SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના આ રીતે અનુભવ અનુસાર સામાન્યને જોનારી અને વિશેષને જોનારી બે દૃષ્ટિઓ જ યથાર્થ અવલોકનની દૃષ્ટિઓ છે અને તે બે દૃષ્ટિઓને આશ્રયીને જ સર્વ નયોની દૃષ્ટિનો ઉદ્ભવ થયો છે. આ પ્રકારનું સૂક્ષ્મ રહસ્ય ‘સમ્મતિ’ ગ્રંથનું મૂળ બીજ છે. આથી પ્રથમ કાંડમાં બતાવ્યું કે જગતવર્તી પદાર્થો દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે, તેથી જેઓ દ્રવ્યનો સ્વીકાર કરે છે અને પર્યાયનો અપલાપ કરે છે તેઓ એકાંત દૃષ્ટિવાળા છે, વળી જેઓ પર્યાયનો સ્વીકાર કરે છે અને દ્રવ્યનો અપલાપ કરે છે તેઓ પણ એકાંત દૃષ્ટિવાળા છે. વળી, જગતમાં પર્યાય વગરનું કેવળ કોઈ દ્રવ્ય નથી અને જગતમાં દ્રવ્ય વગરના કેવલ કોઈ પર્યાય નથી, પરંતુ દ્રવ્યપર્યાયરૂપ જ પદાર્થ છે. તેથી એકાંતને જોનારી દૃષ્ટિના વિષયભૂત જગતમાં કોઈ પદાર્થ નથી. જેમ ઘટ અને પટ પૃથક્ દેખાય છે, તેમ દ્રવ્ય અને પર્યાય ક્યારેય પૃથક્ દેખાતા નથી; કેમ કે જગતમાં પર્યાય વગરનું દ્રવ્ય દેખાતું નથી અને દ્રવ્ય વગરનો પર્યાય દેખાતો નથી. છતાં મૂઢતાને કારણે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી તેમાં વર્તતા પર્યાયનો અપલાપ કરવામાં આવે તો તે બોધના વિષયભૂત દ્રવ્યનો પણ અપલાપ થાય છે અને પર્યાયને જોનારી દૃષ્ટિથી તેના આધારભૂત દ્રવ્યનો અપલાપ કરવામાં આવે તો તે બોધના વિષયભૂત પર્યાયનો પણ અપલાપ થાય છે. તેથી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન બને છે. મિથ્યાજ્ઞાન જ મિથ્યાદ્દષ્ટિપણું છે અને સમ્યજ્ઞાન જ સમ્યગ્દષ્ટિપણું છે. આથી જ સર્વત્ર સ્યાદ્વાદ જ સમ્યક્ત્વનું બીજ છે. તેથી એ ફલિત થાય કે કોઈપણ એક નયની દૃષ્ટિથી કથન કરનાર પુરુષ અન્ય નયની દૃષ્ટિનો ગૌણરૂપે સ્વીકાર કરીને તે કથન કરે તો તે નયની દૃષ્ટિથી તેનું કથન સ્વસ્થાનમાં જ હોય, અન્ય નયની દૃષ્ટિના સ્થાનમાં તેનો અપલાપ કરનાર ન બને માટે તેનું જ્ઞાન સમ્યજ્ઞાન બને છે અને ગૌણરૂપે અન્ય નયની દૃષ્ટિનો સ્વીકાર ન કરે અથવા ‘ગૌણરૂપે હું સ્વીકારું છું’ તેમ માને, છતાં અન્ય નયની દૃષ્ટિના સ્થાનમાં પોતે સ્વીકારેલી દૃષ્ટિનું જ કથન કરે તો તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન બને છે. ૪ જેમ, અનિત્યભાવનામાં ‘દેહના સંયોગો, ધન, કુટુંબ આદિ સર્વ અનિત્ય છે’ તેમ ભાવન કરવામાં આવે છે; પરંતુ આત્માને એકાંત ક્ષણિક સ્વીકારવામાં આવતો નથી. તેથી જે પદાર્થો અનિત્ય છે તેમાં અનિત્યની બુદ્ધિ સ્થિર કરીને નિર્લેપ થવાને અનુકૂળ યત્ન કરાય છે; પરંતુ ‘જેમ દેહાદિ અનિત્ય છે તેમ આત્મા આદિ પદાર્થો પણ અનિત્ય છે' એમ કહેવાતું નથી. આત્માદિને પણ અનિત્ય સ્વીકારવામાં આવે તો એકાંતવાદની પ્રાપ્તિ થાય. જેમ ક્ષણિકવાદી સર્વ પદાર્થને ક્ષણિક કહે છે અને આત્માને પણ ક્ષણિક સ્થાપન કરે છે. તેથી તે કહે છે કે જો આત્મા નિત્ય હોય તો નિત્ય આત્મા પ્રત્યે સ્નેહ થશે. માટે કોઈ જીવ વીતરાગ થઈ શકશે નહીં. અર્થાત ક્ષણિકવાદી આત્માને ક્ષણિક સ્વીકારીને નૈરાત્મ્યદર્શન જ મોક્ષનું કારણ છે તેમ સ્વીકારે છે. આમ સ્વીકારવામાં મૂઢતાની જ પ્રાપ્તિ છે; કેમ કે જો આત્મા જ ક્ષણ પછી નાશ થનારો હોય તો આત્માના હિત અર્થે કે મોક્ષ અર્થે પ્રવૃત્તિ સંભવે નહીં. માટે સ્યાદ્વાદી આત્માને નિત્ય સ્વીકારીને નિત્ય એવા આત્માના સુખના ઉપાયરૂપ મોક્ષ માટે યત્ન કરે છે અને મોક્ષ માટે કરાતા યત્નમાં ક્ષણિક એવા પણ બાહ્ય પદાર્થો ક્ષણિકરૂપે ઉપસ્થિત નહીં હોવાથી જાણે તે પદાર્થો નિત્ય જ ન હોય ! તેવી બુદ્ધિ કરાવીને મોહ ઉત્પન્ન કરાવે છે, તેથી સંસારી જીવ બાહ્ય પદાર્થોમાં મૂઢતાની બુદ્ધિ કરીને આત્મહિતમાં ઉપેક્ષા કરે છે. તે મૂઢતાના પરિહાર અર્થે જે ભાવો ૫૨માર્થથી ક્ષણિક છે તે ભાવોના ક્ષણિકત્વનું ભાવન કરાય છે, પરંતુ નિત્ય એવા આત્મદ્રવ્યને ક્ષણિક સ્વીકારવામાં આવતું નથી. તેથી અનિત્યની ભાવના કરનારના ચિત્તમાં પણ પોતાનો આત્મા નિત્ય છે તેવો સ્વીકાર હોય તો તેની અનિત્ય ભાવના જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બને છે અને પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મૂઢતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy