SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના ધર્મના ક્ષેત્રમાં પણ જેઓના તે પ્રકારના વિવેકને પ્રગટ કરે તેવા કર્મો એપક્રમ નથી તેઓ ધર્મની યથાતથા પ્રવૃત્તિ કરીને અધર્મની પ્રાપ્તિ કરે છે. આથી જ ધર્મને સ્વીકારીને પ્રમાદથી સંયમની આચરણ કરનારા શીતલવિહારી આદિ સાધુઓએ અનંત સંસારને પ્રાપ્ત કર્યો. તેથી તત્ત્વને જોનારી પ્રામાણિક દૃષ્ટિથી વિચારવામાં આવે તો સંસારના ક્ષેત્રમાં બહુલતાએ જીવો લાભાંતરાયના ક્ષયોપશમથી સુખપૂર્વક ધન પ્રાપ્ત કરી શકે છે અને ધર્મના અર્થી થવા છતાં કેટલાક જીવો સામાયિકાદિ અનુષ્ઠાન કરીને તેવા પ્રકારના પ્રશમાદિ કોઈ ભાવો પ્રાપ્ત કરી શકતાં નથી. તે અપેક્ષાએ તો ધર્મની પ્રાપ્તિમાં પણ ક્ષયોપશમભાવને પામે તેવું સોપક્રમ કર્મરૂપ પુણ્ય જ બળવાન કારણ છે. તેથી જેઓના મૂઢતા આપાદક કર્મો ઘણા અલ્પ થયા છે તેઓ જ સુખપૂર્વક સન્માર્ગમાં અવતાર પામી શકે છે અને તેઓ જ યથાર્થ ધર્મ કરીને હિત સાધી શકે છે, અન્યથા જેમ કપિલઋષિ યમનિયમની સુંદર આચરણા કરીને પાંચમા દેવલોકને પામે છે તેમ અહીં પણ જેઓ તત્ત્વને જોવામાં મૂઢ દૃષ્ટિવાળા છે અને અનુભવ અનુસાર અને શાસ્ત્રવચન અનુસાર પદાર્થને જોવા માટે અસમર્થ મતિવાળા છે છતાં પોતે અધિક મતિવાળા છે' તેવો ભ્રમ ધારણ કરીને દૃષ્ટિરાગવાળા થયા છે તેઓ સ્યાદ્વાદને સ્વીકારવા છતાં અનેક પ્રકારના એકાંતવાદોને અથવા વિપરીત પ્રકારના સ્ટાદ્વાદને જોનારા બને છે. તેથી સંયમ ગ્રહણ કરીને પણ આત્મહિત સાધી શકતા નથી અને આવા જીવોને નિર્મળ મતિ આપવાનું કારણ બને તેવો આ સમ્મતિતર્ક પ્રકરણ' ગ્રંથ છે. આ “સમ્મતિ' ગ્રંથમાં સર્વજ્ઞને પ્રમાણ સ્વીકારીને સર્વજ્ઞના વચનને સ્યાદ્વાદની દૃષ્ટિથી સ્થાપન કરવા અર્થે પ્રથમ કાંડમાં અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞનું વચન પ્રમાણ છે, તે બતાવતાં કહે છે – અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞને પ્રત્યક્ષ છે તેથી સર્વજ્ઞનું શાસન અતીન્દ્રિય પદાર્થોને કહેનારું છે. તેનું જ પારમાર્થિક સ્વરૂપ ગાથા-૧માં બતાવ્યું. જેથી વિવેકીને બોધ થાય કે મૂઢતાના પરિવાર અર્થે સર્વજ્ઞના વચનના તાત્પર્યને જોડવા માટે સમ્ય યત્ન કરવો જોઈએ અને સર્વશે કહેલા તે પદાર્થોને પણ યુક્તિ અને અનુભવ અનુસાર યથાર્થ યોજન કરવા પ્રયત્ન કરવો જોઈએ, જેથી સર્વજ્ઞના વચનનો યથાર્થ બોધ થાય. સર્વજ્ઞના વચનનું યથાર્થ યોજન કઈ રીતે કરવું જોઈએ ? તેના માટે સર્વજ્ઞના વચનોમાં નદૃષ્ટિનો ઉદ્ભવ કઈ રીતે થયો ? તે અનુભવ અનુસાર બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો જગતમાં દેખાતા પદાર્થોમાં જીવ અને પુદ્ગલ સામાન્યથી સર્વ જનને પ્રતીત છે; કેમ કે દેહધારી જીવો છે તે જીવોને સ્વસંવેદનથી પોતાની ચેતનાની પ્રતીતિ છે અને શરીરાદિ બાહ્ય દેખાતા પદાર્થો પુદ્ગલ છે. વળી, અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે. એથી જગતમાં દેખાતા પદાર્થો અને જગતમાં નહીં દેખાતા પદાર્થો - એ સર્વ પદાર્થોમાં સામાન્યથી બે ભાવો દેખાય છે. (૧) સામાન્યભાવ અને (૨) વિશેષભાવ. જેમ પોતાના આત્માની પૂર્વ-ઉત્તર અવસ્થામાં અનુવૃત્તિરૂપે સામાન્યભાવ દેખાય છે અને જગતવર્તી સર્વ પદાર્થોમાં ‘અસ્તિ'રૂપે સામાન્યભાવ દેખાય છે તેથી પૂર્વઉત્તરવર્તી ભાવોમાં અનુવૃત્તિની પ્રતીતિરૂપ ઊર્ધ્વતા સામાન્યને જોનારી અને સર્વ પદાર્થોમાં ‘સત્' રૂપે સાદગ્ધતારૂપ તિર્યક્સામાન્યને જોનારી જે દૃષ્ટિ છે તે દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિ છે. વળી, દરેક પદાર્થોમાં પરસ્પર વિલક્ષણતાને જોનારી અને દરેક પદાર્થોની પૂર્વ-ઉત્તર અવસ્થાની વિલક્ષણતાને જોનારી જે દૃષ્ટિ છે તે પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy