્ય મોહગર્ભિત બને છે. તેથી એકાંત દૃષ્ટિવાળાઓનો વૈરાગ્ય પણ કલ્યાણનું કારણ બનતો નથી. માટે સ્યાદ્વાદની દૃષ્ટિને સ્થિર કરવા અર્થે પ્રસ્તુત ગ્રંથમાં પદાર્થ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે તેનું સ્થાપન કરીને તેમાંથી સંગ્રહનય આદિ ૬ નયો કઈ રીતે ઉત્પન્ન થયા છે ? તે અનુભવ અનુસાર પ્રસ્તુત ગ્રંથમાં બતાવાયા છે. તે આ પ્રમાણે - જગતવર્તી સર્વ પદાર્થોમાં જે ઉર્ધ્વતાસામાન્યરૂપ અને તિર્યક્સામાન્યરૂપ સત્ છે તેને જોનારી દૃષ્ટિથી સંગ્રહનય પ્રવર્તે છે તેથી જગતવર્તી સર્વ પદાર્થો સત્ છે તેમ તે નયથી દેખાય છે ફક્ત સ્યાદ્વાદીને તે સંગ્રહનયથી દેખાતો પદાર્થ પણ અન્ય નયના અપલાપ વગર દેખાય છે. તેથી તે નય સુનય બને છે, આથી જ ‘અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે’ તેમ સ્યાદ્વાદી સ્વીકારે છે. તેથી સંગ્રહનયની દૃષ્ટિની અર્પણા કરીને પદાર્થને જોવાની દૃષ્ટિ પ્રવર્તે છે ત્યારે અન્ય નયોના સ્થાને અન્ય નયોનું કથન ગૌણરૂપે સ્વીકૃત જ છે, ફક્ત વર્તમાનમાં તે નયની દૃષ્ટિથી પદાર્થને જોવા માટેનો યત્ન કરાય છે. જેમ અનિત્યભાવનામાં પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં યત્ન કરાય છે ત્યારે ગૌણરૂપે પોતાનો આત્મા નિત્ય છે, પુદ્ગલાદિ દ્રવ્યો પણ તે તે પર્યાયરૂપે અનિત્ય હોવા છતાં પુદ્ગલદ્રવ્યરૂપે નિત્ય છે તેનો સ્વીકાર છે, અન્યથા તે અનિત્યભાવના મૂઢતાથી યુક્ત બને. પ વળી, વ્યવહારનય વ્યવહારની પ્રવૃત્તિ કરવા અર્થે કાંઈક પર્યાયને સ્પર્શે છે તેથી જે સત્ છે તે જીવ અને અજીવરૂપ છે તેમ વિભાગ કરીને પદાર્થનો બોધ કરાવે છે. વળી, જે જીવો છે તે પણ સંસારી છે, મુક્ત છે ઇત્યાદિ ભેદો કરીને જ્યાં સુધી વ્યવહાર માટે ઉપયોગી ભેદ આવશ્યક હોય ત્યાં સુધી તેના ભેદો કરે છે. તે સર્વમાં પર્યાયનો કાંઈ સ્પર્શ હોવા છતાં દ્રવ્યનો સ્વીકાર છે. તેથી વ્યવહારનય કાંઈક પર્યાયાસ્તિકનયથી આક્રાંત દ્રવ્યાસ્તિકનયનો ભેદ છે. વળી, તિર્યક્સામાન્યમાં પરસ્પર અત્યંત ભેદ કરીને અને દરેક વસ્તુના પણ પૂર્વ-ઉત્તર ક્ષણનો અત્યંત ભેદ કરીને માત્ર વર્તમાનકાળની વસ્તુનો સ્વીકાર કરનાર ઋજુસૂત્રનય છે તેથી ઋજુસૂત્રનય જગતવર્તી દરેક પદાર્થોનો પરસ્પર અત્યંત ભેદ કરે છે અને દરેક પદાર્થની પૂર્વ-ઉત્તર અવસ્થાનો પણ અત્યંત ભેદ કરે છે અને વર્તમાનક્ષણવર્તી પદાર્થને સ્વીકારે છે; કેમ કે પૂર્વક્ષણનો પર્યાય નાશ પામ્યો છે અને ઉત્તરક્ષણનો પર્યાય હજુ ઉત્પન્ન થયો નથી માટે વર્તમાનક્ષણવર્તી વસ્તુ સત્ છે તેમ ઋજુસૂત્રનય સ્વીકારે છે. સ્યાદ્વાદીની ઋજુસૂત્રનયની દૃષ્ટિ પણ પ્રધાનરૂપે પ્રવર્તતી હોય ત્યારે ગૌણરૂપે અન્ય નયનો સ્વીકાર કરે છે એથી સુનય છે. વળી, આ ઋજુસૂત્રનયથી પર્યાયાસ્તિકનયનો પ્રારંભ છે તેથી ઋજુસૂત્રનય એ પર્યાયાસ્તિકનયરૂપ વૃક્ષનું મૂળ છે અને શબ્દનય આદિ ત્રણ નયો તેની શાખા-પ્રશાખા છે. વળી, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય એ ત્રણ નયોથી જગતમાં દેખાતા સર્વ પદાર્થોના સ્વરૂપનું પૂર્ણ અવલોકન થાય છે; કેમ કે દેખાતા સર્વ પદાર્થો સામાન્ય-વિશેષાત્મક છે અને તેમાં સંગ્રહનય ઊર્ધ્વતાસામાન્યનો અને તિર્યક્સામાન્યનો સંગ્રહ કરે છે. વળી, સંગ્રહનયે સંગ્રહ કરેલા પદાર્થોમાં વ્યવહારને ઉપયોગી વિભાગ ક૨વા માટે કાંઈક પર્યાયને સ્પર્શીને ‘આ ઘટ છે', ‘આ પટ છે', ‘આ જીવ છે' ‘આ અજીવ છે' ઇત્યાદિ વિભાગો કરીને વ્યવહારનય પ્રવર્તે છે. વળી, બાહ્ય સર્વ પદાર્થોના વર્તમાન ક્ષણમાત્રને જોનારી ઋજુસૂત્રનયની દૃષ્ટિ છે તેથી ઋજુસૂત્રનય ઊર્ધ્વતાસામાન્યનો અને તિર્યક્સામાન્યનો અસ્વીકાર કરે છે. માત્ર વર્તમાનમાં જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy